IPL Breaking News: ગુજરાત ટાઇટન્સ સામેની મેચ પહેલા SRH માટે ખરાબ સમાચાર, મેચ વિજેતા ખેલાડી IPL 2024માંથી થયો બહાર

|

Mar 31, 2024 | 3:34 PM

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને IPLની 17મી સિઝન પહેલા ગુજરાત ટાઇટન્સ સામેની મેચ પહેલા આ ખેલાડીના રૂપમાં મોટો ફટકો પડ્યો છે, જે ડાબી એડીની ઇજાથી ઝઝૂમી રહ્યો હતો. હવે તે IPLની આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 1 કરોડ 50 લાખ રૂપિયાની મૂળ કિંમતમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

IPL Breaking News: ગુજરાત ટાઇટન્સ સામેની મેચ પહેલા SRH માટે ખરાબ સમાચાર, મેચ વિજેતા ખેલાડી IPL 2024માંથી થયો બહાર

Follow us on

આઈપીએલની 17મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને સ્ટાર સ્પિનર ​​વાનિંદુ હસરંગાના રૂપમાં મોટો ફટકો પડ્યો છે, જે ડાબી એડીની ઈજાને કારણે અત્યાર સુધી ટીમ સાથે જોડાઈ શક્યો નથી.

હસરંગાને લઈને શ્રીલંકા ક્રિકેટના સીઈઓ એશ્લે ડી સિલ્વાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તેને આઈપીએલની આ આખી સિઝનથી બહાર રહેશે . સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આ એક મોટો ફટકો માનવામાં આવે છે કારણ કે હસરંગા ટીમની વ્યૂહરચનાનો એક મોટો ભાગ હતો, જે નીચલા ક્રમમાં રન બનાવવાની સાથે સાથે તેની સ્પિન બોલિંગથી વિકેટ પણ લઈ શકતો હતો.

વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો

T20 વર્લ્ડ કપ જૂન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા યોજાશે, જે IPLની 17મી સિઝનના અંત પછી શરૂ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હસરંગાને સંપૂર્ણ રીતે ફિટ રાખવા માટે શ્રીલંકા ક્રિકેટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક ખાનગી પોર્ટલને આપેલા પોતાના નિવેદનમાં શ્રીલંકા ક્રિકેટના સીઈઓએ કહ્યું કે હસરંગાની એડીમાં સોજો આવી ગયો હતો અને ઈન્જેક્શન લીધા પછી તે રમી રહ્યો હતો, તેથી જ તેણે વર્લ્ડ કપ પહેલા તેની દુખાવાને દૂર કરવાનો નિર્ણય લીધો હતો.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

અમને એવી જાણકારી મળી છે કે તે આ વર્ષ માટે IPLની 17મી સિઝન રમવા માટે સક્ષમ નહીં હોય. તમને જણાવી દઈએ કે વાનિન્દુ હસરંગા દુબઈ જઈને પોતાની હીલ્સ બતાવશે અને ત્યા તે એક્સપર્ટનો ઓપિનિયન લેશે.

હસરંગાને સનરાઇઝર્સ હૈદરાબાદે 1.50 કરોડ રૂપિયામાં લીધો હતો

શ્રીલંકા T20 ટીમના કેપ્ટન વાનિન્દુ હસરંગા આ IPL સિઝનમાં ખેલાડીઓની હરાજી પ્રક્રિયાનો એક ભાગ હતો, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 1 કરોડ 50 લાખ રૂપિયાની મૂળ કિંમતમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

રિપ્લેસમેન્ટ પ્લેયરના નામની જાહેરાત કરશે

અગાઉની બે સિઝનમાં હસરંગા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ તરફથી રમ્યો હતો, જેમાં બોલ સાથે તેનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. હસરંગાના સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ ક્યારે રિપ્લેસમેન્ટ પ્લેયરના નામની જાહેરાત કરશે તેના પર હવે બધાની નજર છે.

આ પણ વાંચો: IPL 2024 : આજે રમાશે ડબલ હેડર મેચ, અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત અને હૈદરાબાદનો જંગ

Published On - 3:23 pm, Sun, 31 March 24

Next Article