શ્રીલંકાએ ખોટા સમાચારોને ફેલાતા અટકાવવા માટે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લગાવ્યો પ્રતિબંધ
શ્રીલંકા સરકારે સિરીયલ બ્લાસ્ટ થયા બાદ તેના વિશેની ખોટી માહિતીને શેર થતી અટકાવવા માટે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. રાષ્ટ્રપતિ સચિવાલયે નિવેદન આપતા કહ્યું કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય ખોટી માહિતી અને ખોટા સમાચાર ફેલાયા પછી લેવામાં આવ્યો છે. તેમને કહ્યું કે સુરક્ષાદળો આ હુમલાની કડક તપાસ […]
શ્રીલંકા સરકારે સિરીયલ બ્લાસ્ટ થયા બાદ તેના વિશેની ખોટી માહિતીને શેર થતી અટકાવવા માટે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે.
રાષ્ટ્રપતિ સચિવાલયે નિવેદન આપતા કહ્યું કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય ખોટી માહિતી અને ખોટા સમાચાર ફેલાયા પછી લેવામાં આવ્યો છે. તેમને કહ્યું કે સુરક્ષાદળો આ હુમલાની કડક તપાસ કરી રહ્યાં છે અને તપાસ પૂરી થવા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગૂ રહેશે.
શ્રીલંકાના કાયદા અમલીકરણ સંસ્થાએ હુમલા પછી લોકોને તેમના ઘરમાં જ રહેવાની, હુમલાના સ્થળો કે હોસ્પિટલમાં નહી જવાની અપીલ કરી છે. ભંડારનાયક આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી જવાવાળા લોકોને સુરક્ષા પ્રક્રિયાને લીધે પ્રસ્થાન સમયના 4 કલાક પહેલા આવવું પડશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]