મોદી-શાહ-ભાગવત આપણા ભાઈ છે… મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા કહ્યું, મુસ્લિમોને કોની સાથે છે દુશ્મની ?

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના ખલીલ-ઉર-રહેમાન સજ્જાદ નોમાનીએ, ગઈકાલ શનિવારે ભોપાલની તાજ ઉલ મસ્જિદમાં તકરીર ફરમાવી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, સંઘ પ્રમુખ મોહન ભાગવત, પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આપણા ભાઈ છે. મૌલાનાએ કહ્યું કે મુસ્લિમોને શેતાન સાથે દુશ્મની છે.

મોદી-શાહ-ભાગવત આપણા ભાઈ છે… મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા કહ્યું, મુસ્લિમોને કોની સાથે છે દુશ્મની ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2024 | 1:36 PM

ઈસ્લામના વિદ્વાન અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના ખલીલ-ઉર-રહેમાન સજ્જાદ નોમાની, ગઈકાલથી બે દિવસ માટે ભોપાલમાં છે. સજ્જાદ નોમાનીએ શનિવારે ભોપાલની તાજ ઉલ મસ્જિદમાં તકરીર ફરમાવી હતી. મૌલાના ખલીલ-ઉર-રહેમાન સજ્જાદ નોમાનીની તકરીરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મૌલાના નોમાનીએ કહ્યું કે, સંઘ પ્રમુખ મોહન ભાગવત, પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આપણા ભાઈ છે.

તેમણે એમ પણ કહ્યું કે, હું આ ડંકાની ચોટ પર કહી રહ્યો છું કે જો તેઓ કંઇક ખોટું કરશે તો આપણે તેમને રોકીશું. અમારી કોઈની સાથે દુશ્મની નથી, અમારી દુશ્મની શેતાન સાથે છે. એ શેતાન સાથે જે મક્કામાં બંધ છે, જેને આપણે પથ્થર મારીએ છીએ. જે આપણને ગેરમાર્ગે દોરે છે તે શેતાન સાથે દુશ્મની છે.

આરએસએસ-ભાજપ ઇસ્લામ માટે અડચણરૂપ નથી

જ્યાં એક તરફ સમગ્ર દેશમાં વકફ બોર્ડને લઈને ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ મૌલાના નોમાનીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. મૌલાનાએ કહ્યું, ઈસ્લામ માટે કઈ પણ અડચણરૂપ નથી, આરએએસ, ભાજપ અને ઈઝરાયેલ પણ ઈસ્લામ માટે કોઈ અડચણરૂપ નથી. જ્યારથી આપણે અલ્લાહ સાથે બેવફા થયા છીએ ત્યારથી સમસ્યાઓ ઊભી થઈ છે. મૌલાનાએ પોતાના વક્તવ્યમાં સૂચન કરતા કહ્યું કે, હક અને સત્યના માર્ગ પર ચાલો, દયાળુ બનો, તમને કોઈની તરફથી કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

મૌલાનાએ મુસ્લિમોને સલાહ આપી

મૌલાના સજ્જાદ નોમાનીએ પોતાના પ્રવચનમાં અલ્લાહના આદેશોને પયગમ્બરની રીતે પૂર્ણ કરવા, દીન-એ-ઈસ્લામનું પાલન કરવા, આપણી નૈતિકતા સુધારવા અને બધા વચ્ચે પ્રેમથી રહેવાની સલાહ આપી હતી. મૌલાના સજ્જાદ નોમાનીએ તેમના વક્તવ્યમાં પયગંબર હઝરત મોહમ્મદના જીવન વિશે જણાવ્યું હતું અને મુસ્લિમ સમુદાયના લોકોને ધર્મના માર્ગે ચાલવાની પણ સલાહ આપી હતી.

ભોપાલની મસ્જિદમાં જ્યાં શનિવારે પુરૂષો માટે તકરીર યોજાઈ હતી ત્યાં લોકોએ એટલી મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કે આખી મસ્જિદ લોકોથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી. આ સાથે જ આજે રવિવારે મહિલાઓ માટે પણ તકરીરનું આયોજન કરવામાં આવશે અને મૌલાના પણ મહિલાઓને સંબોધિત કરતી વખતે વક્તવ્ય આપશે.

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">