AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4,4,4,4,4… સાઈ સુદર્શને મોહમ્મદ શમીની ઓવરમાં 5 ચોગ્ગા ફટકાર્યા, સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ પણ તોડ્યો

સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સના ઓપનર સાઈ સુદર્શને ફરી એકવાર શાનદાર બેટિંગ કરી અને ટીમને તોફાની શરૂઆત અપાવી. જોકે, તે પોતાની અડધી સદીની નજીક આઉટ થઈ ગયો. જો કે તેણે શમીની એક ઓવરમાં પાંચ ચોગ્ગા ફટકારી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.

4,4,4,4,4… સાઈ સુદર્શને મોહમ્મદ શમીની ઓવરમાં 5 ચોગ્ગા ફટકાર્યા, સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ પણ તોડ્યો
Sai SudharsanImage Credit source: PTI
| Updated on: May 02, 2025 | 9:00 PM
Share

ગુજરાત ટાઈટન્સના યુવા ઓપનર સાઈ સુદર્શનને રોકવો મુશ્કેલ તો છે છે. પણ હવે તેની વિકેટ લેવી અશક્ય લાગે છે. IPL 2025માં સતત રન બનાવી રહેલા ડાબોડી બેટ્સમેન સાઈ સુદર્શને અત્યાર સુધીની પોતાની સૌથી વિસ્ફોટક શૈલી બતાવી અને અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને ખરાબ રીતે ફટકરાયો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં સુદર્શને શમીની ઓવરમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે સુદર્શને T20 ક્રિકેટમાં 2000 રન પૂરા કરીને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

સાઈ સુદર્શનની આક્રમક બેટિંગ

શુક્રવાર, 2 મેના રોજ અમદાવાદમાં રમાયેલી મેચમાં, યજમાન ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરી અને આ સિઝનમાં ચાલી રહેલા વલણને ચાલુ રાખીને, ફરી એકવાર તોફાની શરૂઆત કરી હતી. ફરી એકવાર, કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને અડધી સદીની ભાગીદારી કરીને ટીમ માટે શાનદાર શરૂઆત કરી હતી. બંને બેટ્સમેન આક્રમક બેટિંગ કરી રહ્યા હતા પરંતુ સુદર્શનનું બેટ વધુ આગ લગાવી રહ્યું હતું અને મોહમ્મદ શમી તેનો શિકાર બન્યો હતો.

શમી અને હર્ષલને જોરદાર ફટકાર્યા

આ બધું ઈનિંગની ત્રીજી ઓવરમાં થયું, જ્યારે મોહમ્મદ શમી બીજી વખત બોલિંગ કરવા આવ્યો. સુદર્શને પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. જોકે શમીએ તેને આગલા બોલ પર કોઈ રન આપ્યો નહીં પરંતુ તે પછી તે સુદર્શનને રોકી શક્યો નહીં. 22 વર્ષીય બેટ્સમેને આગામી ચાર બોલ પર સતત ચાર ચોગ્ગા ફટકારીને શમીને પછાડ્યો હતો. એકંદરે, સુદર્શને આ ઓવરમાં 5 ચોગ્ગા ફટકાર્યા અને ટીમને એક શાનદાર સ્થિતિમાં પહોંચાડી દીધી. શમી બાદ સુદર્શને પાંચમી ઓવરમાં હર્ષલ પટેલને નિશાન બનાવ્યો હતો. સુદર્શને હર્ષલના ઓવરની શરૂઆત ચોગ્ગાથી કરી અને પછી છેલ્લા 3 બોલમાં સતત ચોગ્ગા ફટકાર્યા હતા.

બે રન માટે અર્ધ સદી ચૂકી ગયો

એકંદરે, પાવરપ્લેમાં જ, સુદર્શને માત્ર 20 બોલમાં 45 રન બનાવ્યા, જેની મદદથી ગુજરાતે 82 રન બનાવ્યા હતા. જોકે, તે પોતાની અડધી સદી પૂર્ણ કરી શક્યો નહીં અને પાવરપ્લે પછી 48 રન બનાવીને આઉટ થયો. પરંતુ આ દરમિયાન સુદર્શને કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા. સુદર્શને IPLની માત્ર 35 ઈનિંગ્સમાં 1500 રન પૂરા કર્યા અને આ રીતે સૌથી ઓછી ઈનિંગ્સમાં આ સીમાચિહ્ન સુધી પહોંચનાર બેટ્સમેન બન્યો હતો.

સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

આ ઉપરાંત સાઈ સુદર્શને સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો હતો. સુદર્શને તેની કારકિર્દીની 54મી ઈનિંગમાં 2000 T20 રન પૂરા કર્યા. આ રીતે તે આવું કરનાર સૌથી ઝડપી ભારતીય બન્યો હતો. તેણે સચિન તેંડુલકરને ​​પાછળ છોડી દીધો હતો, જેમણે 59 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

આ પણ વાંચો: IND vs BAN : પાકિસ્તાન પહેલા બાંગ્લાદેશ પર ભારતની કાર્યવાહી, ટીમ ઈન્ડિયા ODI-T20 શ્રેણી નહીં રમે !

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">