Rajasthan: રાજસ્થાનમાં આજથી 50 યુનિટ વીજળી મફત, સરકારી હોસ્પિટલોમાં CT સ્કેન, MRI જેવા મોંઘા ટેસ્ટ મફત થશે

રાજ્યના બજેટ દરમિયાન સીએમ ગેહલોતે રાજસ્થાનમાં મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી, જે આજથી લાગુ થવા જઈ રહી છે. હવે આવતા મહિને મે મહિનામાં દરેક ઘરેલું ગ્રાહકના 50 યુનિટ વીજ વપરાશ પર ઝીરો બિલ આવશે.

Rajasthan: રાજસ્થાનમાં આજથી 50 યુનિટ વીજળી મફત, સરકારી હોસ્પિટલોમાં CT સ્કેન, MRI જેવા મોંઘા ટેસ્ટ મફત થશે
Ashok Gehlot
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 5:31 PM

રાજસ્થાનના (Rajasthan) લોકો માટે 1 એપ્રિલ એટલે કે નવું નાણાકીય વર્ષ 2022-23 ઘણી ભેટ લઈને આવ્યું છે. ગેહલોત (Ashok Gehlot) સરકારની અનેક યોજનાઓ અને જાહેરાતો આજથી રાજ્યભરમાં લાગુ થવા જઈ રહી છે. રાજસ્થાનમાં જ્યાં ઘરેલું ગ્રાહકને દર મહિને 50 યુનિટ વીજળી મફત મળશે, તો બીજી તરફ રાજ્યના દરેક નાગરિકને સરકારી હોસ્પિટલોમાં લાખો રૂપિયા સુધીની મફત સારવાર મળશે. હવે સરકારી હોસ્પિટલોમાં ઓપીડી અને આઈપીડીમાં તમામ પ્રકારની સુવિધા મફત કરવામાં આવી છે. 1 એપ્રિલથી, ખાનગી હોસ્પિટલમાં લોકોને ચિરંજીવી યોજના હેઠળ 5 લાખ રૂપિયાની જગ્યાએ 10 લાખ રૂપિયા સુધીનો કેશલેસ મેડિકલ વીમો મળશે. આ ભેટો વચ્ચે ટોલ પર 50 રૂપિયા સુધી વધુ ટોલ વસૂલવામાં આવશે. ચાલો જાણીએ કે 1 એપ્રિલથી રાજસ્થાનમાં શું પરિવર્તન થવાનું છે.

50 યુનિટ વીજળી ફ્રી

રાજ્યના બજેટ દરમિયાન સીએમ ગેહલોતે રાજસ્થાનમાં મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી, જે આજથી લાગુ થવા જઈ રહી છે. હવે આવતા મહિને મે મહિનામાં દરેક ઘરેલું ગ્રાહકના 50 યુનિટ વીજ વપરાશ પર ઝીરો બિલ આવશે. તેનાથી વધુ વપરાશ કરનારા ગ્રાહકોને સરકાર દ્વારા 300 યુનિટ સુધીની સબસિડી આપવામાં આવશે, જે સ્લેબ અનુસાર વિભાજિત કરવામાં આવે છે.

ન્યુરો, હાર્ટના તમામ ખર્ચાળ ટેસ્ટ ફ્રી

મુખ્યમંત્રીની જાહેરાત મુજબ, રાજ્યની તબીબી સંસ્થાઓની તમામ કેટેગરીમાં ઉપલબ્ધ OPD અને IPD સુવિધાઓ 1 એપ્રિલથી રાજ્યના તમામ લોકો માટે સંપૂર્ણપણે મફત થઈ ગઈ છે. સરકારના જણાવ્યા અનુસાર, સરકારી હોસ્પિટલોમાં કામ કરતા ડોકટરો હવે ખાતરી કરશે કે હોસ્પિટલના દવા વિતરણ કેન્દ્રમાં ઉપલબ્ધ દવાઓ જ દર્દીઓને સૂચવવામાં આવે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બીજી તરફ, ખાસ પરિસ્થિતિમાં જરૂર જણાય તો જ અન્ય દવાઓની ખરીદી કરીને નિયમાનુસાર દર્દીને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે, વિવિધ સરકારી હોસ્પિટલોમાં પીપીપી મોડ પર સંચાલિત સુવિધાઓ જેમ કે સીટી સ્કેન, એમઆરઆઈ અને ડાયાલિસિસ વગેરે પણ દર્દીઓને મફતમાં આપવામાં આવશે, જેના માટે સરકાર સંબંધિત પીપીપી ભાગીદારને ચૂકવણી કરશે.

મનરેગા યોજના હેઠળ 100 દિવસની જગ્યાએ 125 દિવસની રોજગારી મળશે

આ ઉપરાંત રાજ્યમાં મનરેગા યોજના હેઠળ ગામડાઓમાં બેરોજગાર લોકોને હવે 100 દિવસની જગ્યાએ 125 દિવસની રોજગારી મળશે. જૂની પેન્શન યોજના (OPS) વર્ષ 2004 અથવા તે પછીના વર્ષમાં રોકાયેલા રાજ્ય સેવા કર્મચારીઓ માટે લાગુ થશે અને 1 જાન્યુઆરી, 2004 પછી નિયુક્ત સરકારી કર્મચારીઓના પગારમાંથી NPS ની 10 ટકા કપાત પણ આજથી બંધ થઈ જશે.

આ પણ વાંચો : Punjab: ભગવંત માન ચંદીગઢને તેમના અધિકારક્ષેત્રમાં લાવવા માંગે છે, પંજાબ વિધાનસભાએ કેન્દ્ર વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો

આ પણ વાંચો : ભારતની વિદેશ નીતિ કોઈની મોહતાજ નથી, અમે ભારતને કોઈપણ સામાન સપ્લાય કરવા તૈયાર છીએ : રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લવરોવ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">