IPL 2024: મારી પત્નીએ પણ મને આમ કહ્યું નથી… RCBનો સામનો કરતા પહેલા ગૌતમ ગંભીરે આ શું કહ્યું?

IPL 2024ની 36મી મેચમાં રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટકરાશે અને આ મેચ પહેલા ગૌતમ ગંભીરનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જે તેના ફેન્સની સાથે-સાથે કોલકાતા નાઈટ રાઈડર્સના ફેન્સને પણ ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ગૌતમ તેની સરનેમ પ્રમાણે ખૂબ જ 'ગંભીર' સ્વભાવનો છે પરંતુ આ વખતે તે તેની સ્માઈલ અંગે વાત કરતા હસતો જોવા મળ્યો હતો.

IPL 2024: મારી પત્નીએ પણ મને આમ કહ્યું નથી... RCBનો સામનો કરતા પહેલા ગૌતમ ગંભીરે આ શું કહ્યું?
Gautam Gambhir
Follow Us:
| Updated on: Apr 19, 2024 | 11:15 PM

તેના ઉત્તમ નેતૃત્વ અને કોચિંગ ઉપરાંત ગૌતમ ગંભીર તેની સ્પષ્ટવક્તા શૈલી માટે પણ જાણીતો છે. IPL 2024માં KKR તેની મેન્ટરશિપ હેઠળ અદભૂત પ્રદર્શન કરી રહ્યું છે. કોલકાતા 6માંથી 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને યથાવત છે. હવે આ ટીમે તેની આગામી મેચ RCB સામે તેના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડનમાં રમવાની છે. RCB સામેની મેચ પહેલા ગૌતમ ગંભીરે કંઈક એવું કહ્યું જે ચાહકોને ઘણું પસંદ આવી રહ્યું છે.

ગંભીરે કહ્યું- લોકો મારી સ્માઈલ જોવા નથી આવતા

કોલકાતા નાઈટ રાઈડર્સે એક વીડિયો શેર કર્યો છે જેમાં પ્રખ્યાત એન્કર સાયરસ KKRના મેન્ટર ગૌતમ ગંભીરને કેટલાક પ્રશ્નો અને જવાબો પૂછી રહ્યો છે. ગૌતમ ગંભીર આ વીડિયોમાં કહેતો જોવા મળી રહ્યો છે કે ભારતમાં લોકોનો વિચાર બદલવો એ સૌથી મુશ્કેલ કામ છે. ગંભીરે કહ્યું કે જો કોઈ વ્યક્તિ મને ઓળખતો ન હોય તો પણ તેણે મારા વિશે એવી છાપ ઊભી કરી છે કે હું આક્રમક મનનો છું. ગંભીરે કહ્યું કે લોકો તેને હસતા જોવા સ્ટેડિયમમાં આવતા નથી. KKRની જીત જોવા લોકો આવે છે. આના પર સાયરસે ગંભીરને કહ્યું કે તેની સ્માઈલ સારી છે, તો ક્યારેક આવું કરો. ગંભીરે હસતા હસતા જવાબ આપ્યો કે તેની પત્નીએ પણ તેને આ વાત કહી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

RCB સાથે KKRની ટક્કર

તમને જણાવી દઈએ કે રવિવારે KKR અને RCB વચ્ચે મેચ છે. આ ટૂર્નામેન્ટમાં બંનેની આ બીજી મેચ હશે. આ પહેલા 29 માર્ચે KKR અને RCB વચ્ચે મેચ રમાઈ હતી. KKRએ આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. વિરાટ કોહલીના અણનમ 83 રનની મદદથી RCBએ 182 રન બનાવ્યા હતા અને જવાબમાં KKRએ માત્ર 16.5 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. વેંકટેશ અય્યરે 30 બોલમાં અડધી સદી ફટકારી હતી. સુનીલ નારાયણે પણ 47 રનની ઈનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે અણનમ 39 રન બનાવ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે શું RCB કોલકાતા પાસેથી એ હારનો બદલો લઈ શકશે?

આ પણ વાંચો : IPL 2024: MS ધોનીએ તે કર્યું જે તેણે તેની 20 વર્ષની કારકિર્દીમાં નહોતું કર્યું, 9 બોલમાં બાજી પલટી, જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">