AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્દિક પંડ્યા બાદ હવે જસપ્રીત બુમરાહનું પણ પત્તું કપાશે ? ટીમ ઈન્ડિયા લેવા જઈ રહી છે મોટો નિર્ણય!

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કંઈક એવું થઈ રહ્યું છે જેનાથી તેના ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ ચોંકી ગયા છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ આપવામાં આવી હતી, હવે જસપ્રીત બુમરાહ સાથે પણ કંઈક આવું જ થવાનું છે.

હાર્દિક પંડ્યા બાદ હવે જસપ્રીત બુમરાહનું પણ પત્તું કપાશે ? ટીમ ઈન્ડિયા લેવા જઈ રહી છે મોટો નિર્ણય!
Hardik Pandya & Jasprit Bumrah
| Updated on: Jul 29, 2024 | 4:56 PM
Share

હાલમાં જ ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને T20 ટીમની કમાન સોંપીને બધાને ચોંકાવી દીધા હતા. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક એ હતું કે BCCIએ શુભમન ગિલને T20 અને ODI બંને ટીમનો વાઈસ કેપ્ટન બનાવ્યો. પરંતુ હવે આવા જ બીજા એક સમાચાર સામે આવી રહ્યા છે જે જાણીને ચાહકો ચોંકી જશે.

બુમરાહનું પત્તું પણ કપાશે!

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભારતીય પસંદગીકારોએ ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટનને પણ બદલવાનો નિર્ણય લીધો છે. સમાચાર અનુસાર, શુભમન ગિલ ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનવા જઈ રહ્યો છે. મોટી વાત એ છે કે તે જસપ્રીત બુમરાહનું સ્થાન લેશે, જે આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન હતો. બુમરાહ 2022માં ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન પણ બન્યો હતો, પરંતુ હવે તેને વાઈસ કેપ્ટનના પદ પરથી પણ હટાવી દેવમાં આવશે એવું લાગી રહ્યું છે.

ગિલ ટેસ્ટમાં પણ વાઈસ કેપ્ટન બનશે!

એવા અહેવાલો છે કે શુભમન ગિલ બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન હશે. સવાલ એ છે કે શું જસપ્રીત બુમરાહ આ ટેસ્ટ સિરીઝમાં નહીં રમે? કારણ કે જો બુમરાહ રમે છે અને તેમ છતાં ગિલ વાઈસ કેપ્ટન રહેશે તો તે તેના માટે મોટો ફટકો હશે. રસપ્રદ વાત એ છે કે બુમરાહે એક ઈન્ટરવ્યુમાં પોતાને સર્વશ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કોને શ્રેષ્ઠ કેપ્ટન માને છે તો તેણે પોતાનું નામ લીધું હતું. સાથે જ બુમરાહે કહ્યું હતું કે ફાસ્ટ બોલર પણ કેપ્ટન બની શકે છે, ફાસ્ટ બોલરો પણ મેચને સારી રીતે સમજે છે. પરંતુ ટીમ ઈન્ડિયાના પસંદગીકારો કંઈક અલગ જ માને છે.

શું ગિલ ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનશે?

જો શુભમન ગિલને ODI અને T20 પછી ટેસ્ટની વાઈસ-કેપ્ટન્સી આપવામાં આવે છે, તો તેનો સ્પષ્ટ અર્થ છે કે ટીમ ઈન્ડિયા તેને ત્રણેય ફોર્મેટમાં ભાવિ કેપ્ટન તરીકે માની રહી છે. પસંદગીકારોના નિર્ણય ચોક્કસપણે આની પુષ્ટિ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Paris Olympics 2024: ફ્રાન્સમાં ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ પહેલા હાઈ-સ્પીડ રેલ નેટવર્કમાં તોડફોડ, ટ્રેન સેવાઓ ખોરવાઈ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">