ધર્મશાળા ટેસ્ટમાં ખરાબ સ્થિતિ સર્જાતા ઈંગ્લેન્ડના બહાના શરૂ થઈ ગયા
ઈંગ્લેન્ડે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં જીત સાથે શ્રેણીની મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ ત્યારપછી દરેક ટેસ્ટમાં તેમની હાલત ખરાબ થતી ગઈ અને હવે પાંચમી ટેસ્ટમાં બેન સ્ટોક્સની ટીમ બીજા દિવસે પણ ભારતથી પાછળ રહી હતી. એવામાં મેદાનની બહાર તેમની ટીમના પૂર્વ કપ્તાને ટીમનો બચાવ કરતા બહાના શરૂ કરી દીધા છે.
લગભગ 7 અઠવાડિયા પહેલા બેન સ્ટોક્સની કપ્તાનીમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ મોટી વાતો, દાવાઓ અને ઈરાદાઓ સાથે ભારત પ્રવાસ પર આવી હતી. પરંતુ આ 7 અઠવાડિયામાં તેમના તમામ દાવાઓ પોકળ સાબિત થયા. માત્ર દાવાઓ જ નહીં પરંતુ ઈંગ્લિશ ટીમ, તેના ભૂતપૂર્વ દિગ્ગજો અને ત્યાંના મીડિયાનું મનોબળ પણ ડગમગી ગયું છે અને હવે બહાનાઓ શરૂ થઈ ગયા છે. આનું ઉદાહરણ ધર્મશાળા ટેસ્ટમાં જોવા મળ્યું છે.
ધર્મશાળામાં ઈંગ્લેન્ડના ખેલાડીઓએ નિરાશ કર્યા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળામાં પાંચમી ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેમાં ઈંગ્લિશ ટીમ પહેલા દિવસે મેચમાં બેકફૂટ પર હતી અને બીજા દિવસે ઘણી પાછળ રહી ગઈ હતી. ઈંગ્લેન્ડના બોલરો સારી પીચ પર કમાલ કરશે તેવી અપેક્ષા હતી, પરંતુ ઈંગ્લેન્ડના બોલરોએ નિરાશ કર્યા હતા અને ભારતીય બેટ્સમેનોએ ઈંગ્લેન્ડ પર મોટી લીડ મેળવી લીધી.
એલિસ્ટર કૂકે બહાનું કાઢ્યું
શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ જીતવા છતાં ઈંગ્લિશ ટીમને મોટાભાગના નિષ્ણાતો દ્વારા નિશાન બનાવવામાં આવી છે, પરંતુ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓપનર એલિસ્ટર કૂકે બહાનું કાઢીને ટીમનો બચાવ કર્યો હતો. તેણે કંઈક એવું કહ્યું છે જેનાથી આપણને હસવું આવી જશે. ધર્મશાળા ટેસ્ટ મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડના બોલરોની ખરાબ હાલત જોયા બાદ ચર્ચા દરમિયાન કુકે કહ્યું કે ઈંગ્લેન્ડના પ્રદર્શન પાછળની માનવીય બાજુને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.
️ “There’s a little of the human element that comes into it. They have been away for getting on eight weeks, they’re not robots.”
Sir Alastair Cook gives his thoughts on the England mentality during the fifth test.
Watch #INDvENG LIVE on TNT Sports and @discoveryplusuk pic.twitter.com/uaJ5BujaRH
— Cricket on TNT Sports (@cricketontnt) March 8, 2024
ખેલાડીઓ રોબોટ નથી – કૂક
કૂકે કહ્યું કે તે ટીમના પ્રદર્શનનો બચાવ નથી કરી રહ્યો પરંતુ પછી તેનો બચાવ કરવા બહાના બનાવવા લાગ્યો અને કહ્યું કે ખેલાડીઓ રોબોટ નથી. તેણે કહ્યું કે આ ખેલાડીઓ લગભગ 8 અઠવાડિયાથી ભારતમાં રમી રહ્યા છે, જે એક મુશ્કેલ પ્રવાસ છે અને કેટલીકવાર ‘ડેડ રબર’ (એવી મેચ જે નિર્ણાયક ન હોય) માં રમવાથી પણ તમારું ધ્યાન ભટકાય છે.
ધર્મશાળામાં ટીમ ઈન્ડિયા આગળ
ધર્મશાળા ટેસ્ટની વાત કરીએ તો, ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દિવસે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરવા છતાં માત્ર 218 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં આટલા નાના સ્કોર પર આઉટ થયા બાદ તેને ભારતીય ટીમની મજબૂત બેટિંગનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્મા અને શુભમન ગિલે જબરદસ્ત સદી ફટકારી હતી, જ્યારે યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને દેવદત્ત પડિકલે અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને 450 રનથી આગળ લઈ ગયા.
આ પણ વાંચો : 15 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