હૃદયની તંદુરસ્તી જાળવવામાં પણ યોગ ઉપયોગી થઈ શકે છે. યોગની લોકપ્રિયતા વધી છે કારણ કે તેનાથી લોકોને સ્વસ્થ રહેવામાં ઘણી મદદ મળી છે. હૃદયના સ્વાસ્થ્યને મજબૂત કરવા માટે, આ યોગ આસનો દરરોજ કરવાની આદત બનાવો.
ભુજંગાસન, આ યોગ આસનને કોબ્રા પોઝ પણ કહેવામાં આવે છે. તેનાથી હૃદયની તંદુરસ્તી તો જળવાઈ રહે છે સાથે સાથે શરીરમાં લચીલાપણું આવે છે. એટલું જ નહીં, આ યોગથી કમરના દુખાવામાં પણ રાહત મળે છે.
દરરોજ કરો તાડાસન, આ યોગ કરવાથી તમારા હૃદયના ધબકારા સુધરે છે અને બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. આ યોગ આસન હૃદયની નિષ્ફળતાથી પીડિત લોકોના સ્વાસ્થ્યને પણ સુધારે છે.
વૃક્ષાસન: આ યોગ આસન આપણા શરીરમાં સ્થિરતા અને સંતુલન લાવે છે. આમ કરવાથી ન માત્ર હૃદયની તંદુરસ્તી સારી રહે છે પરંતુ શરીરને અન્ય ઘણા ફાયદાઓ પણ મળે છે. આમાં તમારે વૃક્ષની જેમ ઊભા રહીને આસન કરવાનું છે.
વિરભદ્રાસનઃ આને યોદ્ધા પોઝ પણ કહેવાય છે. આ કરતી વખતે પગ વચ્ચે જગ્યા બનાવીને જમીન પર ઉભા રહીને યોગ કરવામાં આવે છે. આ યોગ આસન હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે.
Published On - 10:54 pm, Thu, 28 September 23