AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs MI : વરસાદે નીતા અંબાણીની ચિંતા વધારી, મુંબઈ ઈન્ડિયન્સના માલિક આ કારણે થયા પરેશાન

પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ યોજાઈ હતી, પરંતુ ટોસ થયા પછી તરત જ વરસાદ શરૂ થઈ ગયો, જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીની ચિંતા વધી ગઈ. જાણો કેમ.

PBKS vs MI : વરસાદે નીતા અંબાણીની ચિંતા વધારી, મુંબઈ ઈન્ડિયન્સના માલિક આ કારણે થયા પરેશાન
Akash & Nita AmbaniImage Credit source: Getty Images
Follow Us:
| Updated on: Jun 01, 2025 | 10:30 PM

રવિવાર, 1 જૂનના રોજ, મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમો અમદાવાદના મેદાન પર રમવા આવી, પરંતુ ટોસ પછી તરત જ ભારે વરસાદ શરૂ થયો. જેના કારણે બંને ટીમોને ડ્રેસિંગ રૂમમાં પાછા ફરવું પડ્યું. આ દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી અને આકાશ અંબાણી થોડા ચિંતિત દેખાઈ રહ્યા હતા. જો આ મેચ નહીં થાય તો મુંબઈ ઈન્ડિયન્સને સૌથી મોટું નુકસાન થશે. કદાચ એટલે જ આ બંને લોકોના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી.

મેચ રદ થશે તો MIને મોટું નુકસાન

જો ક્વોલિફાયર-2 મેચ વરસાદને કારણે રદ થાય છે, તો મુંબઈ ઈન્ડિયન્સનું ફાઈનલમાં પહોંચવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ શકે છે, કારણ કે પંજાબ કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી. આના કારણે પંજાબ ને ફાયદો થશે અને તે ફાઈનલમાં પહોંચશે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં ક્વોલિફાયર રમ્યા વિના જ બહાર થઈ જશે. ક્વોલિફાયર-1 માં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 20 રનથી હરાવીને ક્વોલિફાયર-2 માં સ્થાન મેળવ્યું હતું.

પંજાબ કિંગ્સ 11 વર્ષ પછી પ્લેઓફમાં પહોંચ્યું

પંજાબ કિંગ્સ 11 વર્ષ પછી પ્લેઓફમાં પહોંચ્યું છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ, ટીમે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. પંજાબ કિંગ્સ પોતાના પહેલા ખિતાબ માટે સખત મહેનત કરી રહી છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ વખતે છઠ્ઠો ખિતાબ જીતવા માટે પરસેવો પાડી રહી છે. જો વરસાદને કારણે મેચ રદ થાય છે, તો મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી બધી મહેનત વ્યર્થ જશે.

વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

મુંબઈ ઈન્ડિયન્સનું જોરદાર કમબેક

મુંબઈ ઈન્ડિયન્સની સિઝનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને MI તેની પહેલી બે મેચ હારી ગયું, પરંતુ જે રીતે કમબેક કર્યું તેનાથી બધાને આશ્ચર્ય થયું. એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કર્યું અને ગુજરાત ટાઈટન્સને બહારનો રસ્તો બતાવ્યો.

આ પણ વાંચો: PBKS vs MI : વરસાદને કારણે મેચ શરૂ ન થઈ, હવે આ નિયમોનું પાલન કરવામાં આવશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">