AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિષેક શર્માની ODI ટીમમાં એન્ટ્રી, વિરાટ કોહલી-રોહિત શર્મા બહાર, શ્રેયસ અય્યર કેપ્ટન

ઓસ્ટ્રેલિયા A સામે ત્રણ મેચની ODI શ્રેણી માટે ઈન્ડિયા A ની ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમનો ભાગ નથી. શ્રેયસ અય્યરને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. જાણો ટીમમાં કયા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

અભિષેક શર્માની ODI ટીમમાં એન્ટ્રી, વિરાટ કોહલી-રોહિત શર્મા બહાર, શ્રેયસ અય્યર કેપ્ટન
Abhishek Sharma, Virat & RohitImage Credit source: PTI/X
| Updated on: Sep 25, 2025 | 6:01 PM
Share

ભારત A ટીમ 30 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા A ટીમ સામે વન-ડે શ્રેણી રમશે, જેના માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ શ્રેયસ અય્યરને ODI શ્રેણી માટે કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે, જ્યારે અભિષેક શર્માને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શર્મા બીજી અને ત્રીજી ODI મેચ રમશે. એવું માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી માટે શર્માને પણ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે.

વિરાટ અને રોહિત ટીમમાં સામેલ નથી

જોકે, મોટા સમાચાર એ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને ટીમમાં સામેલ નથી. એવા અહેવાલો હતા કે ટીમ ઈન્ડિયા પસંદગી સમિતિ ઈચ્છતી હતી કે વિરાટ અને રોહિત બંને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ઈન્ડિયા A ટીમ માટે રમે, પરંતુ હવે બંનેમાંથી કોઈનું નામ ટીમમાં નથી. BCCIએ ત્રણ ODI મેચ માટે બે અલગ-અલગ ટીમોની પસંદગી કરી છે. નીચે જાણો કયા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

પ્રથમ વનડે માટે ઈન્ડિયા A ટીમ

શ્રેયસ અય્યર, પ્રભસિમરન સિંઘ, રિયાન પરાગ, આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, વિપરાજ નિગમ, નિશાંત સિંધુ, ગુર્જપનીત સિંહ, યુદ્ધવીર સિંહ, રવિ બિશ્નોઈ, અભિષેક પોરેલ, પ્રિયાંશ આર્ય, સિમરજીત સિંહ.

બીજી વનડે માટે ઈન્ડિયા A ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, રિયાન પરાગ, આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, વિપરાજ નિગમ, નિશાંત સિંધુ, ગુર્જપનીત સિંહ, યુદ્ધવીર સિંહ, રવિ બિશ્નોઈ, અભિષેક પોરેલ, હર્ષિત સિંહ, હર્ષિત રાણા.

પાટીદાર, ઋતુરાજ, ઈશાન જેવા મોટા નામ ગાયબ

ઈરાની કપને કારણે રજત પાટીદાર, ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશન જેવા મોટા નામો ઈન્ડિયા A ની ODI ટીમમાંથી ગાયબ છે. ઈરાની કપ પણ 1 ઓક્ટોબરથી શરૂ થાય છે, અને આ ખેલાડીઓ રેસ્ટ ઓફ ઈન્ડિયા ટીમનો ભાગ છે. રજત પાટીદારને રેસ્ટ ઓફ ઈન્ડિયા ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ઋતુરાજ ગાયકવાડ વાઈસ-કેપ્ટન છે.

રેસ્ટ ઓફ ઈન્ડિયા ટીમ

રજત પાટીદાર, અભિમન્યુ ઈશ્વરન, આર્યન જુયલ, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશ ધુલ, શેખ રશીદ, ઈશાન કિશન, તનુષ કોટિયન, માનવ સુથાર, ગુરનૂર બ્રાર, ખલીલ અહેમદ, આકાશ દીપ, અંશુલ કંબોજ, સારાંશ જૈન

આ પણ વાંચો: હવે ભારત-પાકિસ્તાનના ખેલાડી સાથે રમશે, તેઓ હાથ મિલાવશે અને એકબીજાને ગળે લગાવશે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">