AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP: સીએમ બન્યા બાદ યોગી આદિત્યનાથ પહેલીવાર અયોધ્યા પહોંચ્યા, શ્રી રામ લલ્લાની પૂજા કરી

અહીં સીએમ યોગીએ હનુમાનગઢી અને શ્રી રામ લલ્લાની પૂજા કરી હતી. આ સાથે તેમણે રામ મંદિર નિર્માણ કાર્યની પ્રગતિ અંગે પણ જાણકારી મેળવી હતી. તેમજ સંતોના આશીર્વાદ લીધા હતા.

UP: સીએમ બન્યા બાદ યોગી આદિત્યનાથ પહેલીવાર અયોધ્યા પહોંચ્યા, શ્રી રામ લલ્લાની પૂજા કરી
Yogi Adityanath In Ayodhya
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 6:37 PM
Share

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત મોટી જીત નોંધાવી છે. જે બાદ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સતત બીજી વખત સીએમ બન્યા છે. સીએમ બન્યા બાદ યોગી આદિત્યનાથ પહેલીવાર આજે ​ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા (Ayodhya) પહોંચ્યા હતા. અહીં સીએમ યોગીએ હનુમાનગઢી અને શ્રી રામ લલ્લાની પૂજા કરી હતી. આ સાથે તેમણે રામ મંદિર નિર્માણ કાર્યની પ્રગતિ અંગે પણ જાણકારી મેળવી હતી. તેમજ સંતોના આશીર્વાદ લીધા હતા. અહીંથી સીએમ યોગી દેવીપાટણ મંડળ પણ જશે. આ સિવાય 2 એપ્રિલે તેઓ સિદ્ધાર્થનગરમાં સંચારી રોગ નિયંત્રણ અભિયાન શરૂ કરશે.

સીએમ યોગીએ શ્રી રામ લલ્લાના દર્શન કર્યા

સીએમ યોગીના અયોધ્યા આગમનને લઈને સંતોમાં ઉત્સાહ

આજે અયોધ્યાની મુલાકાત લેતા પહેલા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સૈનિક સ્કૂલ સરોજિની નગર વડાપ્રધાનની પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ભાગ લીધો હતો. આ પછી, તેમણે MLC ચૂંટણીને લઈને ગામના વડા અને ગ્રામ પંચાયતના સભ્યો, વોર્ડ સભ્યો સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો. આ પછી સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા. સીએમ યોગીના અયોધ્યા આગમનને લઈને સંતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

મુખ્યમંત્રીએ બજરંગ બલીના આશીર્વાદ લીધા

અયોધ્યામાં સીએમ યોગી આદિત્યનાથે સૌથી પહેલા હનુમાનગઢી પહોંચ્યા બાદ બજરંગ બલીના આશીર્વાદ લીધા હતા. અહીંથી સીએમ યોગી શ્રી રામ લલ્લાના દર્શન કરવા આવ્યા હતા. તમને જણાવી દઈએ કે યોગી આદિત્યનાથે આ પહેલા પણ ઘણી વખત અયોધ્યાની મુલાકાત લીધી હતી અને ત્યાં તેમણે ઘણી વિકાસ યોજનાઓ શરૂ કરી હતી. જે બાદ માનવામાં આવે છે કે સીએમ યોગી તે વિકાસ યોજનાઓનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ મંગાવશે.

દેવીપાટણ મંડળમાં રાત્રિ આરામ કરશે

મળતી માહિતી મુજબ, અયોધ્યા પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા મંડળના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરશે. આ પછી લોકોને મળ્યા બાદ તેઓ દેવીપાટણ મંડળમાં રાત્રિ આરામ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામકોટની પરિક્રમા પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નવ સંવત્સરની પૂર્વ સંધ્યાએ પ્રસ્તાવિત છે. આ પરિક્રમામાં હજારો લોકો ભાગ લેશે. આ સિવાય 2 એપ્રિલે સીએમ યોગી સિદ્ધાર્થનગરથી સંચારી રોગ નિયંત્રણ અભિયાનની શરૂઆત કરશે.

આ પણ વાંચો : Rajasthan: રાજસ્થાનમાં આજથી 50 યુનિટ વીજળી મફત, સરકારી હોસ્પિટલોમાં CT સ્કેન, MRI જેવા મોંઘા ટેસ્ટ મફત થશે

આ પણ વાંચો : Punjab: ભગવંત માન ચંદીગઢને તેમના અધિકારક્ષેત્રમાં લાવવા માંગે છે, પંજાબ વિધાનસભાએ કેન્દ્ર વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો

g clip-path="url(#clip0_868_265)">