Breaking News: પૂર્વ ક્રિકેટરે વૈભવ સૂર્યવંશીની નબળાઈને બોજ ગણાવી, IPLના એક નિયમથી છુપાઈ રહી છે કમજોરી
જ્યારથી વૈભવ સૂર્યવંશીએ IPLમાં બેટિંગ શરૂ કરી અને બોલરોને ફટકારવાનું શરૂ કર્યું, ત્યારથી દરેક વ્યક્તિ તેના વિશે વાત કરી રહી છે. માત્ર 14 વર્ષની ઉંમરે વિસ્ફોટક ડેબ્યૂ કર્યા પછી આ યુવા ઓપનર છગ્ગા અને ચોગ્ગા ફટકારી રહ્યો છે. પરંતુ સંજય માંજરેકરે એક અલગ જ પાસાં તરફ ધ્યાન દોર્યું છે.

IPL ઈતિહાસના સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગ કુશળતાથી વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર 14-15 વર્ષની ઉંમરે આ બેટ્સમેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સ્ટાર બોલરોને હંફાવી ચૂક્યો છે. IPL 2026માં બોલરો તેની આક્રમક બેટિંગથી બચી શક્યા નથી. પરિણામે, તે આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે નંબર 1 બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. જ્યારે દરેક વ્યક્તિ તેની બેટિંગની પ્રશંસા કરી રહ્યું છે, ત્યારે એક અગ્રણી કોમેન્ટેટર અને પૂર્વ ક્રિકેટરે વૈભવની એક નબળાઈ તરફ ધ્યાન દોર્યું છે, જેનાથી પ્રશ્ન ઉઠ્યો છે કે શું તે ટીમ માટે બોજ છે અને શું BCCI નિયમો તેને છુપાવવામાં મદદ કરી રહ્યા છે.
સંજય માંજરેકરની વૈભવ પર કોમેન્ટ
વૈભવની આ નબળાઈ પર સવાલ ઉઠાવનારા કોમેન્ટેટર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર છે, જેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, આ નબળાઈ વૈભવની બેટિંગમાં નથી પરંતુ તેની ફિલ્ડિંગમાં છે, જેનો ઉલ્લેખ માંજરેકરે કર્યો હતો. સ્પોર્ટસ્ટાર મેગેઝિન સાથેની એક મુલાકાતમાં, માંજરેકરે IPLના વિવાદાસ્પદ “ઇમ્પેક્ટ પ્લેયર” નિયમ પર સવાલ ઉઠાવ્યા, જેમાં વૈભવ સૂર્યવંશીની ફિલ્ડિંગનું ઉદાહરણ આપ્યું.
વૈભવની ફિલ્ડિંગને બોજ ગણાવી!
વૈભવ સૂર્યવંશીનો ઉલ્લેખ કરતા, માંજરેકરે પૂછ્યું કે શું લોકો ફક્ત યુવાન ખેલાડીની બેટિંગ જોવા માંગે છે કે તેની રમતનો બીજો પાસું પણ જોવા માંગે છે. તેમણે કહ્યું કે આવું થવા માટે, ઈમ્પેક્ટ પ્લેયર નિયમ દૂર કરવો પડશે. માંજરેકરે પૂછ્યું, “શું સારી ફિલ્ડિંગ એક ક્રિકેટર માટે સારી બેટિંગ જેટલી મહત્વપૂર્ણ નથી?” તેમણે ભૂતપૂર્વ દિગ્ગજ પાકિસ્તાની બેટ્સમેન ઇન્ઝમામ-ઉલ-હકનું ઉદાહરણ આપતા કહ્યું કે દરેક વ્યક્તિ તેની બેટિંગ માટે તેનો આદર કરે છે, પરંતુ તેની રમતનો બીજો પાસું ફિલ્ડર તરીકે પણ દેખાય છે.
“I’m feeling that the Impact Player rule should be reconsidered for this reason as well. Is this all we want to see from Vaibhav Sooryavanshi, just one side of his game? A cricketer is someone who bats well and fields well too,” @sanjaymanjrekar said.https://t.co/kvsMyHdv11
— Circle of Cricket (@circleofcricket) May 12, 2026
ફક્ત બેટિંગ, ફિલ્ડીંગમાં ગાયબ
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેને ઉમેર્યું, “અમે એક ખેલાડીના ત્રણેય પાસાઓ જોવાની અપેક્ષા રાખતા નથી. પરંતુ હું જેટલું વધુ ઈમ્પેક્ટ પ્લેયર વિશે વિચારું છું, વૈભવ સૂર્યવંશીને જુઓ, તમે જોવા માંગો છો કે તે કેવી રીતે ફિલ્ડિંગ કરે છે અને દબાણમાં શું કરે છે. તે એક મહાન બેટ્સમેન છે પરંતુ ફિલ્ડિંગ તેના પર બોજ છે, તો હું અન્ય ટીમો તેનો ફાયદો ઉઠાવતા જોવા માંગુ છું… ફક્ત બેટિંગ અને પછી આરામ, તમે રમતનું ઉચ્ચતમ સ્તર આટલું સરળ નથી ઈચ્છતા.”
ઈમ્પેક્ટ પ્લેયર નિયમ રદ કરવા માંગ
રાજસ્થાન રોયલ્સ ઘણીવાર વૈભવ સૂર્યવંશીને ફક્ત બેટિંગ માટે મોકલે છે, કાં તો ફિલ્ડિંગ દરમિયાન તેની જગ્યાએ ઈમ્પેક્ટ પ્લેયર મોકલે છે, અથવા તો ફક્ત ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરે છે. વૈભવ એકલો નથી, ઘણા અન્ય ખેલાડીઓ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ફક્ત બેટિંગ કરવા માટે આવે છે અને પછી બાકીની મેચ માટે ડગઆઉટમાં રહે છે. વધુમાં, આ ઓલરાઉન્ડરોને પણ અસર કરી રહ્યું હોય તેવું લાગે છે, જેના કારણે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા તાર ખેલાડીઓ આ નિયમને રદ કરવાની માંગ કરી ચૂક્યા છે.
