T20 World Cup 2024 : જો વિરાટ કોહલી કેનેડા સામે નિષ્ફળ જશે તો શિખર ધવનના ખાસ રેકોર્ડની બરાબરી કરશે

T20 વર્લ્ડ કપ 2024માં વિરાટ કોહલીનું પ્રદર્શન સારું રહ્યું નથી. તે 3 મેચમાં માત્ર 5 રન જ બનાવી શક્યો છે. હવે ટીમ ઈન્ડિયા કેનેડા સામે આ ખેલાડી પાસેથી શાનદાર ઈનિંગની અપેક્ષા રાખશે. પણ જો આમ નહીં થાય તો કોહલીના નામે એક અનિચ્છનીય રેકોર્ડ બની જશે.

T20 World Cup 2024 : જો વિરાટ કોહલી કેનેડા સામે નિષ્ફળ જશે તો શિખર ધવનના ખાસ રેકોર્ડની બરાબરી કરશે
Virat Kohli
Follow Us:
| Updated on: Jun 14, 2024 | 6:50 PM

T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, રોહિત એન્ડ કંપની સતત ત્રણ મેચ જીતીને સુપર 8માં પહોંચી ગઈ છે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે ટેન્શનની વાત એ છે કે તેનો સૌથી મોટો બેટ્સમેન વિરાટ કોહલી અત્યાર સુધી કંઈ કરી શક્યો નથી. વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં 3 મેચમાં માત્ર 5 રન બનાવ્યા છે. અમેરિકા સામે વિરાટ કોહલી પ્રથમ બોલ પર આઉટ થયો હતો. જો વિરાટ કોહલી કેનેડા સામે પણ નિષ્ફળ જશે તો તેના નામે ખૂબ જ અનિચ્છનીય રેકોર્ડ નોંધાઈ જશે.

વિરાટ કોહલી સતત ત્રણ મેચમાં રહ્યો નિષ્ફળ

વિરાટ કોહલી પાસે કેનેડા સામે ફોર્મમાં પરત ફરવાની તક છે. આ વખતે મેચ ફ્લોરિડામાં છે જ્યાં ન્યૂયોર્ક કરતાં બેટિંગ સરળ છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી પાસેથી આશા છે. પરંતુ ક્રિકેટમાં કંઈ પણ નિશ્ચિત નથી અને જો વિરાટ ફરી એકવાર નિષ્ફળ જશે તો તે એક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

4 ઈનિંગ્સમાં સિંગલ ફિગર પર થયો આઉટ

વાસ્તવમાં T20 વર્લ્ડ કપમાં શિખર ધવન સતત ચાર વખત સિંગલ ફિગર પર આઉટ થયો છે. હવે વિરાટ તેની બરાબરી કરી શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સતત 4 ઈનિંગ્સમાં સિંગલ ફિગર પર આઉટ થયા બાદ ધવનના 8 રન હતા અને વિરાટના હાલમાં માત્ર 5 રન છે. વિરાટ જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે જોતા લાગે છે કે ધવનનો રેકોર્ડ તૂટી શકે છે.

Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ

ટીમ ઈન્ડિયાને વિરાટ પાસેથી મોટી ઈનિંગની આશા

વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટમાં ઓપનિંગ કરી રહ્યો છે અને કદાચ આ કારણે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ હજુ પણ તેને ઓપનિંગમાં જ મેદાનમાં ઉતારશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આશા છે કે વિરાટ કોહલી સદી ફટકારીને જલ્દી વાપસી કરશે. શિવમ દુબેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બધા જાણે છે કે વિરાટ મહાન ખેલાડી અને તેના બેટથી જલ્દી મોટી ઈનિંગ્સ આવશે.

આ પણ વાંચો : ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનની આખી ટીમ સામે જેલમાં જવાનું જોખમ, લાગ્યો દેશદ્રોહનો ગુનો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">