હાર પર હાર મેળવતા પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, અમ્પાયર પાસે કરાવાશે ટીમની પસંદગી

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નવી પસંદગી સમિતિની જાહેરાત કરી છે. આ પસંદગી સમિતિમાં અમ્પાયરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નવી પસંદગી સમિતિમાં કુલ 5 સભ્યોને સ્થાન મળ્યું છે.

હાર પર હાર મેળવતા પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, અમ્પાયર પાસે કરાવાશે ટીમની પસંદગી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2024 | 3:22 PM

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક નિર્ણયથી પાક ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં એક દાવ અને 47 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય કર્યો છે. હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે નવી પસંદગી સમિતિની જાહેરાત કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આ પસંદગી સમિતિમાં એક અમ્પાયરને પણ સામેલ કરવામાં આવ્યા છે.

PCBએ કરી નવી પસંદગી સમિતિની જાહેરાત

ODI વર્લ્ડ કપ 2023માંથી પાકિસ્તાનની ટીમમાં રાજીનામા ધરવાનો ક્રમ સતત ચાલી રહ્યો છે. તાજેતરમાં જ મોહમ્મદ યુસુફે પસંદગી સમિતિમાંથી બહાર જવાનો નિર્ણય લીધો છે. તે સમયે પીસીબીએ તેના બદલે નવા કોઈ સભ્યના નામની જાહેરાત કરી ન હતી. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ સામેની શરમજનક હાર બાદ પીસીબીએ પસંદગી સમિતિમાં ઘણા મોટા ફેરફાર કર્યા છે. હવે નવી પસંદગી સમિતિમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમ્પાયરિંગ કરનાર અલીમ દાર, આકિબ જાવેદ, અસદ શફીક, અઝહર અલી અને હસન ચીમાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અગાઉ પસંદગી સમિતિમાં અસદ શફીક અને હસન ચીમાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે આ કમિટીમાં અલીમ દાર, આકિબ જાવેદ અને અઝહર અલીને સ્થાન મળ્યું છે. અલીમ દાર આઈસીસીના ભૂતપૂર્વ એલિટ અમ્પાયર છે. તેણે લગભગ 19 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમ્પાયરિંગ કર્યું હતું. જ્યારે, અલીમ દારે તાજેતરમાં ઘરેલુ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી.

સદીઓની આ રેસમાં સચિન-વિરાટ પણ જો રૂટથી પાછળ
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને મળી પોલીસમાં નોકરી, બન્યો DSP
પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ?
નવરાત્રીમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક હોય છે હટકે, જુઓ ફોટો
રોજ રાત્રે પગ તૂટે છે તો આ વિટામીનની હોઈ શકે કમી
Money Saving Tips : આ ટીપ્સ દ્વારા બાળકોને પૈસાનું મહત્વ શીખવો

400 થી વધુ મેચમાં અમ્પાયર

અલીમ દારે રેકોર્ડ 435 આંતરરાષ્ટ્રીય પુરુષોની મેચોમાં અમ્પાયરની ભૂમિકા ભજવી હતી. જ્યારે, તેની અમ્પાયરિંગ કારકિર્દી દરમિયાન, અલીમ દારે ત્રણ વખત ડેવિડ શેફર્ડ ટ્રોફી જીતી હતી. તે 2007 અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં અમ્પાયર પણ હતો. તમને જણાવી દઈએ કે, અલીમ દાર પાકિસ્તાન માટે ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમી ચુક્યા છે. દારે 1986-98 દરમિયાન 17 ફર્સ્ટ ક્લાસ મેચ અને 18 લિસ્ટ A મેચ રમી હતી. આ પછી તેણે અમ્પાયરિંગમાં પોતાની કારકિર્દી બનાવી.

પાકિસ્તાન ક્રિકેટ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે

છેલ્લા કેટલાક વર્ષો પાકિસ્તાન ક્રિકેટ માટે ખૂબ જ ખરાબ રહ્યા છે. મોટી ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ સતત ફ્લોપ થઈ રહી છે. હવે પાકિસ્તાનની ટીમ ડોમેસ્ટિક મેચોમાં પણ જીતી રહી નથી. પાકિસ્તાન 1341 દિવસથી ઘરઆંગણે એકપણ ટેસ્ટ મેચ જીત્યું નથી. જ્યારે, તે 2023 ODI વર્લ્ડ કપ અને 2024 T20 વર્લ્ડ કપમાં પણ ગ્રુપ સ્ટેજમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. આવી સ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટમાં સતત બદલાવ જોવા મળી રહ્યા છે, પરંતુ તેમની રમતમાં કોઈ ફેરફાર થયો નથી.

તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
g clip-path="url(#clip0_868_265)">