AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આઈપીએલ 2026ના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન માટે 3 ટીમો વચ્ચે રેસ

IPL Points Table 2026: પંજાબ કિંગ્સે પોતાની છેલ્લી લીગ મેચમાં લખનૌ સુપર જાયન્ટસને હરાવી પોઈન્ટ ટેબલામાં મોટી છલાંગ લગાવી છે. હવે તેની ટોપ -4માં એન્ટ્રી થઈ છે. લખનૌ સુપર જાયન્ટસ 10માં સ્થાન પર છે.

Breaking News : આઈપીએલ 2026ના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન માટે 3 ટીમો વચ્ચે રેસ
| Updated on: May 24, 2026 | 8:34 AM
Share

આઈપીએલ 2026ની ફાઈનલની તારીખ હવે નજીક આવી રહી છે. પરંતુ પ્લેઓફની ચોથી ટીમનો નિર્ણય હજુ આવવાનો બાકી છે. આઈપીએલની 68મી મેચમાં લખનૌ સુપર જાયન્ટસ પર પંજાબ કિંગ્સની ધમાકેદાર જીતે પ્લેઓફની રેસ વધુ રોમાંચક બનાવી છે. કેપ્ટન શ્રેયસ અય્યરની સદીથી પંજાબે માત્ર મેચ જીતી નથી પરંતુ પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી ટોપ-4માં એન્ટ્રી કરી છે.

પંજાબ કિંગ્સે ટોપ-4માં એન્ટ્રી કરી

આ મેચમાં પંજાબ કિંગ્સ માટે જીત ખુબ જરુરી હતી. લખનૌ સુપર જાયન્ટસને હરાવ્યા બાદ પંજાબની 14 મેચમાં 7 જીત, 6 હાર અને 1 મેચનું પરિણામ આવ્યું ન હતુ.કુલ 15 પોઈન્ટ થયા છે. આ જીતની સાથે પંજાબે રાજસ્થાન રોયલ્સને પછાડી ચોથું સ્થાન મેળવ્યું છે. તેમજ તેના રન રેટમાં પણ સુધારો થયો છે. બીજી બાજુ રાજસ્થાન રોયલ્સે 13 મેચમાં અત્યારસુધી 14 પોઈન્ટ થયા છે. પાંચમાં સ્થાન પર છે. રાજસ્થાન રોયલ્સ માટે તેની છેલ્લી લીગ મેચ હવે કરો યા મરો જેવી થઈ છે.

બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું,ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના 18-18 પોઈન્ટ સાથે પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી ચૂકી છે. આ ત્રણેય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ -3માં છે. પંજાબ સિવાય, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન માટે રેસમાં છે.

અન્ય ટીમની કેવી હાલત જુઓ

પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સ પણ પ્લેઓફની રેસમાં છે. કોલકાતા નાઈટ રાઈડર્સે 13 મેચમાં 13 પોઈન્ટ છે. તે છઠ્ઠા સ્થાને છે. તો ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 14 મેચમાં 12 પોઈન્ટની સાથે 7માં સ્થાને છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ 13 મેચમાં 12 પોઈન્ટ છે. મુંબઈ ઈન્ડિયન્સના 13 મેચમાં 8 પોઈન્ટ સાથે 9માં સ્થાને છે. તેમજ લખનૌ સુપર જાયન્ટસે પોતાની છેલ્લી લીગ મેચ હારી 8 પોઈન્ટની સાથે 10માં સ્થાન પર છે.

પ્લેઓફના છેલ્લા સ્થાન માટેની રેસ રોમાંચક બની છે, અને 24 મેના રોજ યોજાનારી મેચો મહત્વપૂર્ણ છે. આ મેચોના પરિણામો નક્કી કરશે કે પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ચોથી ટીમ કોણ હશે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">