SURAT: કોરોના દર્દીઓ પર મ્યુકોરમાઇસિસનું વધ્યું જોખમ, 8 દર્દીઓને ગુમાવવી પડી આંખ

SURAT: કોરોના બાદ, હવે કોરોના દર્દીઓમાં મ્યુકોર માઇસિસ(Mucormycosis)નું જોખમ એટલું વધી ગયું છે કે દર્દીઓ મરી રહ્યા છે. સુરતમાં 15 દિવસની અંદર આવા 40 થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 8 દર્દીઓએ આંખો ગુમાવવી પડી છે.

SURAT: કોરોના દર્દીઓ પર મ્યુકોરમાઇસિસનું વધ્યું જોખમ,  8 દર્દીઓને ગુમાવવી પડી આંખ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 07, 2021 | 1:32 PM

SURAT: કોરોના બાદ, હવે કોરોના દર્દીઓમાં મ્યુકોર માઇસિસ(Mucormycosis)નું જોખમ એટલું વધી ગયું છે કે દર્દીઓ મરી રહ્યા છે. સુરતમાં 15 દિવસની અંદર આવા 40 થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 8 દર્દીઓએ આંખો ગુમાવવી પડી છે.

દેશમાં જ્યારે કોરોનાનો ચેપથી હોબાળો મચી ગયો છે, ત્યારે કોરોનાથી દર્દીઓ માટે હવે બીજો ભય ઉભો થયો છે. કોરોનાની સમયસર સારવારના અભાવને લીધે, કેટલાક દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવ્યો . કોરોના પછી, દર્દીઓમાં Mucormycosisનું જોખમ એટલું વધી ગયું છે કે દર્દીઓના એકબાદ એક મોત થઇ રહ્યાં છે. સુરતમાં 15 દિવસની અંદર આવા 40થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 8 દર્દીઓની આંખો કાંઢી નાંખવામાં આવી છે.

ગુજરાતમાં દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. દર્દીઓને ન તો પલંગ મળી રહ્યા છે અને ન તો ઓક્સિજન. આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે પતન પામી છે, જેના કારણે કોરોના દર્દીઓ હોસ્પિટલની બહાર મરી રહ્યા છે. દરમિયાન, હવે એક નવી બીમારીએ લોકોને પકડમાં લેવાનું શરૂ કર્યું છે. આ રોગ એટલો ખતરનાક છે કે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીની આંખ કાંઢવી પડે છે અથવા તે મરી જાય છે. આ નવા રોગનું નામ Mucormycosis તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ડોકટરોના કહેવા મુજબ, Mucormycosis એક પ્રકારનો ફંગલ ઇન્ફેક્શન છે, જે નાક અને આંખો દ્વારા મગજ સુધી પહોંચે છે અને દર્દી મરી જાય છે. ગયા વર્ષે કોરોનાના પ્રથમ તબક્કામાં, આ રોગ વિશેની માહિતી મળી શકી નથી, પરંતુ કોરોનાના બીજી લહેરમાં આવા કેસ વધી રહ્યા છે. પહેલા કોરોના દર્દીઓ આંખનો દુખાવો અને માથાનો દુખાવાને હળવાશથી લેતા હતા. પરંતુ આ વખતે તેની અસર ઘણી વધારે જોવા મળી રહી છે.

Mucormycosisની વધુ આડઅસરો છે

સર ગંગારામ હોસ્પિટલના વરિષ્ઠ આંખ-કાનનાં (ઇએનટી) સર્જન ડો.મનીષ મુંજલે જણાવ્યું હતું કે, “કોવિડ -19માં થનાર આ ભયાનક ફંગલ ઇન્ફેક્શનના કેસોમાં અમે ફરીથી વધારો જોઇ રહ્યા છીએ. ” છેલ્લા બે દિવસમાં, અમે Mucormycosisથી પીડાતા છ દર્દીઓને અમે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ગયા વર્ષે આ જીવલેણ ચેપમાં મૃત્યુ દર ખૂબ જ ઉંચો હતો. અને આનાથી પીડિત ઘણા દર્દીઓની આંખોની દ્રષ્ટિ ઝાંખી પડી ગઇ હતી. સાથે જ નાક અને જડબાના હાડકા પણ ગળી ગયા હતા.

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">