AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોહલી વિશે પાકિસ્તાની ખેલાડીનું ચોંકાવનારું નિવેદન, વિરાટ પર લગાવ્યો ગંભીર આરોપ

વિરાટ કોહલી એવો ખેલાડી છે જેણે વર્તમાન યુગમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે અને ટીમ ઈન્ડિયા માટે અસંખ્ય મેચો જીતી છે. પરંતુ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હાફીઝે તેના પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે વિરાટ કોહલી તેની સદી માટે ઘણા બોલ બગાડે છે.

કોહલી વિશે પાકિસ્તાની ખેલાડીનું ચોંકાવનારું નિવેદન, વિરાટ પર લગાવ્યો ગંભીર આરોપ
Virat Kohli
Follow Us:
| Updated on: Jun 20, 2024 | 7:56 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 80 સદી ફટકારનાર વિરાટ કોહલીને વિશ્વ સલામ કરે છે. વિરાટ કોહલી જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે એવું લાગે છે કે આ ખેલાડી સદી ફટકારીને જ રહેશે. વિરાટની આ ભૂખ તેને વર્તમાન યુગનો ટોચનો બેટ્સમેન બનાવે છે. જોકે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હાફીઝનું માનવું કંઈક બીજું છે. હાફિઝે વિરાટ કોહલી પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉઠાવ્યું છે અને કહ્યું છે કે આ ખેલાડી પોતાની સદી પૂરી કરવા માટે ધીરે ધીરે રમે છે.

મોહમ્મદ હફીઝે શું કહ્યું?

વિરાટ કોહલીએ પોડકાસ્ટમાં કહ્યું, ‘કોઈ પણ બેટિંગ કરી રહ્યું હોય, ત્યારે તેનો ઈરાદો હંમેશા ટીમને જીતાડવાનો હોવો જોઈએ. પરંતુ જો કોઈ ખેલાડી 90ના સ્કોર સુધી પહોંચ્યા પછી તેના મોટા શોટ્સ રોકતો હોય તો તે મને ખોટું લાગે છે. જો કોઈ ખેલાડી 95ના સ્કોર પર સદી સુધી પહોંચવા માટે 5 બોલ લેતો હોય અને સદી પછી તરત જ તેનો ઈરાદો બદલાઈ જાય, તો તેણે 95ના સ્કોર પર આ જ શોટ કેમ ન રમ્યો? વિરાટ કોહલી અંતિમ મેચમાં તેની સદી સુધી પહોંચવા માટે ઘણા બોલ રમ્યો મોટા શોટ ન રમ્યો.

સૂર્યાસ્ત પછી શિવલિંગ પર જળ કેમ ન ચઢાવવું જોઈએ ? જાણો કારણ
Vastu Tips : રસોડામાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવી ખૂબ જરૂરી, જાણો કેવી રીતે ?
મેટ્રોમાં ઘૂસ્યા પૂરના પાણી, સ્ટેશન ડૂબ્યું, ન્યુયોર્કના બેહાલ , જુઓ Video
Richest City Of Gujarat : ગુજરાતના આ જિલ્લામાં રહે છે અબજોપતિઓ, જાણો નામ અને વિશેષતા
₹ 17,17,11,800 ની માલકિન 'કિંગ ખાન'ના છોકરાની ગર્લફ્રેન્ડ !
Arthritis ના દર્દીઓએ શું ન ખાવું જોઈએ?

બાબર આઝમ પર ઉઠાવ્યા સવાલ

મોહમ્મદ હફીઝે ઘણા મોટા બેટ્સમેનો સામે આવી વાતો કહી છે. તાજેતરમાં જ તેણે બાબર આઝમ વિરુદ્ધ નિવેદન પણ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે જ્યારે ખેલાડીઓ પોતાના રેકોર્ડ માટે રમવાનું બંધ કરશે ત્યારે જ પાકિસ્તાન ટીમનું કંઈક થશે. તેણે આરોપ લગાવ્યો હતો કે ઘણા પાકિસ્તાની ક્રિકેટરો ટીમને બદલે પોતાના માટે રમે છે. જો કે, વિરાટ કોહલી વિરુદ્ધ આ પ્રકારની વાતો કરવી ખૂબ જ વિચિત્ર છે કારણ કે તેની 80 આંતરરાષ્ટ્રીય સદી દરમિયાન, વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે મોટાભાગની મેચો જીતી છે. ભાગ્યે જ એવું બન્યું છે કે જ્યારે વિરાટે સદી ફટકારી હોય અને ટીમ મેચ હારી હોય.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ પછી પણ ટીમ ઈન્ડિયાને આરામ નથી, 3 હોમ શ્રેણીનું શેડ્યૂલ BCCIએ કર્યું જાહેર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">