શું પ્રોવિડન્ટ ફંડમાંથી તમે પણ ઉપાડો છો પૈસા? તો થઈ જાવ સાવધાન કારણકે 1 લાખ ઉપાડવા પર થાય છે 11 લાખનું નુક્સાન

પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ કરવાથી મોટું નુકસાન થાય છે. એક ગણતરી મુજબ જો તમે આ ફંડમાંથી 1 લાખ રૂપિયા ઉપાડો છો તો આ રીટાયરમેન્ટ ફંડને લગભગ 11 લાખ રૂપિયાનું નુકસાન થાય છે.

શું પ્રોવિડન્ટ ફંડમાંથી તમે પણ ઉપાડો છો પૈસા? તો થઈ જાવ સાવધાન કારણકે 1 લાખ ઉપાડવા પર થાય છે 11 લાખનું નુક્સાન
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 12:13 AM

ફાઈનાન્સીયલ એક્સપર્ટ નોકરી કરતાં લોકોને હમેશાં સલાહ આપતા હોય છે કે જો જરૂરી કારણ ન હોય તો પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ન ઉપાડવા જોઈએ. જો તમે નિવૃત્તિના થોડા વર્ષો પહેલા આ પૈસા ઉપાડી રહ્યા છો તો સમજી લો કે તમે તમારું પોતાનું નુકસાન કરી રહ્યા છો.

આ ભંડોળ તમારા ભવિષ્ય માટે છે અને આ ભંડોળમાંથી 1 રૂપિયા પાછું ખેંચવાથી નિવૃત્તિ ભંડોળ પર 11 ગણો તફાવત આવે છે. જો કે, સરકારે હાલની મહામારીની પરિસ્થીતીને ધ્યાનમા રાખીને પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડવાના નિયમોને પણ સરળ બનાવ્યા છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

એક અંદાજ મુજબ જો તમે ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપાડ્યા છે તો સમજો કે તમે તમારા 11 લાખ રૂપિયા ગુમાવ્યા છે. એક મીડિયા દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલમાં EPFO​​ના નિવૃત્ત સહાયક કમિશનર એ.કે. શુક્લા કહે છે કે જો તમારી નિવૃત્તિમાં 30 વર્ષ બાકી છે અને તમે PF એકાઉન્ટ(EPF Withdrawal)માંથી 1 લાખ રૂપિયા ઉપાડો છો તો તમારા નિવૃત્તિ ભંડોળમાંથી 11.55 લાખ રૂપિયા ઘટી જશે.

હકીકતમાં જો તમે તમારા આ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા જમા કરેલા જ રાખ્યા હોત તો તમને તેના પર વ્યાજ મળતું હોત અને આ રકમ 11.55 લાખ રૂપિયા થઈ ગઈ હોત. એક અનુમાન મુજબ જો તમારી નિવૃત્તિમાં 20 વર્ષ બાકી છે અને તમે 50 હજાર રૂપિયા ઉપાડો છો તો તમને 2 લાખ 5 હજાર રૂપિયાનું નુકસાન છે. તેવી જ રીતે 1 લાખ રૂપિયા પર 5 લાખ 11 હજાર રૂપિયા, 2 લાખ રૂપિયા પર 10 લાખ 22 હજાર રૂપિયા, 3 લાખ રૂપિયા પર 15 લાખ 33 હજાર રૂપિયાનું નુકસાન છે.

જો તમારી નિવૃત્તિમાં 30 વર્ષ બાકી છે અને તમે 50 હજાર રૂપિયા ઉપાડો છો તો 5 લાખ 27 હજાર રૂપિયાનું નુકસાન થાય છે. તે જ સમયે, 1 લાખ રૂપિયા ઉપાડવા પર 11 લાખ 55 હજાર રૂપિયા, 2 લાખ રૂપિયા પર 23 લાખ 11 હજાર રૂપિયા, 3 લાખ રૂપિયા પર 34 લાખ 67 હજાર રૂપિયાનું નુકસાન થાય છે.

પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડના નિયમોની વાત કરીએ તો 7 વર્ષની સેવા પછી પોતાના લગ્ન, બાળકોના લગ્ન માટે મહત્તમ 50 ટકા ઉપાડી શકાય છે. જેમાં કર્મચારીનો 50 હિસ્સો ટકા હશે. અભ્યાસ માટે પણ 50 ટકા સુધી ઉપાડી શકાય છે. ઘર બનાવવા અથવા જમીન ખરીદવા માટે 5 વર્ષ સુધી નોકરી કર્યા બાદ આ ફંડમાંથી પૈસા ઉપાડી શકાય છે. આ રકમ માસિક વેતન અને મોંઘવારી ભથ્થાના 24 ગણા સુધી હોઈ શકે છે.

હોમ લોનની ચુકવણી માટે કર્મચારી અને એમ્પ્લોયરનો 90% હિસ્સો પાછો ખેંચી શકાય છે. આ માટે 10 વર્ષની નોકરી કરેલી હોવી જરૂરી છે. ઘરના નવીનીકરણ માટે માસિક વેતન 12 ગણા સુધી ઉપાડી શકાય છે. આ માટે ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી કરેલી હોવી જરૂરી છે.

મેડીકલ ઈમરજન્સીના કિસ્સામાં 6 મહિનાનું મૂળભૂત માસિક વેતન અને મોંઘવારી ભથ્થું ઉપાડી શકાય છે. તે કર્મચારી શેરના હિસ્સામાંથી ઉપાડી શકાય છે. નોકરી ગુમાવવાના કિસ્સામાં, કુલ ભંડોળના 75 ટકા સુધી ઉપાડી શકાય છે. 57 વર્ષ પૂરા થવા પર નોકરી ગુમાવવાના કિસ્સામાં નિવૃત્તિ ભંડોળમાંથી 90% સુધી ઉપાડી શકાય છે.

આ પણ વાંચો :  Gold Silver Price: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો મોટો ઉછાળો, સોનું રૂ .446 અને ચાંદી રૂ .888 જેટલું ચમક્યું

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">