IND vs BAN: ચેન્નાઈમાં યોજાશે ટીમ ઈન્ડિયાનો કેમ્પ, બાંગ્લાદેશને હરાવવા બનશે પ્લાન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાનો કેમ્પ 12 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં યોજાશે. અહીં પ્રથમ ટેસ્ટ મેચ પણ રમાશે. ટીમ ઈન્ડિયાના કેમ્પમાં શું હશે ખાસ, જાણો અહીં.

IND vs BAN: ચેન્નાઈમાં યોજાશે ટીમ ઈન્ડિયાનો કેમ્પ, બાંગ્લાદેશને હરાવવા બનશે પ્લાન
Gautam Gambhir (Photo Pankaj NangiaGetty Images)
Follow Us:
| Updated on: Sep 09, 2024 | 3:11 PM

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ હવે તૈયારીઓનો વારો છે, જેના માટે પ્રાપ્ત માહિતી અનુસાર, 12 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં કેમ્પ યોજાવા જઈ રહ્યો છે. આનો મતલબ એ છે કે આજથી જ મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ આગામી શ્રેણીને ચલાવવા માટે કામ કરવાનું શરૂ કરશે. અહેવાલો અનુસાર, આ કેમ્પમાં બાંગ્લાદેશ સામે રમવા માટે પસંદ કરાયેલા તમામ ખેલાડીઓ ચેન્નાઈમાં ભેગા થશે. વિરાટ કોહલી પણ તે દિવસે લંડનથી ચેન્નાઈ પહોંચશે.

મુખ્ય કોચ ગંભીરની પ્રથમ હોમ સિરીઝ

વાસ્તવમાં, મુખ્ય કોચ ગૌતમ ગંભીરની આ ત્રીજી સિરીઝ હશે. પરંતુ, ભારતની ધરતી પર મુખ્ય કોચ બન્યા બાદ આ પ્રથમ શ્રેણી હશે. સ્વાભાવિક છે કે ગંભીરને ઘરઆંગણે પહેલી સિરીઝની જીત ગમશે અને આ માટે તે ટીમની તૈયારીઓની સાથે પરફેક્ટ પ્લાન બનાવવા પર પણ કામ કરશે. જોકે બાંગ્લાદેશ અત્યાર સુધી ભારત સામે એકપણ ટેસ્ટ મેચ જીત્યું નથી. તેમ છતાં ગંભીર બાંગ્લાદેશને હળવાશથી લેશે નહીં. કારણ કે તાજેતરમાં બાંગ્લાદેશ પાકિસ્તાનને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવીને ભારત આવી રહ્યું છે.

ચેન્નાઈમાં 5 દિવસનો ટીમ ઈન્ડિયાનો કેમ્પ

રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાનો કેમ્પ ચેન્નાઈમાં 5 દિવસ સુધી ચાલશે. ત્યાર બાદ ટેસ્ટ મેચ શરૂ થશે. કેમ્પમાં ભારતીય ટીમનો ઉદ્દેશ્ય તેની તૈયારીઓને ચકાસવાનો અને તેની નબળાઈઓને સુધારવાનો રહેશે. આ સિવાય લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહીને મેદાન પર આવી રહેલા ખેલાડીઓ પણ પોતાની વચ્ચેનું બોન્ડિંગ અને ટ્યુનિંગ મજબૂત કરવા ઈચ્છે છે.

આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?

મીરપુરમાં બાંગ્લાદેશ ટીમનો કેમ્પ

ટીમ ઈન્ડિયાનો કેમ્પ 12 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં યોજાવા જઈ રહ્યો છે. બીજી તરફ બાંગ્લાદેશે પણ ભારતના પ્રવાસ માટે મીરપુરમાં પોતાનો કેમ્પ લગાવ્યો છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ બાંગ્લાદેશનું મનોબળ ચરમસીમા પર છે અને હવે તે આ જ સફળતાને ભારતની ધરતી પર રિપીટ કરવા માંગે છે. બાંગ્લાદેશ ટીમનો આ ઈરાદો તેના ખેલાડીઓના નિવેદનો પરથી પણ દેખાઈ આવે છે. ફાસ્ટ બોલર શોરીફુલ ઈસ્લામે કહ્યું કે આખી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. આ આત્મવિશ્વાસ સાથે, અમે હવે ભારતમાં પણ વિજય સાથે શરૂઆત કરવા માંગીએ છીએ.

આ પણ વાંચો: આઈપીએલમાં આરસીબી તરફથી રમનાર ક્રિકેટરને મળ્યું સ્થાન,2 વિકેટ કીપર સામેલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
g clip-path="url(#clip0_868_265)">