AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Gambhir : ભારતીય બેટ્સમેન જ નહીં, કોચ ગૌતમ ગંભીરના આ નિર્ણયો પણ બન્યા હારનું કારણ

ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. જોકે તેના કેટલાક નિર્ણયો સંપૂર્ણપણે સમજી ન શકાય તેવા રહ્યા છે. નોટિંગહામમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં બેટિંગ ઓર્ડર અંગેના આવા બે નિર્ણયોએ ટીમને નુકસાન પહોંચાડ્યું છે.

Gautam Gambhir : ભારતીય બેટ્સમેન જ નહીં, કોચ ગૌતમ ગંભીરના આ નિર્ણયો પણ બન્યા હારનું કારણ
Gautam Gambhir DecisionImage Credit source: X
| Updated on: Jul 08, 2026 | 3:27 PM
Share

ગૌતમ ગંભીરની કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપનો જીત્યો હતો. પરંતુ તે પછી તેના કેટલાક નિર્ણયો ચર્ચાનો વિષય બન્યો છે. નોટિંગહામમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં બેટિંગ ઓર્ડરને લઈને લેવામાં આવેલા કેટલાક નિર્ણયોએ ટીમને નુકસાન પહોંચાડ્યું અને હારમાં મહત્વની ભૂમિકા ભજવી. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ વખત મેદાનમાં ઉતરી હતી. પરંતુ છેલ્લા પાંચ મેચમાં ચાર હાર અને એક મેચ વરસાદને કારણે રદ થતાં ટીમનું પ્રદર્શન સવાલોના ઘેરામાં આવી ગયું છે. ખાસ કરીને ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટી20માં ભારતને 125 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

બેટિંગ ઓર્ડરમાં ફેરફાર પડ્યો ભારે

ભારતે માત્ર ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં સામાન્ય રીતે વાઈસ-કેપ્ટન કપ્તાન તિલક વર્મા બેટિંગ કરવા આવે તેવી અપેક્ષા હતી. પરંતુ કોચ ગૌતમ ગંભીરે અક્ષર પટેલને પ્રમોટ કરીને પાંચમા ક્રમે મોકલ્યો હતો. આ નિર્ણય સફળ નહીં રહ્યો અને થોડા જ સમયમાં કેપ્ટન શ્રેયસ અય્યર સાથે અક્ષર પટેલ પણ આઉટ થઈ ગયો. પાંચ ઓવરમાં ભારતે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ એવી આશા હતી કે શિવમ દુબેને મોકલવામાં આવશે પરંતુ તેના બદલે બોલિંગ ઓલરાઉન્ડર હર્ષિત રાણાને બેટિંગ માટે મોકલવામાં આવ્યો.

હર્ષિત રાણા અંતિમ ઓવરોમાં ઝડપી રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ જ્યારે ટીમ 52 રને પાંચ વિકેટ ગુમાવી ચૂકી હોય ત્યારે શિવમ દુબે જેવા અનુભવી બેટ્સમેનને મોકલવો વધુ યોગ્ય નિર્ણય માનવામાં આવતો હતો.

હાર માટે કોચ ગૌતમ ગંભીર પર ઊઠ્યા સવાલો

બેટિંગ ઓર્ડરમાં સતત થતા ફેરફાર અને ખેલાડીઓની ભૂમિકાને લઈને રહેલી અનિશ્ચિતતાએ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. બેટ્સમેનના ખરાબ શોટ અથવા પરિસ્થિતિને ન સમજી શકવાનો દોષ ખેલાડીઓ પર આવે છે. પરંતુ બેટિંગ ઓર્ડર સંબંધિત આવા નિર્ણયો માટે જવાબદારી મુખ્ય કોચ ગૌતમ ગંભીરની છે. ટી20 વર્લ્ડ કપ જીતવા છતાં તેની કોચિંગ પદ્ધતિઓ પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે.

ભારતની સૌથી મોટી T20 હાર

  • ઇંગ્લેન્ડ સામે 125 રનથી હાર (નોટિંગહામ, 2026)
  • ન્યૂઝીલેન્ડ સામે 80 રનથી હાર (વેલિંગ્ટન, 2019)
  • દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી હાર (અમદાવાદ, 2026)
  • દક્ષિણ આફ્રિકા સામે 51 રનથી હાર (ચંદીગઢ, 2025)
  • ન્યૂઝીલેન્ડ સામે 50 રનથી હાર (વિશાખાપટ્ટનમ, 2026)

આ પણ વાંચો, ક્રિકેટ ઇતિહાસમાં ભારતની સૌથી શરમજનક હાર, માત્ર 76 રનમાં ટીમ ઈન્ડિયા થઈ ઓલઆઉટ !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">