AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024 : જો વિરાટ કોહલી કેનેડા સામે નિષ્ફળ જશે તો શિખર ધવનના ખાસ રેકોર્ડની બરાબરી કરશે

T20 વર્લ્ડ કપ 2024માં વિરાટ કોહલીનું પ્રદર્શન સારું રહ્યું નથી. તે 3 મેચમાં માત્ર 5 રન જ બનાવી શક્યો છે. હવે ટીમ ઈન્ડિયા કેનેડા સામે આ ખેલાડી પાસેથી શાનદાર ઈનિંગની અપેક્ષા રાખશે. પણ જો આમ નહીં થાય તો કોહલીના નામે એક અનિચ્છનીય રેકોર્ડ બની જશે.

T20 World Cup 2024 : જો વિરાટ કોહલી કેનેડા સામે નિષ્ફળ જશે તો શિખર ધવનના ખાસ રેકોર્ડની બરાબરી કરશે
Virat Kohli
| Updated on: Jun 14, 2024 | 6:50 PM
Share

T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, રોહિત એન્ડ કંપની સતત ત્રણ મેચ જીતીને સુપર 8માં પહોંચી ગઈ છે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે ટેન્શનની વાત એ છે કે તેનો સૌથી મોટો બેટ્સમેન વિરાટ કોહલી અત્યાર સુધી કંઈ કરી શક્યો નથી. વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં 3 મેચમાં માત્ર 5 રન બનાવ્યા છે. અમેરિકા સામે વિરાટ કોહલી પ્રથમ બોલ પર આઉટ થયો હતો. જો વિરાટ કોહલી કેનેડા સામે પણ નિષ્ફળ જશે તો તેના નામે ખૂબ જ અનિચ્છનીય રેકોર્ડ નોંધાઈ જશે.

વિરાટ કોહલી સતત ત્રણ મેચમાં રહ્યો નિષ્ફળ

વિરાટ કોહલી પાસે કેનેડા સામે ફોર્મમાં પરત ફરવાની તક છે. આ વખતે મેચ ફ્લોરિડામાં છે જ્યાં ન્યૂયોર્ક કરતાં બેટિંગ સરળ છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી પાસેથી આશા છે. પરંતુ ક્રિકેટમાં કંઈ પણ નિશ્ચિત નથી અને જો વિરાટ ફરી એકવાર નિષ્ફળ જશે તો તે એક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

4 ઈનિંગ્સમાં સિંગલ ફિગર પર થયો આઉટ

વાસ્તવમાં T20 વર્લ્ડ કપમાં શિખર ધવન સતત ચાર વખત સિંગલ ફિગર પર આઉટ થયો છે. હવે વિરાટ તેની બરાબરી કરી શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સતત 4 ઈનિંગ્સમાં સિંગલ ફિગર પર આઉટ થયા બાદ ધવનના 8 રન હતા અને વિરાટના હાલમાં માત્ર 5 રન છે. વિરાટ જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે જોતા લાગે છે કે ધવનનો રેકોર્ડ તૂટી શકે છે.

ટીમ ઈન્ડિયાને વિરાટ પાસેથી મોટી ઈનિંગની આશા

વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટમાં ઓપનિંગ કરી રહ્યો છે અને કદાચ આ કારણે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ હજુ પણ તેને ઓપનિંગમાં જ મેદાનમાં ઉતારશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આશા છે કે વિરાટ કોહલી સદી ફટકારીને જલ્દી વાપસી કરશે. શિવમ દુબેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બધા જાણે છે કે વિરાટ મહાન ખેલાડી અને તેના બેટથી જલ્દી મોટી ઈનિંગ્સ આવશે.

આ પણ વાંચો : ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનની આખી ટીમ સામે જેલમાં જવાનું જોખમ, લાગ્યો દેશદ્રોહનો ગુનો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">