AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: રિષભ પંત કે કેએલ રાહુલ…પ્રથમ ODIમાં વિકેટકીપર તરીકે રોહિત શર્મા કોને તક આપશે?

કેએલ રાહુલ ગયા વર્ષે ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે વિકેટકીપર તરીકે રમી રહ્યો હતો અને તેણે બેટિંગ અને કીપિંગમાં સતત સારું પ્રદર્શન કર્યું હતું. તો બીજી તરફ ડિસેમ્બર 2022માં દુર્ઘટના પહેલા રિષભ પંતે પણ ODI ક્રિકેટમાં કેટલીક મજબૂત ઈનિંગ્સ રમી હતી. એવામાં આગામી સિરીઝમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર તરીકે કેપ્ટન રોહિત શર્મા કોણે તક આપશે એ મોટો સવાલ છે.

IND vs SL: રિષભ પંત કે કેએલ રાહુલ...પ્રથમ ODIમાં વિકેટકીપર તરીકે રોહિત શર્મા કોને તક આપશે?
Rishabh Pant & KL Rahul
| Updated on: Aug 01, 2024 | 7:41 PM
Share

રોહિત શર્માની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે અને હવે ફરી એકવાર ટીમની બાગડોર તેના હાથમાં છે. ટીમ ઈન્ડિયાએ 29 જૂને T20 વર્લ્ડ કપ જીત્યા પછી, રોહિતે આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી પરંતુ તે ODI ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે અને કેપ્ટનશિપની જવાબદારી પણ તેના ખભા પર છે. વર્લ્ડ કપ જીત્યા બાદ પોતાની પ્રથમ સિરીઝ રમવા જઈ રહેલા કેપ્ટન રોહિતની સામે મોટો નિર્ણય લેવાનો પડકાર છે. શ્રીલંકા સામે શુક્રવારથી શરૂ થઈ રહેલી વનડે શ્રેણીની પ્રથમ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપરની જવાબદારી કોને સોંપવામાં આવશે?

ટીમ ઈન્ડિયામાં વિકેટકીપર માટે આકરી સ્પર્ધા

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ 2 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. રોહિત ઉપરાંત વિરાટ કોહલી પણ આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે, જ્યારે કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા બેટ્સમેન કે જેઓ T20 ટીમની બહાર હતા તે પણ પરત ફર્યા છે. શુભમન ગિલ પહેલાથી જ ઓપનર તરીકે ટીમનો ભાગ છે. આ 5 એ જ ખેલાડીઓ છે જેઓ વર્લ્ડ કપ 2023માં ભારતીય બેટિંગ લાઈનઅપનો હિસ્સો હતા અને જોરદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ હવે રિષભ પંતની પણ ટીમમાં વાપસી થઈ છે અને તેથી વિકેટકીપરની ભૂમિકામાં કોને તક મળશે તે જોવું સૌથી મહત્વપૂર્ણ છે.

શું રોહિત પંતને તક આપશે?

ભારતીય કેપ્ટન રોહિત હંમેશા રિષભ પંતને સપોર્ટ કરતો રહ્યો છે અને તેને તક આપવાનું ચૂક્યો નથી. રિષભે રોહિતની કપ્તાનીમાં માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની છેલ્લી વનડે શ્રેણીમાં પણ શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ડિસેમ્બર 2022માં માર્ગ અકસ્માતને કારણે બહાર થયા પહેલા, રિષભ પંતે તેની છેલ્લી 5 ODI ઈનિંગ્સમાં એક સદી અને અડધી સદી ફટકારી હતી. હાલમાં જ T20 વર્લ્ડ કપમાંથી પરત ફરેલા પંતે કેટલીક ટૂંકી પરંતુ મહત્વની ઈનિંગ્સ રમીને પોતાની તાકાત બતાવી હતી. ત્યારે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા બેટિંગ પ્રેક્ટિસના દૃષ્ટિકોણથી પંતને આ શ્રેણીમાં તક આપવી એ વ્યાજબી લાગી રહ્યું નથી.

રાહુલને જ તક મળશે

આમ છતાં પ્રથમ વનડેમાં પંતને તક મળવાની શક્યતાઓ ઓછી છે અને આ ભૂમિકા કેએલ રાહુલને મળવાની નિશ્ચિત જણાય છે. તેનું કારણ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટના કોમ્બિનેશનને બેલેન્સ કરવાનું છે. રાહુલે ODI વર્લ્ડ કપમાં વિકેટકીપર તરીકે સારું પ્રદર્શન કર્યું હતું અને આ દરમિયાન તે માત્ર મિડલ ઓર્ડરમાં જ બેટિંગ કરી રહ્યો હતો. ફાઈનલ સિવાય તેણે દરેક મેચમાં શાનદાર બેટિંગ કરી અને વિકેટ-કીપિંગમાં પણ કમાલ કરી હતી. રાહુલે વર્લ્ડ કપની 10 ઈનિંગ્સમાં 75ની એવરેજથી 452 રન બનાવ્યા હતા અને 17 આઉટ (કેચ-સ્ટમ્પ) પણ કર્યા હતા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની જેમ જ બેટિંગ ઓર્ડર સાથે ફિલ્ડિંગ કરતી જોવા મળે તેવી પ્રબળ સંભાવના છે. એટલે કે પંતે તેની તકની રાહ જોવી પડશે.

આ પણ વાંચો: ‘મારા હાથમાં કંઈ નથી’…ધોનીએ IPLમાંથી નિવૃત્તિના સવાલ પર કહી મોટી વાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">