AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Crisis : મહારાષ્ટ્રમાં સાત વીજળી ઉત્પાદન એકમ ઠપ્પ, ઉર્જા મંત્રી નીતિન રાઉતે સરકારને ગણાવી જવાબદાર

મહારાષ્ટ્ર રાજ્યમાં પણ વિજળીની અછત જોવા મળી રહી છે. હાલ રાજ્ય 3,500 થી 4,000 મેગાવોટની વીજળીની અછતનો સામનો કરી રહ્યું છે.

Power Crisis : મહારાષ્ટ્રમાં સાત વીજળી ઉત્પાદન એકમ ઠપ્પ, ઉર્જા મંત્રી નીતિન રાઉતે સરકારને ગણાવી જવાબદાર
Power Crisis in Maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 2:02 PM
Share

Maharashtra Power Crisis :  સમગ્ર દેશમાં હાલ વીજળીનું સંકટ જોવા મળી રહ્યુ છે.ત્યારે મહારાષ્ટ્રમાં પણ હાલ વીજળીની અછત વર્તાય રહી છે. મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિન રાઉતે (Nitin Raut) જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર હેઠળ જાહેર ક્ષેત્રના ઉપક્રમ (PSU) કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL) ના નબળા સંચાલન અને આયોજનના અભાવને કારણે રાજ્ય 3,500 થી ચાર હજાર મેગાવોટ વીજળીની (Powe Crisis) અછતનો સામનો કરી રહ્યું છે.

કોના પાપે મહારાષ્ટ્રની જનતાએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ‘મહારત્ન PSU’ અને અશ્મિભૂત કોલસાનું સૌથી મોટું ઉત્પાદક, CIL રાજ્યમાં થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે સમયસર કોલસો પૂરો પાડવા સક્ષમ નથી. જેને કારણે મહારાષ્ટ્ર સાડા ત્રણ હજારથી ચાર હજાર મેગાવોટ વીજળીની અછતનો સામનો કરી રહ્યું છે. આ કોલ ઇન્ડિયાના (Coal India) અસંગઠિત કાર્ય અને આયોજનના અભાવનું પરિણામ છે, જેના કારણે મહારાષ્ટ્રની જનતાએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.

કોંગ્રેસ નેતાએ વીજળી કંપનીઓ પર લગાવ્યો આરોપ

કોંગ્રેસી નેતાએ ‘કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ’ (Coastal Gujarat Power Limited) અને જેએસડબલ્યુ પર વીજળીના પુરવઠા અંગેના કરાર હોવા છતાં મહારાષ્ટ્રને વીજ પુરવઠો ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ અને જેએસડબ્લ્યુએ રાજ્યના વીજ એકમો સાથે 760 મેગાવોટ અને 240 મેગાવોટ (Mega watt) વીજ પુરવઠા અંગે કરાર કર્યો છે. છતા બંને કંપનીઓ દ્વારા મહારાષ્ટ્રને(Maharashtra)  વીજળી પૂરી પાડવામાં આવી નથી, જેના કારણે વીજળીની અછત સર્જાઈ છે. અમારી પાસે આ કંપનીઓ સાથે લાંબા ગાળાના કરાર છે અને તેમની પાસે પૂરતો સ્ટોક છે છતા રાજ્યને વીજળી પુરી પાડવામાં નથી આવી.

મહારાષ્ટ્રના કયા પાવર પ્લાન્ટમાં હાલ કેટલો કોલસો ?

-કોરાડી પાવર પ્લાન્ટમાં અડધો દિવસનો કોલસો છે. -ખાપરખેડા પ્લાન્ટમાં લગભગ 1 દિવસ ચાલે તેટલો કોલસો છે. -પારસ પ્લાન્ટમાં પણ લગભગ એક દિવસ માટે કોલસો હોય છે. -ભુસાવલ પ્લાન્ટમાં લગભગ દોઢ દિવસનો કોલસો બાકી છે. -ચંદ્રપુર પાવર પ્લાન્ટમાં લગભગ બે દિવસનો કોલસો બાકી છે. -નાસિક પ્લાન્ટમાં લગભગ બે દિવસ ચાલે તેટલો કોલસો છે. -પરલી પ્લાન્ટમાં 2 દિવસનો કોલસો પણ બાકી છે. -મહારાષ્ટ્રમાં 27 એકમોમાંથી 7 વીજ ઉત્પાદન એકમો કોલસાની અછતને (Coal Crisis) કારણે બંધ છે.

આ પણ વાંચો : શું સમીર વાનખેડેની જાસૂસી કરવામાં આવી રહી છે ? ગૃહમંત્રી પાટીલે જાસૂસી અંગે આપી સફાઈ

આ પણ વાંચો : Mumbai Kurla Fire Broke Out : કુર્લાની સોસાયટીમાં ભીષણ આગ, 20 બાઈક બળીને ખાખ, ફાયર બ્રિગેડે આગ કરી કાબૂ

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">