AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terror Attack : પાકિસ્તાની ક્રિકેટરને આતંકવાદી હુમલામાં પોતાના દેશની સંડોવણીની શંકા, કહ્યું પાકિસ્તાનને શરમ આવવી જોઈએ

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના એક ક્રિકેટરે પોતાના દેશ પર જ સવાલો ઉઠાવ્યા છે. પોતાના દેશને આ મામલે સવાલો પણ પુછ્યા છે. સાથે કહ્યું પાકિસ્તાન જો આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. તો તેને શરમ આવવી જોઈએ.

Pahalgam Terror Attack  : પાકિસ્તાની ક્રિકેટરને આતંકવાદી હુમલામાં પોતાના દેશની સંડોવણીની શંકા, કહ્યું પાકિસ્તાનને શરમ આવવી જોઈએ
| Updated on: Apr 24, 2025 | 12:08 PM
Share

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દુનિયાની હચમચાવી નાંખી છે. ચારેબાજુ આ આતંકવાદી હુમલાની ચર્ચા થઈ રહી છે.આ આંતકવાદી હુમલામાં કુલ 28 લોકોના મૃત્યું થયા છે. ત્યારબાદ સમગ્ર ભારતમાં ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, પાકિસ્તાનમાં, હિન્દુ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પાછળ પોતાના દેશનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી છે.

તેમણે સોશિયલ મીડિયા પર પહેલગામ આતંકવાદી હુમલા વિશે લખતા કહ્યું કે, જોપાકિસ્તાન તેના આંતકવાદીઓને આશ્રયસ્થાન આપી રહ્યું છે. આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે તો.આવું કરતા પહેલા તેમને શરમ આવવી જોઈએ.

દાનિશ કનેરિયાને પાકિસ્તાન પર શંકા!

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી એક્શન શરુ થઈ ચૂક્યું છે. ડિપ્લોમેટિક ફ્રંટ પર ભારત સરકારે અનેક મોટા નિર્ણયો લીધા છે. જેમાં પાકિસ્તાનને નુકસાન પહોંચી શકે છે. આ વચ્ચે દુનિયાના તમામ દેશો અને મોટા નેતાઓ પહેલગામ હુમલાની નિંદા કરી રહ્યા છે અને ભારત સાથે ઉભા રહેવાની વાત કરી રહ્યા છે.

સંબંધો સુધારવાની ખાલી વાતો કરી રહેલા પાકિસ્તાન તરફથી કોઈપણ પ્રકારના નિવેદનો સાંભળવામાં કે વાંચવામાં આવ્યા નથી. પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ આ અંગે પોતાના દેશના ઇરાદા પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

પાકિસ્તાનને આવું કરતા શરમ આવવી જોઈએ

પાકિસ્તાનના હિંદુ ક્રિકેટર દાનિશ કાનેરિયાએ પોતાના દેશ પર શંકા કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, જો પાકિસ્તાનનો ખરેખર પહેલગામ આતંકી હુમલામાં હાથ નથી. તો પછી અમારા પ્રધાનમંત્રી શહબાઝ શરીફે આ મામલે ચિંતા કેમ વ્યક્ત કરી નહી? કેમ સેનાને અચાનક હાઈ અલર્ટ પર રહેવાનું કહ્યું છે? આવું એટલા માટે કારણ કે, તે સત્ય જાણે છે.

તેમણે આગળ લખ્યું જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય અને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. તો તેને શરમ આવવી જોઈએ. દાનિશ કાનેરિયાએ પાકિસ્તાન માટે 61 ટેસ્ટ અને 18 વનડે રમી છે. આ દરમિયાન તેમણે 276 વિકેટ પોતાને નામ લીધી છે.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. પાકિસ્તાનના વધુ સમાચાર જોવા માટે અહી ક્લકિ કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">