India vs England 3rd ODI Predicted Playing 11: ટીમ ઈન્ડિયા ને કોણ જીતાડશે શ્રેણી, કેવી હશે ભારતીય પ્લેઈંગ ઈલેવન? જુઓ
IND Vs ENG 3rd ODI Prediction Squads: ભારતે બીજી મેચમાં માત્ર એક ફેરફાર કર્યો હતો, જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ બે મેચની ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.
ટીમ ઈન્ડિયા (Team India) નો ઈંગ્લેન્ડ પ્રવાસ ખતમ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. 1 જુલાઈના રોજ એજબેસ્ટન ટેસ્ટથી શરૂ થયેલી મજબૂત મેચોની શ્રેણી રવિવારે 17 જુલાઈએ ODI શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ સાથે સમાપ્ત થશે. એજબેસ્ટન ટેસ્ટની જેમ આ પણ નિર્ણાયક મેચ છે. ફરક માત્ર એટલો છે કે અહીં સિરીઝ બરોબરી પર નહીં, પરંતુ કોઈ એક ટીમના પક્ષમાં જશે. ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) પ્રથમ બે મેચ બાદ 1-1 થી બરાબરી પર છે અને આ મેચ દ્વારા સીરીઝનો વિજેતા નક્કી થશે. આ મેચની પ્લેઈંગ ઈલેવન કઈ હશે તેની ચર્ચા કરવી જરૂરી છે.
3 વર્ષ પછી ઓલ્ડ ટ્રેફોર્ડમાં ઉતરશે ટીમ ઈન્ડિયા
રવિવારે યોજાનારી આ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. આ એ જ મેદાન છે જ્યાં ત્રણ વર્ષ પહેલા ભારતીય ટીમને દિલ તોડનારી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ન્યુઝીલેન્ડે વર્લ્ડ કપ 2019ની સેમીફાઈનલમાં ભારતને હરાવીને ટાઈટલ મેચમાં પહોંચતા રોકી દીધું હતું. હવે ત્રણ વર્ષ બાદ ટીમ ઈન્ડિયા આ મેદાન પર ઉતરી રહી છે. મેચનું મહત્વ એ સેમી ફાઈનલ જેટલું નથી, પરંતુ હજુ પણ એક ટ્રોફી દાવ પર છે કારણ કે ભારતે ઈંગ્લેન્ડમાં 8 વર્ષથી વનડે શ્રેણી રમી નથી.
કોઈ ફેરફારની અપેક્ષા નથી
હવે આ મેચની સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે સીધી વાત કરીએ. જો આપણે છેલ્લી બે મેચોની પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ તો બંને ટીમોમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી. ટીમ ઈન્ડિયાના બોલરોએ બંને મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં બોલરોમાં કોઈ ફેરફાર કરવાનો મતલબ ઊભો થતો નથી. સવાલ બેટિંગ પર છે. ઓપનર શિખર ધવન બંને મેચમાં વધુ પ્રભાવ પાડી શક્યો ન હતો, જ્યારે કેપ્ટન રોહિત બીજી મેચમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. આમ હોવા છતાં, અહીં કોઈ ફેરફારની શક્યતા નથી.
કોહલી અને પંત પર રહેશે નજર
સૌથી વધુ નજર બે ખેલાડીઓ પર રહેશે. એક વિરાટ કોહલી અને બીજો ઋષભ પંત. કોહલી છેલ્લી મેચમાં નિષ્ફળ ગયો હતો, પરંતુ તેનાથી અત્યારે તેના સ્થાન માટે કોઈ ખતરો નથી. તેમ છતાં, આ મેચ તેના માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે પછી તે આગામી એક મહિના સુધી કોઈ મેચ રમશે નહીં. આવી સ્થિતિમાં તે આ છેલ્લી મેચમાંથી જોરદાર વાપસી કરવા ઈચ્છશે. વ્હાઇટ બોલ ક્રિકેટમાં પંતનું બેટિંગ ફોર્મ પણ અપેક્ષા મુજબનું નથી. છેલ્લી મેચમાં તે ખાતું પણ ખોલી શક્યો નહોતો. તેમ છતાં તેને બહાર કરવાની કોઈ સંભાવના કે આશા નથી.
ઈંગ્લેન્ડમાં ફેરફારની શક્યતા છે
જ્યાં સુધી ઈંગ્લેન્ડનો સવાલ છે, જોસ બટલરની ટીમમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ઓપનર જેસન રોયના તાજેતરના ફોર્મે ચોક્કસપણે ચિંતા વધારી છે, જ્યારે બેન સ્ટોક્સ અને જો રૂટ પણ આ ફોર્મેટમાં અસર કરી શક્યા નથી. હજુ પણ ત્રણેયનુ રમવાનું નિશ્ચિત છે. જો કે, ફાસ્ટ બોલર બ્રાઈડન કાર્સને પડતો મુકવામાં આવે તેવી શક્યતા છે, જે બંને મેચમાં વધુ અસર કરી શક્યો નથી.
IND vs ENG: ત્રીજી ODI માટે સંભવિત પ્લેઇંગ XI
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણ, યુઝવેન્દ્ર ચહલ.
ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન-વિકેટકીપર), જેસન રોય, જોની બેયરિસ્ટો, જો રૂટ, લિયામ લિવિંગ્સ્ટન, બેન સ્ટોક્સ, મોઈન અલી, ક્રેગ ઓવરટન, ડેવિડ વિલી, બ્રાઈડન કાર્સ, રીસ ટોપલી.