રાજકોટમાં રમાશે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ, આવી હશે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં 15 ફ્રેબુઆરીના રોજ રમાશે. આ ટેસ્ટ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનને લઈ ચર્ચાઓ થઈ રહી છે. આ ટેસ્ટમાં ક્યા ખેલાડીઓને તક મળી શકે છે. ચાલો તે જાણીએ.
![રાજકોટમાં રમાશે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ, આવી હશે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/02/team-india.jpg?w=1280)
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીના રોજ રમાશે.ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલી 3 મેચ માટે ટીમમાં હાજર રહેશે નહિ. વિરાટ કોહલી વ્યક્તિગત કારણોસર મેચ રમશે નહિ. ત્યારે શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત હોવાને કારણે ટીમમાં સામેલ થશે નહિ. રવિન્દ્ર જાડેજા અને કે.એલ રાહુલની ટીમમાં વાપસી થઈ છે, પરંતુ તેની રમત પર સસ્પેન્સ છે. ફિટનેસ મંજુરી મળ્યા બાદ તે ટીમમાટે રમશે.ત્યારે તેનું રમવાનું નક્કી નથી. જાડેજા અને રાહુલ ઈજાગ્રસ્ત હોવાથી વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થવું પડ્યું હતુ.
ભારત Vs ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ શેડ્યૂલ
- પહેલી ટેસ્ટ મેચ, 25 થી 29 જાન્યુઆરીના રોજ હૈદરાબાદ (ઈંગ્લેન્ડની જીત થઈ)
- બીજી ટેસ્ટ મેચ 2 થી 6 ફેબ્રુઆરીના રોજ વિશાખાપટ્ટનમ (ભારતે જીત મેળવી)
- ત્રીજી ટેસ્ટ મેચ 15 થી 19 ફેબ્રુઆરી રાજકોટ
- ચોથી ટેસ્ટ મેચ 23 થી 27 ફેબ્રુઆરી, રાંચી
- પાંચમી ટેસ્ટ મેચ 7 થી 11 માર્ચ, ધર્મશાળામાં રમાશે.
- હાલમાં આ સીરિઝ 1-1 બરાબર પર ચાલી રહી છે
ત્યારે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 શું હશે તેને લઈને કેપ્ટન રોહિત શર્માએ ફરી એક વખત વિચારવું પડશે. રોહિત ક્યાં કોમ્બિનેશન સાથે રાજકોટ ટેસ્ટમાં ઉતરશે તે પણ જોવું પડશે. તો ચાલો આપણે જાણીએ કે, રાજકોટમાં રમાનારી ટેસ્ટ મેચમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન આવી હોય શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન ટીમ
રોહિત શર્મા, યશસ્વી જ્યસ્વાલ, શુભમન ગિલ, કે.એલ રાહુલ, રજત પાટીદાર, સરફરાજ ખાન,કે.એલ ભરત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ ( કે.એલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા જો ફીટ હશે તો ટીમમાં સ્થાન મેળવશે)
આ મેચ રાજકોટમાં રમાશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીના રોજ રમાશે. આ મેચ રાજકોટમાં રમાશે. ત્યારબાદ ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાશે. સીરિઝની આ ચોથી મેચ 23 ફેબ્રુઆરીના રોજ રમાશે. જ્યારે સીરિઝની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ 7 માર્ચના રોજ રમાશે. આ મેચ ધર્મશાળામાં રમાશે.
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો : અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ખેલાડીના 2 શબ્દોએ ચાહકોના દિલ જીતી લીધા, જુઓ વીડિયો