ભારતના આ રાજ્યમાં આવેલુ છે હનુમાનજીનું સૌથી શક્તિશાળી મંદિર જ્યાં તેઓ ભગવાન શ્રીરામને પ્રથમવાર મળ્યા હતા- જુઓ તસવીરો

|

Jun 18, 2024 | 1:05 PM

ભગવાન હનુમાન રામાયણની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંની એક છે. તેમણે માત્ર લક્ષ્મણને પુનર્જીવિત કરવામાં મદદ કરી ન હતી પરંતુ લંકાને પણ આગ લગાડી હતી અને આખરે તેમને શ્રી રામ દ્વારા પૃથ્વીની નજીક રહેવા અને તેમની જરૂર હોય તેવા લોકોને મદદ કરવા માટે અમરત્વનું વરદાન આપવામાં આવ્યું હતું. હનુમાનજી ભગવાન રામને સૌપ્રથમવાર ક્યા મળ્યા હતા, આ મંદિર આજે ક્યા આવેલુ છે અને શું છે તેનુ પૌરાણિક મહત્વ- વાંચો

1 / 6
ભગવાન હનુમાન, હિન્દુ ધર્મના સૌથી શક્તિશાળી અને સમર્પિત દેવતાઓમાંના એક છે. તે શક્તિ, ભક્તિ, કરુણા અને પ્રેમનું પ્રતિક છે. ભગવાન રામના તેઓ પરમભક્ત છે.તેઓ હંમેશા જય શ્રીરામના નામનો જપ કરે છે અને તેમના ભક્તો માટે તેઓ સર્વશક્તિમાન છે અને તેમના ભક્તોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે.

ભગવાન હનુમાન, હિન્દુ ધર્મના સૌથી શક્તિશાળી અને સમર્પિત દેવતાઓમાંના એક છે. તે શક્તિ, ભક્તિ, કરુણા અને પ્રેમનું પ્રતિક છે. ભગવાન રામના તેઓ પરમભક્ત છે.તેઓ હંમેશા જય શ્રીરામના નામનો જપ કરે છે અને તેમના ભક્તો માટે તેઓ સર્વશક્તિમાન છે અને તેમના ભક્તોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે.

2 / 6
ભગવાન રામ અને હનુમાનજીની પ્રથમ મુલાકાત ક્યાં અને કેવી રીતે થઈ તેને લઈને અનેક દંતકથાઓ પ્રચલીત છે. જેમા સૌથી વધુ પ્રચલિત એ છે કે તેઓ જ્યારે રાજા સુગ્રીવ સાથે હતા ત્યારે એક દિવસ બંને સાથે બેઠા હતા. એ દરમિયાન સુગ્રીવે રામ અને લક્ષ્મણને જોયા અને તે ડરી ગયો. તેને લાગ્યુ કે તેના ભાઈ વાલી દ્વારા આ બંનેને તેને મારવા માટે મોકલવામાં આવ્યા છે, આથી સૌપ્રથમ હનુમાનજીને તેમણે તેમની પાસે મોકલ્યા. હનુમાનજી સાધુ વેશમાં રામ લક્ષ્મણ પાસે જાય છે અને સુગ્રીવની વાર્તા તેમને સંભળાવે છે. તેમની વાતચીત દરમિયાન હનુમાનજીને થોડી જ ક્ષણોમાં રામના દૈવીય અવતારનો અહેસાસ થાય છે અને તેઓ રામના પગમાં પડી જઈ તેમના ચરણ સ્પર્શ કરે છે. ત્યારબાદ માતા સિતાને શોધવા માટે તેઓ સુગ્રીવને મદદ માટે તૈયાર કરે છે.

ભગવાન રામ અને હનુમાનજીની પ્રથમ મુલાકાત ક્યાં અને કેવી રીતે થઈ તેને લઈને અનેક દંતકથાઓ પ્રચલીત છે. જેમા સૌથી વધુ પ્રચલિત એ છે કે તેઓ જ્યારે રાજા સુગ્રીવ સાથે હતા ત્યારે એક દિવસ બંને સાથે બેઠા હતા. એ દરમિયાન સુગ્રીવે રામ અને લક્ષ્મણને જોયા અને તે ડરી ગયો. તેને લાગ્યુ કે તેના ભાઈ વાલી દ્વારા આ બંનેને તેને મારવા માટે મોકલવામાં આવ્યા છે, આથી સૌપ્રથમ હનુમાનજીને તેમણે તેમની પાસે મોકલ્યા. હનુમાનજી સાધુ વેશમાં રામ લક્ષ્મણ પાસે જાય છે અને સુગ્રીવની વાર્તા તેમને સંભળાવે છે. તેમની વાતચીત દરમિયાન હનુમાનજીને થોડી જ ક્ષણોમાં રામના દૈવીય અવતારનો અહેસાસ થાય છે અને તેઓ રામના પગમાં પડી જઈ તેમના ચરણ સ્પર્શ કરે છે. ત્યારબાદ માતા સિતાને શોધવા માટે તેઓ સુગ્રીવને મદદ માટે તૈયાર કરે છે.

3 / 6
ભગવાન રામ અને હનુમાન સૌપ્રથમવાર મળ્યા એ સ્થળ કર્ણાટકમાં આવેલુ હમ્પી નગર હતુ. હમ્પી નામના અત્યંત સુંદર નગરમાં એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે જ્યાં ભગવાન રામ અને ભગવાન હનુમાન પ્રથમ વખત મળ્યા હતા. યંત્રધારક હનુમાન મંદિર હવે ભગવાન હનુમાનના સૌથી શક્તિશાળી મંદિરોમાંના એક તરીકે જાણીતું છે કારણ કે તે એ સ્થાન છે જ્યાં તેઓ તેમના 'રામ'ને પ્રથમ વખત મળ્યા હતા. ‘યંત્રધારક’ નામનો અર્થ ‘યંત્ર ધરાવનાર’ એવો થાય છે.આ સ્થાનમાં રહેલી શક્તિ અને ભક્તિનો અનુભવ કરવા વિશ્વભરમાંથી ભાવિકો અહીં દર્શન માટે આવે છે.

ભગવાન રામ અને હનુમાન સૌપ્રથમવાર મળ્યા એ સ્થળ કર્ણાટકમાં આવેલુ હમ્પી નગર હતુ. હમ્પી નામના અત્યંત સુંદર નગરમાં એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે જ્યાં ભગવાન રામ અને ભગવાન હનુમાન પ્રથમ વખત મળ્યા હતા. યંત્રધારક હનુમાન મંદિર હવે ભગવાન હનુમાનના સૌથી શક્તિશાળી મંદિરોમાંના એક તરીકે જાણીતું છે કારણ કે તે એ સ્થાન છે જ્યાં તેઓ તેમના 'રામ'ને પ્રથમ વખત મળ્યા હતા. ‘યંત્રધારક’ નામનો અર્થ ‘યંત્ર ધરાવનાર’ એવો થાય છે.આ સ્થાનમાં રહેલી શક્તિ અને ભક્તિનો અનુભવ કરવા વિશ્વભરમાંથી ભાવિકો અહીં દર્શન માટે આવે છે.

4 / 6
ભારતના અન્ય મંદિરોની જેમ, યંત્રધારક મંદિર સાથે પણ અનેક દંતકથાઓ જોડાયેલી છે. એક લોકપ્રિય દંતકથા મુજબ મંદિરની સ્થાપના મહાન હિન્દુ ઋષિ, શ્રી વ્યાસરાજ દ્વારા કરવામાં આવી હતી. માન્યતાઓ અનુસાર, ઋષિ વ્યાસરાજ ભગવાન હનુમાનની દરરોજ તે સ્થળની નજીક પ્રાર્થના કરતા હતા અને તેઓ કોલસાનો ઉપયોગ કરીને ભગવાન હનુમાનનું ચિત્ર દોરતા હતા. એક વખત ઋષિની પ્રાર્થના થઈ જાય તે પછી આ ચિત્ર દરરોજ પોતાની જાતે જ ભૂંસાઈ જતું હતું. આ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને એકવાર હનુમાનજીએ તેમને દર્શન આપ્યા અને તેમને યંત્રની અંદર હનુમાનની મૂર્તિ સ્થાપિત કરવાની સૂચના આપી. એક રહસ્યમય યંત્રની વચ્ચે બેઠેલા ભગવાન હનુમાન સાથેનું આ કોતરકામ તમામ ઉર્જાનો સ્ત્રોત કહેવાય છે.

ભારતના અન્ય મંદિરોની જેમ, યંત્રધારક મંદિર સાથે પણ અનેક દંતકથાઓ જોડાયેલી છે. એક લોકપ્રિય દંતકથા મુજબ મંદિરની સ્થાપના મહાન હિન્દુ ઋષિ, શ્રી વ્યાસરાજ દ્વારા કરવામાં આવી હતી. માન્યતાઓ અનુસાર, ઋષિ વ્યાસરાજ ભગવાન હનુમાનની દરરોજ તે સ્થળની નજીક પ્રાર્થના કરતા હતા અને તેઓ કોલસાનો ઉપયોગ કરીને ભગવાન હનુમાનનું ચિત્ર દોરતા હતા. એક વખત ઋષિની પ્રાર્થના થઈ જાય તે પછી આ ચિત્ર દરરોજ પોતાની જાતે જ ભૂંસાઈ જતું હતું. આ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને એકવાર હનુમાનજીએ તેમને દર્શન આપ્યા અને તેમને યંત્રની અંદર હનુમાનની મૂર્તિ સ્થાપિત કરવાની સૂચના આપી. એક રહસ્યમય યંત્રની વચ્ચે બેઠેલા ભગવાન હનુમાન સાથેનું આ કોતરકામ તમામ ઉર્જાનો સ્ત્રોત કહેવાય છે.

