Breaking News : નફ્ફટ પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, શ્રીનગરમાં સંભળાયો ધડાકાનો અવાજ, જુઓ Video
પાકિસ્તાને જમ્મુમાં ડ્રોન હુમલાથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ત્રણ કલાકની અંદર જ સીઝફાયર ઉલ્લંઘનની ઘણી ઘટનાઓ સામે આવી છે. ભારત સરકારે ઘણી ધીરજ રાખ્યા બાદ બીએસએફને પાકિસ્તાનને કડક જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. શ્રીનગરમાં પણ ધડાકાના અવાજો સંભળાયા છે.
તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં બનેલી ઘટનાઓએ ભારત-પાકિસ્તાન સંબંધોમાં ફરી એકવાર તણાવ વધાર્યો છે. પાકિસ્તાને ડ્રોન દ્વારા જમ્મુમાં હુમલા કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. આ હુમલાને પગલે શ્રીનગર સહિત ઘણા વિસ્તારોમાં જોરદાર ધડાકાના અવાજો સંભળાયા છે. સુત્રોના જણાવ્યા મુજબ, યુદ્ધવિરામની ઘોષણાના માત્ર ત્રણ કલાકની અંદર જ પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલ્લંઘન શરૂ થયું હતું. પુંછ, રાજૌરી સેક્ટર સહિત કેટલા વિસ્તારોમાં પણ ગોળીબારની ઘટનાઓ સામે આવી છે.
ભારત સરકારે શરૂઆતમાં ધીરજ રાખી હતી અને પાકિસ્તાનને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પરંતુ, પાકિસ્તાનના ઉશ્કેરાવના જવાબમાં ભારતે બીએસએફને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલય તરફથી બીએસએફને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે પાકિસ્તાની સૈનિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવે.
આ ઘટનાઓને પગલે જમ્મુ, રાજસ્થાન અને પંજાબના કેટલાક વિસ્તારોમાં વિજળી પુરવઠો ખોરવાયો છે. ભારત સરકારે પાકિસ્તાનના આ કૃત્યનો જોરદાર પ્રતિકાર કરવાનો નિર્ણય કર્યો છે અને આંતરરાષ્ટ્રીય સીમાઓ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. આ ઘટનાઓ ભારત-પાકિસ્તાન સંબંધો માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહી છે.

માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ

Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ

જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ

વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
