IND vs BAN: શું ટીમ ઈન્ડિયા આ સ્ટાર ખેલાડીને બહાર રાખશે? રોહિત-ગંભીરે લીધો મોટો નિર્ણય

|

Sep 16, 2024 | 6:51 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈમાં યોજાશે અને એવા અહેવાલો છે કે ટીમ ઈન્ડિયાએ નક્કી કરી લીધું છે કે તે પ્રથમ ટેસ્ટમાં કયા સ્પિનરોને તક આપશે. આ મોટા ખેલાડીને પ્રથમ ટેસ્ટમાં બહાર બેસવું પડી શકે છે.

1 / 5
ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયાનો પ્રેક્ટિસ કેમ્પ યોજવામાં આવ્યો છે જ્યાં કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં દરેક ખેલાડી પરસેવો પાડી રહ્યો છે. હવે બાંગ્લાદેશ સામે ચેન્નાઈમાં રમાનારી ટેસ્ટ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. (Photo-BCCI twitter)

ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયાનો પ્રેક્ટિસ કેમ્પ યોજવામાં આવ્યો છે જ્યાં કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં દરેક ખેલાડી પરસેવો પાડી રહ્યો છે. હવે બાંગ્લાદેશ સામે ચેન્નાઈમાં રમાનારી ટેસ્ટ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. (Photo-BCCI twitter)

2 / 5
એવા અહેવાલ છે કે ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટમાં કોઈ મોટા ખેલાડીને તક નહીં આપે. અમે વાત કરી રહ્યા છીએ અક્ષર પટેલ વિશે જેને પ્રથમ ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં તક મળવી મુશ્કેલ છે. PTIના અહેવાલ મુજબ, અક્ષર પટેલ ગૌતમ ગંભીર અને રોહિત શર્માની રણનીતિમાં પ્લેઈંગ ઈલેવનમાં ફિટ નથી. (Photo-BCCI twitter)

એવા અહેવાલ છે કે ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટમાં કોઈ મોટા ખેલાડીને તક નહીં આપે. અમે વાત કરી રહ્યા છીએ અક્ષર પટેલ વિશે જેને પ્રથમ ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં તક મળવી મુશ્કેલ છે. PTIના અહેવાલ મુજબ, અક્ષર પટેલ ગૌતમ ગંભીર અને રોહિત શર્માની રણનીતિમાં પ્લેઈંગ ઈલેવનમાં ફિટ નથી. (Photo-BCCI twitter)

3 / 5
PTIના અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનરો સાથે ચેન્નાઈ ટેસ્ટમાં ઉતરશે, જેમાં અશ્વિન અને જાડેજાનું રમવાનું નિશ્ચિત છે. ત્રીજા સ્પિનરની રેસમાં કુલદીપ યાદવનું નામ ફાઈનલ હોવાનું કહેવાય છે. જો કુલદીપ રમે છે તો અક્ષર પટેલ બેન્ચ પર બેસશે તે નિશ્ચિત છે. જો કે, અક્ષર પટેલને પડતો મૂકવો એ સરળ નિર્ણય નહીં હોય કારણ કે આ ખેલાડી અત્યારે શાનદાર ફોર્મમાં છે. (Photo-BCCI twitter)

PTIના અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનરો સાથે ચેન્નાઈ ટેસ્ટમાં ઉતરશે, જેમાં અશ્વિન અને જાડેજાનું રમવાનું નિશ્ચિત છે. ત્રીજા સ્પિનરની રેસમાં કુલદીપ યાદવનું નામ ફાઈનલ હોવાનું કહેવાય છે. જો કુલદીપ રમે છે તો અક્ષર પટેલ બેન્ચ પર બેસશે તે નિશ્ચિત છે. જો કે, અક્ષર પટેલને પડતો મૂકવો એ સરળ નિર્ણય નહીં હોય કારણ કે આ ખેલાડી અત્યારે શાનદાર ફોર્મમાં છે. (Photo-BCCI twitter)

4 / 5
અક્ષર તાજેતરમાં જ દુલીપ ટ્રોફી મેચમાં ઈન્ડિયા D માટે રમ્યો હતો જ્યાં તેણે ઈન્ડિયા C સામે 86 અને 28 રનની ઇનિંગ્સ રમી હતી. જો અક્ષર પ્લેઈંગ ઈલેવનમાં હોય તો તે બેટિંગમાં પણ ઊંડાણ આપે છે અને ટેસ્ટ ક્રિકેટમાં તેનો રેકોર્ડ પણ શાનદાર છે. તેણે 14 ટેસ્ટમાં 35થી વધુની એવરેજથી 646 રન બનાવ્યા છે અને બોલિંગમાં તેના નામે માત્ર 19.34ની એવરેજથી 55 વિકેટ છે. (Photo-BCCI twitter)

અક્ષર તાજેતરમાં જ દુલીપ ટ્રોફી મેચમાં ઈન્ડિયા D માટે રમ્યો હતો જ્યાં તેણે ઈન્ડિયા C સામે 86 અને 28 રનની ઇનિંગ્સ રમી હતી. જો અક્ષર પ્લેઈંગ ઈલેવનમાં હોય તો તે બેટિંગમાં પણ ઊંડાણ આપે છે અને ટેસ્ટ ક્રિકેટમાં તેનો રેકોર્ડ પણ શાનદાર છે. તેણે 14 ટેસ્ટમાં 35થી વધુની એવરેજથી 646 રન બનાવ્યા છે અને બોલિંગમાં તેના નામે માત્ર 19.34ની એવરેજથી 55 વિકેટ છે. (Photo-BCCI twitter)

5 / 5
કુલદીપ યાદવ પણ એક વિકેટ ટેકિંગ બોલર છે. આ ખેલાડીએ 12 ટેસ્ટમાં 53 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે છેલ્લી કેટલીક મેચોમાં તેની બેટિંગ પર પણ ઘણું કામ કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ રિપોર્ટ કેટલો સાચો સાબિત થાય છે. અન્ય ખેલાડીઓની વાત કરીએ તો, બુમરાહ અને સિરાજ પ્લેઈંગ ઈલેવનમાં રહેશે અને પંતને વિકેટકીપર તરીકે તક મળશે. (Photo-BCCI twitter)

કુલદીપ યાદવ પણ એક વિકેટ ટેકિંગ બોલર છે. આ ખેલાડીએ 12 ટેસ્ટમાં 53 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે છેલ્લી કેટલીક મેચોમાં તેની બેટિંગ પર પણ ઘણું કામ કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ રિપોર્ટ કેટલો સાચો સાબિત થાય છે. અન્ય ખેલાડીઓની વાત કરીએ તો, બુમરાહ અને સિરાજ પ્લેઈંગ ઈલેવનમાં રહેશે અને પંતને વિકેટકીપર તરીકે તક મળશે. (Photo-BCCI twitter)

Next Photo Gallery