કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને ક્વોલિફાયમાં હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ચોથી વખત કેકેઆરની ટીમ ફાઈનલમાં પહોંચી છે. હવે આઈપીએલ 2024ની ફાઈનલ 26 મેના રોજ રમાશે.તમને જણાવી દઈએ કે, ટીમના માલિક શાહરુખ ખાન પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમની મેચ જોવા પહોંચ્યા હતા. બોલિવુડ સ્ટાર દિકરી અને દિકરા સાથે મેચ જોવા અમદાવાદ આવ્યા હતા.
કેકેઆરની જીત બાદ શાહરુખ ખાને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ચકકર લગાવી ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો, પરંતુ આ દરમિયાન સ્ટારથી એક ભૂલ થઈ હતી. આ ભૂલ એ હતી કે, એક શો ચાલી રહ્યો હતો. જેમાં શાહરુખ ખાને ભૂલથી એન્ટ્રી કરી પરંતુ તરત જ કોમેન્ટર આકાશ ચોપરા, સુરેશ રૈના અને પાર્થિવ પટેલની માફી પણ માંગી હતી.
Shah Rukh Khan warmly greeted Suresh Raina, Parthiv Patel and Aakash Chopra and said sorry because he couldn’t see them earlier. How can you not love him #ShahRukhKhan #SureshRaina #ParthivPatel #AakashChopra #KKRvsSRH #Kolkota #KKR pic.twitter.com/ByYsn9WiZ5
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) May 21, 2024
શાહરુખ ખાને કહ્યું મારી ભૂલ છે કે, હું શોની વચ્ચે આવી ગયો, આના માટે હું માફી માંગુ છુ. શાહરુખ ખાનની આ વાતે ચાહકોનું દિલ જીતી લીધું છે. તમને જણાવી દઈએ કે, કેકેઆર 2012 અને 2014માં આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ત્યારે પણ કેકેઆરનો ખિતાબ જીત્યો ત્યારે ગૌતમ ગંભીર ટીમના માલિક હતા. આ વખતે ગંભીર મેન્ટર છે. એવું કહી શકાય કે, ગૌતમ ગંભીરના કારણે કેકેઆરની ટીમ ફાઈનલ સુધી પહોંચી શકી છે. હવે એ જોવાનું રહેશે કે, કેકેઆરની ટીમ ખિતાબ જીતે છે કે કેમ.
આ પણ વાંચો : IPL 2024માં આજે અમદાવાદમાં વધુ એક એલિમિનેટર મેચ, એક ટીમ OUT થશે
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો