વિરાટ કોહલી અને રોહિત શર્માને કોઈ હાથ પણ ના લગાવી શકે, દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર આર અશ્વિને વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે. અશ્વિનનું કહેવું છે કે જો બંને દિગ્ગજ ખેલાડીઓ 2027 વનડે વર્લ્ડ કપ રમવા ઈચ્છશે તો તેમને રોકવું મુશ્કેલ હશે. આ સાથે તેણે ટીમ ઈન્ડિયાની બોલિંગ અને ઝડપી બોલરોના અનુભવ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

સોશિયલ મીડિયા પર એવા સમાચાર ફરી રહ્યા છે કે રોહિત શર્મા 2027 ના વર્લ્ડ કપમાં નહીં રમે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ આ અનુભવી ખેલાડીને કહ્યું છે કે તેઓ તેને વર્લ્ડ કપ ટીમમાં જોતા નથી, આ બાબતે આર અશ્વિને મોટું નિવેદન આપ્યું છે. અશ્વિને કહ્યું છે કે જો વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓએ નક્કી કરી લીધું હોય કે તેમને વર્લ્ડ કપ રમવો છે તો કોઈ તેમને હાથ પણ લગાવી શકશે નહીં. ચાલો તમને જણાવીએ કે અશ્વિને આવું કેમ કહ્યું.
રોહિત-વિરાટ પર અશ્વિનનું મોટું નિવેદન
અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ, “એશ કી બાત” પર કહ્યું, ‘વિરાટ અને રોહિતને વર્લ્ડકપ રમવું હોય તો કોઈ હાથ પણ નહીં લગાવી શકે. કારણ કે બંનેએ ઘણા રન બનાવ્યા છે. રોહિતે 12,000 રન બનાવ્યા છે, કોઈ તેમને સ્પર્શ પણ કરી શકતું નથી. બીજું, તેઓ બેટ્સમેન છે. જો તમે તેમને ટાર્ગેટ કર્યો, તો તેઓ રન બનાવશે. તેમની પાસે એક આર્મી છે. લોકો તેમને જોવા આવે છે. જો તમે તેમને બહાર કરી દો છો, તો એવા લોકો છે જે પ્રશ્ન કરી શકે છે અને માહોલ બનાવી શકે છે.”
Ashwin slammed the hypocrisy surrounding the PR on social media over the news of Rohit Sharma’s retirement or dropped.
-It’s because these batsmen have an ‘army’ of fans & If the selectors ever consider dropping them, those fans will bring the roof down. But if Shami, Bhuvi or… pic.twitter.com/2JBSZ3G2lU
— Indian Cricket (@navshar54008403) July 20, 2026
કોઈને બોલરોની પરવા નથી
અશ્વિનના મતે લાખો લોકો વિરાટ અને રોહિત વિશે પૂછે છે, પરંતુ બોલરો માટે કોઈ પૂછતું નથી. અશ્વિનને કહ્યું, “જો શમીનો સમાવેશ ન થાય, સિરાજનો સમાવેશ ન થાય, ભુવનેશ્વરનો સમાવેશ ન થાય, તો 10 લોકો પૂછશે, 100 લોકો પૂછશે, હજાર લોકો પૂછશે. 10,000 લોકો પૂછશે. અવાજ નહીં કરે? એ જ મુદ્દો છે. જો લોકો બોલરો માટે પણ અવાજ ઉઠાવશે, તો તેમને પણ બહાર કરવા મુશ્કેલ બનશે. વિરાટ અને રોહિતને ભાર કરવા અશક્ય છે. આવો નિયમ બોલરો માટે લાગુ પડતો નથી.”
બોલિંગમાં અનુભવનો અભાવ!
આર અશ્વિન માને છે કે 2027 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા અનુભવી બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છીએ, પરંતુ બોલિંગમાં પણ અનુભવ જરૂરી છે. અશ્વિનના મતે શમી, સિરાજ અને ભુવનેશ્વર કુમાર બધા પાસે ODI વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવવાની તક છે. હાલમાં બુમરાહ સિવાય ટીમ ઈન્ડિયા માટે રમી રહેલા અન્ય ઝડપી બોલરો પાસે અનુભવ અને સારા પ્રદર્શનનો અભાવ છે.
