UP: અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિર નિર્માણ માટે પ્લીન્થનું કાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યું, તસવીરોમાં દેખાય છે ભવ્ય અને દિવ્ય આકાર

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિર નિર્માણ (Ram Mandir Construction) હેઠળ ચાલી રહેલા પ્લિન્થ કાર્યના અંતિમ તબક્કાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

UP: અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિર નિર્માણ માટે પ્લીન્થનું કાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યું, તસવીરોમાં દેખાય છે ભવ્ય અને દિવ્ય આકાર
Ram Mandir Construction Work
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 9:09 PM

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યામાં (Ayodhya) ચાલી રહેલા રામ મંદિર નિર્માણ માટે પ્લીન્થનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિર નિર્માણ (Ram Mandir Construction) હેઠળ ચાલી રહેલા પ્લિન્થ કાર્યના અંતિમ તબક્કાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે આ માહિતી સાર્વજનિક કરવામાં આવી છે. આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્લીન્થનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ડ્રોન કેમેરા વડે લીધેલી જન્મભૂમિ પર મંદિર નિર્માણની તસવીરો ભવિષ્યમાં તૈયાર થનાર ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું કદ દર્શાવે છે.

આ સાથે આગામી સમયમાં રામ જન્મભૂમિ ન્યાસ વર્કશોપમાં કોતરવામાં આવેલા પથ્થરો પણ જન્મભૂમિ સંકુલમાં એકત્ર કરવામાં આવી રહ્યા છે. હવે જન્મભૂમિ સંકુલમાં રાજસ્થાનના જયપુરથી કોતરેલા પથ્થરો લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં, જયપુરના બંસી પહાડપુરમાં મંદિર નિર્માણ કાર્યશાળામાં કોતરેલા પથ્થરો લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

પ્રથમ માળનું કામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે

કોતરેલા પથ્થરોને પહેલા રામ જન્મભૂમિ સંકુલમાં એકત્ર કરવામાં આવશે, ત્યારબાદ જન્મભૂમિ સંકુલમાં સ્થાપિત લિફ્ટર ક્રેન્સ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવશે. રામ જન્મભૂમિ સંકુલમાં 4 ટાવર ક્રેન્સ લગાવવામાં આવી છે. બીજી તરફ, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો દાવો છે કે ડિસેમ્બર 2023 સુધીમાં રામજન્મભૂમિમાં પહેલા માળનું બાંધકામ પૂર્ણ થઈ જશે. આ સાથે ગર્ભગૃહમાં વિધિવત પૂજા કર્યા બાદ રામલલાની સ્થાપના પણ કરવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

20 ફૂટ ઉંચા પ્લીન્થ પર સ્તંભો લગાવવામાં આવશે

મંદિરના નિર્માણ માટે 20 ફૂટ ઉંચો પ્લિન્થ બનાવવામાં આવી રહી છે. તેની ઉપર મંદિરના સ્તંભો સ્થાપિત કરવામાં આવશે. હવે પ્લીન્થ બનાવવાનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ માહિતી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. તેણે ટ્વીટ કરીને તેની તસવીરો શેર કરી છે.

રામલલાને 2023માં ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શ્રી રામ ભક્તોને વચન આપ્યું છે કે વર્ષ 2023માં રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે. તેમજ અયોધ્યા ધામમાં આવનારા ભક્તો રામલલાના દર્શન તેમના મંદિરમાં જ કરી શકશે. સાથે જ મંદિર નિર્માણ સમિતિની બેઠકમાં કામ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મે અને જૂન મહિના બાદ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય.

આ પણ વાંચો : WHOએ કોરોનાના ખતરનાક વેરિઅન્ટ માટે આપી ચેતવણી, કહ્યું- સ્થિતિ ઘણી ખરાબ થઈ શકે છે

આ પણ વાંચો : ખાદ્યતેલના ભાવમાં વધારો થવાની શક્યતા, દેશમાં સૂર્યમુખી તેલના પુરવઠામાં 25% ઘટાડો થવાનો અંદાજ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">