Income Tax Rules: રજાઓના બદલામાં કંપની પૈસા આપે તો શું તેના પર પણ ટેક્સ લાગશે? જાણો આવકવેરાનો નિયમ

|

Apr 16, 2022 | 10:45 AM

કર્મચારીઓને એમ્પ્લોયર વતી રજાના બદલામાં રોકડ ચૂકવણી પણ કરવામાં આવે છે. જો આ રકમ તેના 10 મહિનાના પગારની બરાબર છે, તો તે  આવકવેરાના દાયરામાં આવશે. આની ઉપરની રકમ પર તેમણે તેમના સ્લેબ પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે.

Income Tax Rules: રજાઓના બદલામાં કંપની પૈસા આપે તો શું તેના પર પણ ટેક્સ લાગશે? જાણો આવકવેરાનો નિયમ
Symbolic Image

Follow us on

સરકારી હોય કે ખાનગી લગભગ તમામ એમ્પ્લોયરો(Employer) તેમના કર્મચારીઓને કેટલીક રજાઓ આપે છે જેનો ઉપયોગ ન કરવામાં આવે તો તેને રોકડમાં પરિવર્તિત કરી શકાય છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું પગારની જેમ આ રજાઓના બદલામાં મળેલી રકમ પર પણ આવકવેરો(Income Tax) લાગશે? આવકવેરા નિષ્ણાત ગિરીશ નારંગે આ પ્રશ્નોના વિગતવાર જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે રજાઓના બદલામાં મળેલી રકમને તમારી આવક ગણવામાં આવે છે પરંતુ આવકવેરા કાયદા હેઠળ તેના પર ઘણી છૂટ મળે છે. આ રાહતો સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે અલગ-અલગ છે. તેથી તમે કઈ શ્રેણીમાં આવો છો તેના આધારે તમારા માટે આવકવેરા મુક્તિ અને કરની ગણતરી કરવી જોઈએ.

સરકારી કર્મચારીઓ માટે સંપૂર્ણ મુક્તિ

નારંગે કહ્યું કે જો તમે સરકારી કર્મચારી છો, પછી કેન્દ્ર કે રાજ્યના હોય તો તમને રજાના બદલામાં મળેલી સંપૂર્ણ રકમ પર ટેક્સમાં છૂટ આપવામાં આવે છે. આ રકમ નોકરીમાંથી રાજીનામું અથવા નિવૃત્તિ પર ચૂકવવામાં આવે છે. આવા કર્મચારીઓ માટે રજાના દિવસોની ન તો કોઈ નિશ્ચિત સંખ્યા છે કે ન તો રજાની રકમ પર કોઈ પ્રતિબંધ છે.

જો કે તેમાં પણ થોડો ફેરફાર છે અને સરકારી કર્મચારીઓ પણ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. જો તમે રેલ્વે, સરકારી હોસ્પિટલ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ જેવા સેક્ટરમાં કામ કરો છો તો તમને રજાઓના બદલામાં ચૂકવવામાં આવેલી સંપૂર્ણ રકમ પર ટેક્સમાં છૂટ આપવામાં આવશે. તે જ સમયે જો તમે મ્યુનિસિપલ કોર્પોરેશન, બેંક, વીમા કંપની જેવા સરકાર-નિયંત્રિત વિભાગોમાં કામ કરો છો તો તમારા પર ટેક્સ છૂટની મર્યાદા લાગુ થશે. આવા કર્મચારીઓને તેમના 10 મહિનાના પગારની બરાબર અથવા વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધીની રકમ પર જ ટેક્સમાં છૂટ આપવામાં આવશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે અલગ નિયમો

આવા કર્મચારીઓને એમ્પ્લોયર વતી રજાના બદલામાં રોકડ ચૂકવણી પણ કરવામાં આવે છે. જો આ રકમ તેના 10 મહિનાના પગારની બરાબર છે, તો તે  આવકવેરાના દાયરામાં આવશે. આની ઉપરની રકમ પર તેમણે તેમના સ્લેબ પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે. જો રૂપિયાના સંદર્ભમાં જોઈએ તો રજાઓના બદલામાં આ કર્મચારીઓને મળેલી 3 લાખ રૂપિયા સુધીની રકમ આવકવેરામાંથી સંપૂર્ણપણે મુક્ત હશે. આની ઉપરની રકમ પર ટેક્સ ભરવો પડશે.

સમગ્ર સેવા દરમિયાન 3 લાખની છૂટ

ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે એ જાણવું અગત્યનું છે કે રજાના બદલામાં તેમને મળેલી આવકવેરાની છૂટ સમગ્ર સેવા જીવન માટે રૂ. 3 લાખ છે. તેનો લાભ તમે નોકરી છોડો કે નિવૃત્ત થયા પછી જ મળે છે. જો તમે એમ્પ્લોયર પાસેથી મળેલી રજા રોકડ રકમ પર પહેલેથી જ કર મુક્તિ મેળવી લીધી હોય, તો આગલી વખતે તેની ગણતરી રૂ.3 લાખમાંથી અગાઉ લીધેલી રકમને બાદ કરીને કરવામાં આવશે.

ગગન નારંગે કહ્યું કે, કેટલાક એમ્પ્લોયરો તેમના કર્મચારીઓને નોકરી દરમિયાન પણ રજા રોકડની સુવિધા આપે છે. જો કે તે નોકરી છોડ્યા પછી અથવા નિવૃત્ત થયા પછી જ ચૂકવવામાં આવે છે, પરંતુ જો તમારા એમ્પ્લોયર નોકરી પર હોય ત્યારે સુવિધા પ્રદાન કરે છે, તો આવકવેરા વિભાગ દ્વારા આના પર કોઈ છૂટ આપવામાં આવશે નહીં. આવી રકમ તમારી આવકના ભાગ રૂપે ગણવામાં આવશે અને તમારા આવકવેરા અનુસાર કરને પાત્ર થશે.

આ પણ વાંચો : Zomato એ ખોરાકની ગુણવત્તા જાળવવા માટે લીધો આ મોટો નિર્ણય, જાણો શું છે નવી Food Quality Policy

આ પણ વાંચો :  PNB Scam : IT ડિપાર્ટમેન્ટે હજારો કરોડની છેતરપિંડી કરી વિદેશ પલાયન થઇ ગયેલા Mehul Choksi ની સંપત્તિ જપ્ત કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article