Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: ભગવંત માન ચંદીગઢને તેમના અધિકારક્ષેત્રમાં લાવવા માંગે છે, પંજાબ વિધાનસભાએ કેન્દ્ર વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો

આ ઠરાવ સંપૂર્ણ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યો હતો કારણ કે ભાજપ સિવાય તમામ પક્ષોએ તેને ટેકો આપ્યો હતો. ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, શિરોમણી અકાલી દળના સભ્યો અને બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય આ પ્રસ્તાવના સમર્થનમાં આવ્યા.

Punjab: ભગવંત માન ચંદીગઢને તેમના અધિકારક્ષેત્રમાં લાવવા માંગે છે, પંજાબ વિધાનસભાએ કેન્દ્ર વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો
PUNJAB CM BHAGWANT MANN
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 5:01 PM

પંજાબ વિધાનસભાએ (Punjab Assembly) શુક્રવારે ચંદીગઢને તાત્કાલિક રાજ્યમાં ટ્રાન્સફર કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. મુખ્યપ્રધાન ભગવંત માને (Bhagwant Maan) ભારતીય જનતા પાર્ટીના બે ધારાસભ્યોની ગેરહાજરીમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ ધારાસભ્યો ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની જાહેરાતના સંદર્ભમાં વિધાનસભાનું આ એક દિવસીય વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના કર્મચારીઓ પર પણ કેન્દ્રીય સેવા નિયમો લાગુ થશે.

આ ઠરાવ સંપૂર્ણ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યો હતો કારણ કે ભાજપ સિવાય તમામ પક્ષોએ તેને ટેકો આપ્યો હતો. ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, શિરોમણી અકાલી દળના સભ્યો અને બહુજન સમાજ પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય આ પ્રસ્તાવના સમર્થનમાં આવ્યા અને કેન્દ્રના પગલાને સરમુખત્યારશાહી અને નિરંકુશ ગણાવ્યા. ચંદીગઢ પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની છે.

દહીંમાં હિંગ ભેળવીને ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય છે?
શું કાકડીના સલાડમાં મીઠું નાખવું જોઈએ?
આજનું રાશિફળ તારીખ : 10-04-2025
41.7 કરોડ… IPL 2025માં આ મેચને મળી સૌથી વધુ વ્યૂઅરશીપ
RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે કહી દીધી મનની વાત ! જુઓ Photos
Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું જોઈએ? જાણી લો

પ્રસ્તાવ રજૂ કરતી વખતે CM ભગવંત માને શું કહ્યું?

ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરતા માનએ કેન્દ્રને બંધારણમાં સમાવિષ્ટ સંઘવાદના સિદ્ધાંતોનું સન્માન કરવા અને ચંદીગઢના વહીવટ તેમજ અન્ય સામાન્ય સંપત્તિના સંતુલનને ખલેલ પહોંચાડે તેવું કોઈ પગલું ન ભરવા જણાવ્યું હતું. પંજાબનું પુનર્ગઠન પંજાબ પુનર્ગઠન અધિનિયમ, 1966 દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પંજાબ રાજ્યને હરિયાણા રાજ્યમાં પુનઃસંગઠિત કરવામાં આવ્યું હતું, ચંદીગઢનો કેન્દ્રશાસિત પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગો હિમાચલ પ્રદેશના તત્કાલીન કેન્દ્રશાસિત પ્રદેશને આપવામાં આવ્યા હતા.

તેમાં જણાવવામાં આવ્યું છે કે તે સમયથી પંજાબ અને હરિયાણા રાજ્યોના ઉમેદવારોને ચોક્કસ પ્રમાણમાં મેનેજમેન્ટ પોસ્ટ્સ આપીને ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB) ના વહીવટ જેવી વહેંચાયેલ સંપત્તિમાં સંતુલન જાળવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર તેના ઘણા તાજેતરના પગલાં દ્વારા આ સંતુલનને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.

દરખાસ્ત મુજબ, કેન્દ્ર સરકારે BBMB સભ્યોની પોસ્ટની જાહેરાત તમામ રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ માટે ખોલી દીધી છે, જ્યારે આ પદો પર પરંપરાગત રીતે પંજાબ અને હરિયાણાના અધિકારીઓ દ્વારા ભરતી કરવામાં આવે છે. એ જ રીતે, ચંદીગઢનો વહીવટ હંમેશા પંજાબ અને હરિયાણાના અધિકારીઓ દ્વારા 60:40 ના પ્રમાણમાં કરવામાં આવે છે.

આ પણ વાંચો : નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા પહોંચ્યા ભારત, આ ત્રણ દિવસીય મુલાકાત ઘણી રીતે છે ખાસ

આ પણ વાંચો : Jammu-Kashmir: પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના 3 આતંકીઓની ધરપકડ, મોટી માત્રામાં હથિયારો પણ ઝડપાયા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
g clip-path="url(#clip0_868_265)">