AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO Scientist Salary: કરોડોના સ્પેસ મિશન કરનાર વૈજ્ઞાનિકોની કમાણી કેટલી ? જાણો તેમની જવાબદારી અને સુવિધાઓ વિશે

ISRO Scientist Salary : આખા દેશના કરોડો લોકોની આશા અને અપેક્ષાના ભાર વચ્ચે ઈસરોના વૈજ્ઞાનિકો દિવસ-રાત સ્પેસ મિશનને સફળ બનાવવાના પ્રયાસ કરતા હોય છે. ઈસરોમાં પદ અનુસાર કર્મચારીને વેતન અને ગ્રેડ પે મળે છે. ચાલો જાણીએ તેમને મળતા વેતન, સુવિધા અને જવાબદારી વિશે.

ISRO Scientist Salary: કરોડોના સ્પેસ મિશન કરનાર વૈજ્ઞાનિકોની કમાણી કેટલી ? જાણો તેમની જવાબદારી અને સુવિધાઓ વિશે
ISRO scientist salary
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 1:58 PM
Share

Bengaluru : 15 ઓગસ્ટ, 1969ના દિવસે વૈજ્ઞાનિક વિક્રમ અંબાલાલ સારાભાઈના પ્રયાસોથી ઈસરોની (ISRO)ની સ્થાપના થઈ હતી. ઈસરોનું મુખ્યાલય બેંગ્લોરમાં છે, જેનું ભારત સરકારના સ્પેસ ડિપાર્ટમેન્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. ભારતનું પહેલું સેટલાઈટ 19 એપ્રિલ, 1975ના દિવેસ લોન્ચ થયું હતું. જેનું નામ આર્યભટ્ટ હતું. એક સમયે રોકેટના ભાગ સાઈકલ પર લાવવા કે લઈ જવામાં આવતા હતા. પણ આજે ભારતની આ સ્પેસ મિશન સંસ્થા કરોડો રુપિયા યાન અવકાશમાં પહોંચાડે છે.

અવકાશ અને ટેકનોલોજીમાં રસ ધરાવતા લોકોને ઈસરોમાં જવાની ઈચ્છા હોય જ છે. ઈસરોમાં કામ કરતા વૈજ્ઞાનિકોના પદો માટે સમયે સમયે વેકેન્સીઓ નીકળતી રહે છે. ઈસરોમાં કામ કરતા કર્મચારીઓને સારો એવો પગાર મળે છે. પણ તેમના માથે જવાદારીઓ પણ વધારે હોય છે.

આખા દેશના કરોડો લોકોની આશા અને અપેક્ષાના ભાર વચ્ચે ઈસરોના વૈજ્ઞાનિકો દિવસ-રાત સ્પેસ મિશનને સફળ બનાવવાના પ્રયાસ કરતા હોય છે. ઈસરોમાં પદ અનુસાર કર્મચારીને વેતન અને ગ્રેડ પે મળે છે. ચાલો જાણીએ તેમને મળતા વેતન , સુવિધા અને જવાબદારી વિશે.

આ પણ વાંચો : Chandrayaan 3 Launch LIVE : આજે લોન્ચ થશે ભારતનું મહત્વકાંક્ષી સ્પેશ મિશન ચંદ્રયાન- 3, શ્રીહરિકોટામાં વાદળછાયું વાતાવરણ

ISRO વૈજ્ઞાનિક પોસ્ટ્સ અને બેઝિક પગાર

  • પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક: રૂ. 75,500 – 80,000
  • ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક: રૂ. 67,000 – 79,000
  • વૈજ્ઞાનિક/એન્જિનિયર – H&G: રૂ. 37,400 – 67,000
  • વૈજ્ઞાનિક/એન્જિનિયર – SG : રૂ. 37,400 – 67,000
  • વૈજ્ઞાનિક IST/એન્જિનિયર- SE & SD : રૂ. 15,600 – 39,100

ઉપર દર્શાવેલો પગાર એ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોનો બેઝિક પગાર છે. અન્ય ભથ્થા સાથે તેમનો પગાર વધી જતો હોય છે. જેમ કે 80 હજારનો પગાર 1,60,000 સુધી પહોંચે છે.

ઈસરોના વૈજ્ઞાનિકોને કયા પ્રકારના ભથ્થા અને લાભો આપવામાં આવે છે?

  • મોંઘવારી ભથ્થું
  • મકાન ભાડું ભથ્થું
  • મુસાફરી ભથ્થું
  • પેન્શન
  • તબીબી સુવિધાઓ
  • ભવિષ્ય નિધિ

ISRO વૈજ્ઞાનિક ગ્રેડ પે વિગતો

  • વૈજ્ઞાનિક/એન્જિનિયર – H&G રૂ. 10,000
  • વૈજ્ઞાનિક/એન્જિનિયર – SG રૂ. 8,900
  • વૈજ્ઞાનિક/એન્જિનિયર – SF રૂ. 8,700
  • વૈજ્ઞાનિક/એન્જિનિયર – SE રૂ. 7,600
  • વૈજ્ઞાનિક/એન્જિનિયર – SD રૂ. 6,600

ઈસરોના વૈજ્ઞાનિકોની જવાબદારીઓ

  • પસંદગીની જગ્યાઓ માટે પસંદ કરાયેલ ઉમેદવારોએ 1 વર્ષનો પ્રોબેશન સમયગાળો પૂર્ણ કરવો પડશે.
  • વિવિધ સિસ્ટમો વિકસાવો, ડિઝાઇન કરો અને પરીક્ષણ કરો.
  • પ્રયોગો અને સંશોધન કરવા. જુનિયર કર્મચારીઓનું સંચાલન અને માર્ગદર્શન.
  • ઉચ્ચ અધિકારીઓને રોજબરોજની પ્રવૃત્તિઓની જાણ કરવી.

આ પણ વાંચો : વિશાળકાળ ચંદ્રયાન પ્રોજેક્ટ માટે વપરાયા છે કરોડો રુપિયા, જાણો ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3ની ખાસિયતો

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">