5 / 6
યંત્રધારક મંદિરની સૌથી વિશિષ્ટ વિશેષતાઓમાંની એક એ છે કે ભગવાન હનુમાનને કેવી રીતે દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે, ભગવાન હનુમાનને ઉડતા અથવા દ્રોણાગિરિ પર્વત સાથે ઉભા દર્શાવવામાં આવે છે, પરંતુ અહીં તેઓ યંત્રની અંદર મધ્યમાં બેઠા છે. હનુમાનજી શાંત અને શાંતિપૂર્ણ દેખાય છે, જાણે કે તેઓ યંત્રનો ઉપયોગ કરીને વિશ્વને નિયંત્રિત કરતા ઊંડા ધ્યાનમાં હોય. એવું કહેવાય છે કે આ યંત્ર બ્રહ્માંડને દર્શાવે છે અને તેનું પ્રતિનિધિત્વ કરે છે અને મધ્યમાં બેઠેલા હનુમાનજી બતાવે છે કે તેઓ વિશ્વભરની ઊર્જા અને શક્તિને કેવી રીતે નિયંત્રિત કરે છે.

યંત્રધારક મંદિરની સૌથી વિશિષ્ટ વિશેષતાઓમાંની એક એ છે કે ભગવાન હનુમાનને કેવી રીતે દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે, ભગવાન હનુમાનને ઉડતા અથવા દ્રોણાગિરિ પર્વત સાથે ઉભા દર્શાવવામાં આવે છે, પરંતુ અહીં તેઓ યંત્રની અંદર મધ્યમાં બેઠા છે. હનુમાનજી શાંત અને શાંતિપૂર્ણ દેખાય છે, જાણે કે તેઓ યંત્રનો ઉપયોગ કરીને વિશ્વને નિયંત્રિત કરતા ઊંડા ધ્યાનમાં હોય. એવું કહેવાય છે કે આ યંત્ર બ્રહ્માંડને દર્શાવે છે અને તેનું પ્રતિનિધિત્વ કરે છે અને મધ્યમાં બેઠેલા હનુમાનજી બતાવે છે કે તેઓ વિશ્વભરની ઊર્જા અને શક્તિને કેવી રીતે નિયંત્રિત કરે છે.

6 / 6
આ મંદિર ભગવાન રામ અને હનુમાનના પ્રથમ મિલનના સ્થળ તરીકે પ્રખ્યાત છે ત્યારે લોકો હંમેશા અહીંથી મળતી ઊર્જા વિશે વાત કરે છે. એવું કહેવાય છે કે ભગવાન રામ અને હનુમાન બંનેના ભક્તો એ જગ્યાએ ઉચ્ચ કોટીની ઊર્જાની અનુભૂતિ કરે છે. ખાસ કરીને મંદિરમાં યંત્રને શાંત ચિત્તે જોયા પછી તેમના અશાંત મનને અપાર પ્રસન્નતા અને શાંતિની ભાવનાથી ભરી દે છે. યંત્ર અને હનુમાનજીનું સંયોજન આ વિસ્તારને એવી સકારાત્મક અને દૈવી શક્તિઓથી ભરી દે છે કે તેને શબ્દોમાં વર્ણવી ન શકાય. ઉપરાંત, તે મંદિરની અપાર ઊર્જાનું બીજું કારણ એવું માનવામાં આવે છે કે ઋષિ વ્યાસરાજે આ મંદિરમાં જ યંત્રધારક સ્તોત્ર લખ્યા હતા.

આ મંદિર ભગવાન રામ અને હનુમાનના પ્રથમ મિલનના સ્થળ તરીકે પ્રખ્યાત છે ત્યારે લોકો હંમેશા અહીંથી મળતી ઊર્જા વિશે વાત કરે છે. એવું કહેવાય છે કે ભગવાન રામ અને હનુમાન બંનેના ભક્તો એ જગ્યાએ ઉચ્ચ કોટીની ઊર્જાની અનુભૂતિ કરે છે. ખાસ કરીને મંદિરમાં યંત્રને શાંત ચિત્તે જોયા પછી તેમના અશાંત મનને અપાર પ્રસન્નતા અને શાંતિની ભાવનાથી ભરી દે છે. યંત્ર અને હનુમાનજીનું સંયોજન આ વિસ્તારને એવી સકારાત્મક અને દૈવી શક્તિઓથી ભરી દે છે કે તેને શબ્દોમાં વર્ણવી ન શકાય. ઉપરાંત, તે મંદિરની અપાર ઊર્જાનું બીજું કારણ એવું માનવામાં આવે છે કે ઋષિ વ્યાસરાજે આ મંદિરમાં જ યંત્રધારક સ્તોત્ર લખ્યા હતા.

Published On - 1:05 pm, Tue, 18 June 24

Next Photo Gallery