આજે અમદાવાદમાં રનનો ઢગલો થશે કે બોલરો મચાવશે તબાહી, જાણો પિચ રિપોર્ટ
IPL 2024ની આજે રમાનારી 59મી મેચમાં ગુજરાત ટાઇટન્સ ઘર આંગણે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરશે. ગુજરાત ટાઈટન્સનો અમદાવાદમાં રમાયેલી છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ટાઈટન્સની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં તળીયે છે.
IPL 2024ની આજે રમાનારી 59મી મેચમાં ગુજરાત ટાઇટન્સ ઘર આંગણે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરશે. આ મેચ અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની વર્તમાન સિઝનમાં છઠ્ઠી મેચ રમાશે. આ મેદાન પર રમાયેલી છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સનો આરસીબી સામે 9 વિકેટે પરાજય થયો હતો. હવે ગુજરાતની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરવાનો છે.
IPL 2024ની આજે રમાનારી 59મી મેચમાં ગુજરાત ટાઇટન્સ ઘર આંગણે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરશે. ગુજરાત ટાઈટન્સનો અમદાવાદમાં રમાયેલી છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ટાઈટન્સની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં તળીયે છે. તો બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. ચેન્નાઈ સુપર કિંગ્સએ તેની છેલ્લી મેચ પંજાબ કિંગ્સ સામે જીત મેળવી હતી.
હવે બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. ચાલો જાણીએ અમદાવાદની પિચ કોના પક્ષમાં રહેશે બોલરો કે બેટ્સમેન?
અમદાવાદની પિચ કેવી રહેશે ?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે યોગ્ય માનવામાં આવે છે. બોલ બેટ પર ખૂબ જ સારી રીતે આવે છે અને બેટ્સમેનો માટે શોટ બનાવવાનું ખૂબ જ સરળ છે. જો કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મોટી બાઉન્ડ્રીને કારણે આ મેદાન પર સ્પિનરો વિકેટ લેવામાં વધુ સફળ રહે છે. સ્પિનરોને પણ પીચમાંથી થોડી મદદ મળે છે.
શું કહે છે આંકડા?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની કુલ 32 મેચો રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનારી 14 ટીમોએ જીત મેળવી છે, જ્યારે રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે બીજી બેટિંગ કરનારી 18 ટીમએ જીત મેળવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ દાવની સરેરાશ 171ની રહેવા પામી છે.
વર્ષ 2023માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌથી વધુ સ્કોર ગુજરાત વિરુદ્ધ મુંબઈની મેચમાં બન્યો હતો. તે સમયે સ્કોર 233/3 હતો. જ્યારે, વર્તમાન સિઝનમાં સૌથી ઓછો કુલ સ્કોર 89/10 હતો, જે ગુજરાત વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં ગુજરાત ટાઈટન્સનો થયો હતો.
આ આંકડા દર્શાવે છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પર બેટ્સમેનોને ઘણો ફાયદો છે, જ્યારે પ્રથમ દાવની સરેરાશ 192 રનની હતી. વર્તમાન IPL સિઝનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 5 મેચ રમાઈ હતી, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે એક મેચ જીતી હતી, જ્યારે બાદમાં બેટિંગ કરનારી ટીમે 4 મેચ જીતી હતી.
GT vs CSK વચ્ચે રમાયેલ મેચનો રેકોર્ડ :
બન્ને વચ્ચે રમાયેલ મેચો – 6 મેચ
ગુજરાત ટાઇટન્સ જીત્યું- 3 મેચ
ચેન્નાઈ સુપર કિંગ્સ જીત્યું- 3 મેચ