જલંધરના સંબોધનમાં કેજરીવાલે શાસક પક્ષ પર કર્યા પ્રહાર, નાગરિકોને કહ્યુ ” એક વાર AAP ને મોકો આપીને જુઓ, તમે બધુ ભુલી જશો “

સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, એવું નથી કે ઇન્સ્પેક્ટ રાજ નાબૂદ ન કરી શકાય. પરંતુ ઉપર બેઠેલા લોકોના ખરાબ ઈરાદાને કારણે એ શક્ય બનતુ નથી.

જલંધરના સંબોધનમાં કેજરીવાલે શાસક પક્ષ પર કર્યા પ્રહાર, નાગરિકોને કહ્યુ  એક વાર AAP ને મોકો આપીને જુઓ, તમે બધુ ભુલી જશો
Arvind Kejriwal (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 4:40 PM

Punjab : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)  બુધવારે પંજાબના જલંધરમાં ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી. આ સંબોધન દરમિયાન પંજાબ સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જો એક પ્રામાણિક મુખ્યમંત્રી હશે, એક પ્રામાણિક મંત્રીમંડળ હશે, તો નીચેનું સમગ્ર માળખું આપમેળે ઠીક થઈ જશે. એવું નથી કે તે ન થઈ શકે, અમે દિલ્હીમાં કરીને બતાવ્યુ છે.

નાગરિકોને કર્યો આ પડકાર

વધુમાં દિલ્હીના મુખ્યપ્રધાને (Delhi Chief Minister) કહ્યું કે, તમામ જૂના કાયદાઓ સુધારવામાં આવશે, જે કાયદાની જરૂર નથી તે તમામ કાયદાઓને નાબૂદ કરવામાં આવશે. એવી સિસ્ટમ બનાવવામાં આવશે કે જેનાથી ઉદ્યોગોનો (Industry) સમય પણ બગડશે નહિ.તેમજ નાગરિકોને પડકાર આપતા દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યુ કે, ‘એક વાર આપને તક આપો, હું તમને ખાતરી આપું છું કે તમે બધા પક્ષને ભૂલી જશો.’

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દિલ્હીમાં ઇન્સ્પેક્ટ રાજ બંધ થયુ છે : કેજરીવાલ

ઉપરાંત કેજરીવાલે કહ્યુ કે, ઇન્સ્પેક્ટ રાજ નાબુદ ન થઈ શકે એવુ નથી.પરંતુ તે ઉપર બેઠેલા લોકોના ખરાબ ઈરાદાને કારણે શક્ય બનતુ નથી.ઈમાનદારીથી સરકાર ચલાવવાનું પરિણામ એ આવ્યું કે અમે દિલ્હીમાં(Delhi)  ઇન્સ્પેક્ટ રાજ બંધ કરી દીધું છે. તેમજ રાજ્યમાં વેટ 12.5 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે, તેમ છતાં અમારી આવક 30,000 કરોડથી વધીને 60,000 કરોડ થઈ ગઈ છે. વેપારીને અમે ત્રાસ આપવા માંગતા નથી.

કેજરીવાલે “આરોગ્ય કાર્ડ” આપવાની કરી જાહેરાત

લુધિયાણામાં 30 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જો તેમની પાર્ટી આગામી વર્ષે પંજાબ વિધાનસભાની(Punjab Assembly)  ચૂંટણી બાદ સત્તામાં આવશે તો તે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર અને દવાઓ સાથે “આરોગ્ય કાર્ડ” આપશે. જેથી નાગરિકોને દવાઓ, ઓપરેશન અને પરીક્ષણોમાં એક પણ રૂપિયાનો ખર્ચ નહિ થાય. ઉપરાંત દિલ્હીમાં મોહલ્લા ક્લિનિકની જેમ રાજ્યમાં 16,000 વોર્ડ ક્લિનિક્સ (Clinic) ખોલવામાં આવશે. હાલની સરકારી હોસ્પિટલોની સ્થિતિ (Hospital Condition) સુધારવામાં આવશે અને નવા મોટા મેડિકલ સેન્ટર ખોલવામાં આવશે. માર્ગ અકસ્માત પીડિતોને પણ વિનામૂલ્યે સારવાર આપવાની જાહેરાત કરી હતી.

કેજરીવાલે પંજાબ સરકાર પર લગાવ્યો આરોપ

કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, રાજ્યના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય સંભાળ (Primary Health Center) કેન્દ્રોમાં યોગ્ય આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવતી ન હોવાથી પંજાબના લોકોને ખાનગી હોસ્પિટલોમાં જવાની ફરજ પડી રહી છે. શાસક કોંગ્રેસ પર કટાક્ષ કરતા કેજરીવાલે કહ્યું હતું કે, લોકોએ કોંગ્રેસ પક્ષને અપેક્ષાઓ સાથે સત્તામાં લાવ્યો હતો, પરંતુ આજે અહીં સરકાર જેવું કંઈ નથી. સરકાર ‘તમાશા’ બની ગઈ છે.

આ પણ વાંચો : Jammu Kashmir: અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર શામ સોફીને ઠાર કરાયો

આ પણ વાંચો : Power Crisis : મહારાષ્ટ્રમાં સાત વીજળી ઉત્પાદન એકમ ઠપ્પ, ઉર્જા મંત્રી નીતિન રાઉતે સરકારને ગણાવી જવાબદાર

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">