અશાંત મણિપુર સૈન્યના હવાલે જેવી સ્થિતિ, ઠેર ઠેર સૈન્ય જવાનોએ યોજી ફ્લેગ માર્ચ, જુઓ ફોટા

મણિપુરમાં ફરીથી ભડકેલી હિંસા બાદ વાતાવરણ ખૂબ જ તંગ છે. ઉશ્કેરાયેલા લોકોએ ધારાસભ્યોને નિશાને લીધા છે. સરકારી વાહનોની પણ તોડફોડ કરી છે. મણિપુરની સ્થિતિ કાબૂ બહાર જતા, સરકારને ટેકો આપનાર નેશનલ પિપલ્સ પાર્ટીએ એન બિરેન સિંહની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે. એનપીપીના આ પગલાને કારણે મણિપુરની વર્તમાન સરકાર લધુમતિમાં આવી ગઈ છે. ભાજપની સરકાર બચાવવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન દિલ્લીમાં સતત બેઠકોનો દૌર ચલાવી રહ્યાં છે.

| Edited By: | Updated on: Nov 18, 2024 | 3:34 PM
4 / 5
મણિપુરમાં નવેસરથી ભડકેલી હિંસા બાદ, સ્થિતિને થાળે પાડવા માટે ભારતીય સેના અને આસામ રાઈફલ્સના જવાનોએ ઈમ્ફાલમાં ફ્લેગ માર્ચ કાઢી હતી. ફ્લેગમાર્ચ થકી સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરાયો હતો.

મણિપુરમાં નવેસરથી ભડકેલી હિંસા બાદ, સ્થિતિને થાળે પાડવા માટે ભારતીય સેના અને આસામ રાઈફલ્સના જવાનોએ ઈમ્ફાલમાં ફ્લેગ માર્ચ કાઢી હતી. ફ્લેગમાર્ચ થકી સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરાયો હતો.

5 / 5
મણિપુરમાં રોષે ભરાયેલા ટોળાએ ઇમ્ફાલમાં ભાજપના ધારાસભ્ય કોંગખામ રોબિન્દ્રોના પૈતૃક મકાનમાં તોડફોડ કરી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ હિંસાનો આશરો લીધો હતો અને અનેક ધારાસભ્યો અને મંત્રીઓના ઘરોમાં તોડફોડ કરી હતી. અનેક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. રાજ્યના 6 જિલ્લામાં પહેલાથી જ ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે. ( તસવીર સૌજન્ય-PTI )

મણિપુરમાં રોષે ભરાયેલા ટોળાએ ઇમ્ફાલમાં ભાજપના ધારાસભ્ય કોંગખામ રોબિન્દ્રોના પૈતૃક મકાનમાં તોડફોડ કરી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ હિંસાનો આશરો લીધો હતો અને અનેક ધારાસભ્યો અને મંત્રીઓના ઘરોમાં તોડફોડ કરી હતી. અનેક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. રાજ્યના 6 જિલ્લામાં પહેલાથી જ ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે. ( તસવીર સૌજન્ય-PTI )

Published On - 3:33 pm, Mon, 18 November 24