Weather Update: ગુજરાત-મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિ, દિલ્હીમાં યમુના ખતરાના નિશાનને પાર, જાણો આજે કેવુ રહેશે હવામાન

દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધવા લાગ્યું છે. રવિવારે સવારે પાણીનું સ્તર ખતરાના નિશાનથી 205.75 મીટર ઉપર નોંધાયું હતું. જેના કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં હજુ પણ પૂરનો ખતરો છે. યમુનાના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ પહેલેથી જ ઊભી થઈ હતી.

Weather Update: ગુજરાત-મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિ, દિલ્હીમાં યમુના ખતરાના નિશાનને પાર, જાણો આજે કેવુ રહેશે હવામાન
Weather Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 9:37 AM

ઉત્તર ભારતના રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદે આફતનું રૂપ ધારણ કર્યું હતું. ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને જનજીવન પણ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અત્યારે પણ ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વાવાઝોડાના વાદળો હવે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ વળ્યા છે, જ્યાં ઘણા વિસ્તારોમાં એક જ દિવસમાં 250 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે રવિવારે પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ યમુનાના પાણીનો ફરી એકવાર ખતરો મંડરવા લાગ્યો છે.

દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધવા લાગ્યું છે. રવિવારે સવારે પાણીનું સ્તર ખતરાના નિશાનથી 205.75 મીટર ઉપર નોંધાયું હતું. જેના કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં હજુ પણ પૂરનો ખતરો છે. યમુનાના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ પહેલેથી જ ઊભી થઈ હતી. વાસ્તવમાં, શનિવારે, હરિયાણાના હથનીકુંડ બેરેજથી યમુના નદીમાં દિલ્હી તરફ 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે યમુનાના જળ સ્તરમાં વધારો થવાની સંભાવના પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી હતી. જો યમુનાનું જળસ્તર 206.7 મીટર સુધી પહોંચે છે, તો યમુના ખાદરના ઘણા વિસ્તારોમાં પાણી પ્રવેશી શકે છે અને પૂર આવી શકે છે.

Bigg Boss 18 : સલમાન ખાન છે સૌથી વધુ પગાર લેનાર હોસ્ટ, ફી જાણીને ચોંકી જશો
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ફૂડ ?
દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો

સૌરાષ્ટ્ર અને જૂનાગઢમાં પૂર

ઉત્તર ભારતમાં તબાહીનું દ્રશ્ય બતાવ્યા બાદ આકાશી આફત ગુજરાત તરફ વળી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. રાજ્યના નવસારી અને જૂનાગઢ શહેરમાં વરસાદની સૌથી વધુ અસર થઈ છે. જૂનાગઢમાં શનિવારે સવારથી વરસાદ શરૂ થયો હતો અને તે સતત ચાલુ રહ્યો હતો. જૂનાગઢમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 219 મીમી વરસાદ નોંધાયો હતો.

ત્યારે દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ વરસાદે ભારે તબાહી મચાવી હતી. શનિવારે સાંજે 4 વાગ્યા સુધી નવસારીમાં 303 મીમી અને જલાલપોરમાં 276 મીમી વરસાદ નોંધાયો હતો. નવસારીમાં પૂરના કારણે શનિવારે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પણ જામ થઈ ગયો હતો.

રવિવારે પણ ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદ

દ્વારકા, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, વલસાડ અને અમરેલી ગુજરાતના એવા જિલ્લાઓ છે જે શનિવારે ભારે વરસાદથી પ્રભાવિત થયા હતા. હવામાન વિભાગનું કહેવું છે કે આ રવિવારે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને રવિવારે પણ વરસાદ માટે તૈયાર રહેવા એલર્ટ કર્યું છે.

હવામાન વિભાગે ગુજરાતના માછીમારોને 26 જુલાઈ સુધી દરિયામાં ન જવાની ચેતવણી પણ આપી છે. NDRFની ટીમો ઘણા વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અમિત શાહ સતત ગુજરાતના અધિકારીઓના સંપર્કમાં છે.

મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. ભિવંડીમાં મુશળધાર વરસાદને કારણે આ વિસ્તારમાં પૂર આવ્યું હતું અને તેમાં અનેક વાહનો અને મકાનો ડૂબી ગયા હતા. યવતમાલ જિલ્લાના આનંદ નગર ગામમાં પૂરમાં ઘણા લોકો ફસાયા હતા, જેમને ભારતીય વાયુસેનાની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

યવતમાલમાં શનિવારે જ 240 મીમી વરસાદ થયો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રવિવારે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, રાજધાની મુંબઈમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હિમાચલ-મધ્યપ્રદેશમાં પણ વરસાદ

હિમાચલ પ્રદેશમાં પણ જ્યારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસાના વાદળો એકસાથે વરસ્યા છે, ત્યારથી સ્થિતિ સામાન્ય થઈ નથી. હિમાચલમાં વારંવાર વાદળ ફાટવાની ઘટનાઓને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. તે જ સમયે, મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. રવિવારે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને લઈને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
g clip-path="url(#clip0_868_265)">