AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN : પાકિસ્તાન પહેલા બાંગ્લાદેશ પર ભારતની કાર્યવાહી, ટીમ ઈન્ડિયા ODI-T20 શ્રેણી નહીં રમે !

પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે અને તેની ક્રિકેટ પર અસર પડશે તે નિશ્ચિત છે. પરંતુ બાંગ્લાદેશ સાથેની પરિસ્થિતિ પણ હાલમાં નાજુક છે અને આવી સ્થિતિમાં ભારત-બાંગ્લાદેશ શ્રેણી પણ જોખમમાં છે.

IND vs BAN : પાકિસ્તાન પહેલા બાંગ્લાદેશ પર ભારતની કાર્યવાહી, ટીમ ઈન્ડિયા ODI-T20 શ્રેણી નહીં રમે !
India vs BangladeshImage Credit source: Getty Images
| Updated on: May 02, 2025 | 6:00 PM
Share

IPL 2025 પછી ટીમ ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વ્યસ્ત રહેશે. ભારતીય ટીમને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે, જ્યાં ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ પછી, બાંગ્લાદેશનો પ્રવાસ સુનિશ્ચિત થયેલ છે, જેમાં ODI અને T20 શ્રેણીનું આયોજન કરવામાં આવશે. પરંતુ હવે આ પ્રવાસ પર ખતરો મંડરાઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પ્રવાસનો બહિષ્કાર થઈ શકે છે અને આ શ્રેણી રદ્દ થઈ શકે છે. આનું કારણ બાંગ્લાદેશ તરફથી તાજેતરના આક્રમક અને ભારત વિરોધી નિવેદનો માનવામાં આવે છે.

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ODI-T20 શ્રેણી

હાલના દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સૌથી ખરાબ તબક્કામાં છે. પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે યુધ્ધની સ્થિતિ ઉભી થઈ છે. આવા સમયે, ભારત-પાકિસ્તાન ક્રિકેટની સતત ચર્ચા થઈ રહી છે અને એવું માનવામાં આવે છે કે હવે ભારતીય ટીમ ICC ઈવેન્ટ્સ અથવા એશિયા કપ જેવી ટુર્નામેન્ટમાં પણ પાકિસ્તાન સાથે રમવાનો ઈનકાર કરી શકે છે. પરંતુ માત્ર ભારત-પાકિસ્તાન જ નહીં, ભારત-બાંગ્લાદેશ વચ્ચે પણ હાલ પરિસ્થિતિ સારી નથી અને તે બંને દેશોના ક્રિકેટને અસર કરી શકે છે.

બાંગ્લાદેશના નિવેદનોથી ભારત નાખુશ

હકીકતમાં, ગયા વર્ષે થયેલા બળવા પછી બાંગ્લાદેશમાં અશાંતિનો માહોલ છે. હિન્દુ લઘુમતીઓ પર થતા અત્યાચારોને કારણે ભારતમાં પણ બાંગ્લાદેશ વિરુદ્ધ વાતાવરણ છે. આમ છતાં બાંગ્લાદેશની ટીમ ગયા વર્ષે ભારતની મુલાકાતે આવી હતી, જે બાદ બંને ટીમો આ વર્ષે ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ટકરાઈ હતી. પરંતુ થોડા દિવસો પહેલા જ બાંગ્લાદેશ સરકારના નજીકના એક ભૂતપૂર્વ લશ્કરી અધિકારીએ ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો પર કબજો કરવા અંગે નિવેદન આપીને તણાવ વધાર્યો હતો, જેના પર ભારત સરકારે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી.

બાંગ્લાદેશ પ્રવાસ રદ્દ થઈ શકે છે

તેની અસર હવે ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ પર જોવા મળી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં સૂત્રોના હવાલેથી દાવો કરવામાં આવ્યો છે કે બાંગ્લાદેશ પ્રવાસ ચોક્કસપણે ટીમ ઈન્ડિયાના કેલેન્ડરનો એક ભાગ છે, પરંતુ તેના પર હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સૂત્રોના હવાલેથી એવું પણ કહેવામાં આવ્યું છે કે હાલના સંજોગોને જોતા ટીમ ઈન્ડિયા આ પ્રવાસ માટે બાંગ્લાદેશ ન જાય તેવી પ્રબળ શક્યતા છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ODI અને T20 શ્રેણી રમવાની છે.

આ પણ વાંચો: પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીના આતંકવાદી ભાઈને BSF એ મારી નાખ્યો હતો, ભારત પ્રત્યે નફરત પાછળનું આ છે અસલી કારણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
g clip-path="url(#clip0_868_265)">