ડાયમંડનગરી સુરતના એરપોર્ટનો નવો અવતાર, વડાપ્રધાન મોદીએ શેયર કર્યા ફોટોસ

|

Dec 17, 2023 | 10:18 AM

17 ડિસેમ્બર, 2023નો દિવસ દરેક સુરતીઓ માટે યાદગાર રહેશે. ભારતના લોકપ્રિય વડાપ્રધાન મોદી આ દિવસે સુરતને નવા એરપોર્ટ ટર્મિનલ અને ડાયમંડ બુર્સની ભેટ આપશે. આ સાથે જ સુરતને મોદીમય બનાવવા માટે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

1 / 6
ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગને કારણે સુરત વિશ્વભરમાં પ્રખ્યાત છે. વડાપ્રધાન મોદી 17 ડિસેમ્બરે એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘટાન કરશે.

ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગને કારણે સુરત વિશ્વભરમાં પ્રખ્યાત છે. વડાપ્રધાન મોદી 17 ડિસેમ્બરે એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘટાન કરશે.

2 / 6
સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળતા સુરતના વિકાસને વેગ મળશે. તો સુરતમાં આર્થિક ગતિવિધીઓને પણ વધુ વેગ મળશે.

સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળતા સુરતના વિકાસને વેગ મળશે. તો સુરતમાં આર્થિક ગતિવિધીઓને પણ વધુ વેગ મળશે.

3 / 6
વડાપ્રધાન મોદીએ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલના ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરીને શહેરની દુનિયા સાથેની કનેક્ટિવિટી મજબૂત થવાની આશા વ્યક્ત કરી છે.

વડાપ્રધાન મોદીએ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલના ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરીને શહેરની દુનિયા સાથેની કનેક્ટિવિટી મજબૂત થવાની આશા વ્યક્ત કરી છે.

4 / 6
સુરત એરપોર્ટને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુરતમાં વિકસાવવામાં આવ્યું હતુ. પ્રાદેશિક એરલાઇન વાયુદૂત અને ગુજરાત એરવેઝ મૂળ રીતે આ એરપોર્ટ દ્વારા ઓપરેટ કરતી હતી. આ એરલાઈન્સે પાછળથી તેમની કામગીરી બંધ કરી દીધી હતી. ત્યારબાદ એરપોર્ટને વર્ષ 2003માં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની માલિકી હેઠળ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતુ.

સુરત એરપોર્ટને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુરતમાં વિકસાવવામાં આવ્યું હતુ. પ્રાદેશિક એરલાઇન વાયુદૂત અને ગુજરાત એરવેઝ મૂળ રીતે આ એરપોર્ટ દ્વારા ઓપરેટ કરતી હતી. આ એરલાઈન્સે પાછળથી તેમની કામગીરી બંધ કરી દીધી હતી. ત્યારબાદ એરપોર્ટને વર્ષ 2003માં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની માલિકી હેઠળ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતુ.

5 / 6
નવા ટર્મિનલને કારણે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટને નવુ રુપ મળ્યું છે. સુરતીઓને હવે વિદેશ જવા માટે અમદાવાદ કે મુંબઈ જેવા શહેરો શરુ લંબાવુ નહીં પડે. ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળતા આ એરપોર્ટથી મોટા વિદેશી શહેરો સુધીની ફલાઈટ શરુ થશે.

નવા ટર્મિનલને કારણે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટને નવુ રુપ મળ્યું છે. સુરતીઓને હવે વિદેશ જવા માટે અમદાવાદ કે મુંબઈ જેવા શહેરો શરુ લંબાવુ નહીં પડે. ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળતા આ એરપોર્ટથી મોટા વિદેશી શહેરો સુધીની ફલાઈટ શરુ થશે.

6 / 6
સુરત એરપોર્ટનું નિર્માણ ગુજરાત સરકાર દ્વારા 1970ના દાયકાની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. સંચાલન કરતી પ્રથમ એરલાઇન સફારી એરલાઇન્સ હતી (રેમન્ડ્સ ગ્રૂપની વિજયપત સિંઘાનિયાની માલિકીની), જેણે બોમ્બે અને ભાવનગર માટે નાના એરક્રાફ્ટનું સંચાલન કર્યું હતું, જે કદાચ 1970ના દાયકાની શરૂઆતમાં ડગ્લાસ ડીસી-3 ડાકોટા હતું, પરંતુ આખરે તે એક કે બે વર્ષમાં બંધ થઈ ગયું હતું.

સુરત એરપોર્ટનું નિર્માણ ગુજરાત સરકાર દ્વારા 1970ના દાયકાની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. સંચાલન કરતી પ્રથમ એરલાઇન સફારી એરલાઇન્સ હતી (રેમન્ડ્સ ગ્રૂપની વિજયપત સિંઘાનિયાની માલિકીની), જેણે બોમ્બે અને ભાવનગર માટે નાના એરક્રાફ્ટનું સંચાલન કર્યું હતું, જે કદાચ 1970ના દાયકાની શરૂઆતમાં ડગ્લાસ ડીસી-3 ડાકોટા હતું, પરંતુ આખરે તે એક કે બે વર્ષમાં બંધ થઈ ગયું હતું.

Published On - 7:41 pm, Sat, 16 December 23

Next Photo Gallery