Maharashtra: CM બન્યા બાદ એકનાથ શિંદે આજે પીએમ મોદીને મળશે, ગઈકાલે અમિત શાહ સાથે 4 કલાક વાતચીત થઈ
સીએમ શિંદે અને ફડણવીસે ગઈકાલે રાત્રે 9.45 થી 2 વાગ્યા સુધી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં કેબિનેટ વિસ્તરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ એકનાથ શિંદે (Eknath Shinde) દિલ્હીના પ્રવાસે છે. આજે સાંજે 4:30 કલાકે તેઓ પીએમ નરેન્દ્ર મોદીને (Narendra Modi) મળવાના છે. આ સમયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા બાદ તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને મળવા રવાના થયા છે. આ પછી તેઓ રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ મળશે. આ બેઠકોમાં સીએમ શિંદેની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહેશે. સીએમ શિંદે અને ફડણવીસે ગઈકાલે રાત્રે 9.45 થી 2 વાગ્યા સુધી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં કેબિનેટ વિસ્તરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આજે બપોરે યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં સીએમ શિંદે આ તમામ બેઠકો સંબંધિત માહિતી પત્રકારો સાથે શેર કરશે.
સાડા ચાર કલાક સુધી ચાલેલી આ બેઠકમાં શિંદે જૂથના શિવસેનાના 16 ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવલ દ્વારા મોકલવામાં આવેલી સસ્પેન્શન નોટિસ પર 11 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટની સુનાવણી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે શિવસેનાના ચૂંટણી ચિન્હ પર પણ શિંદે જૂથનો દાવો છે અને ગઈકાલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમની શિવસેનાને ધનુષ્યથી કોઈ અલગ કરી શકે નહીં. આ મામલે ચર્ચાના સમાચાર પણ છે. આ બેઠકમાં ઠાકરે સરકારમાં મંત્રી રહી ચૂકેલા તમામ ધારાસભ્યોને મંત્રી પદ આપવાની ફોર્મ્યુલા પર પણ ચર્ચા કરવામાં આવી છે.
સીએમ શિંદે ગૃહ વિભાગ રાખવા માંગે છે, પરંતુ તે ભાજપ પાસે રહેશે
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ કેબિનેટના 43 મંત્રીઓમાંથી 10 કેબિનેટ અને 5 રાજ્ય મંત્રીઓ સીએમ શિંદે જૂથને આપવા પર સહમતિ દર્શાવવામાં આવી રહી છે. ભાજપના ખાતામાં 28 મંત્રીઓ આવવાની શક્યતા છે. એકનાથ શિંદે જૂથ ગૃહ વિભાગને મુખ્યમંત્રી પાસે રાખવાના પક્ષમાં છે. પરંતુ વધુ શક્યતાઓ ગૃહ વિભાગના ડેપ્યુટી સીએમ ફડણવીસ પાસે હોવાનું મનાય છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
શિંદે અને ફડણવીસ અલગ-અલગ સમયે મળવા આવ્યા, અલગ-અલગ દરવાજાથી બહાર આવ્યા
આ દરમિયાન અમિત શાહ સાથે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત સાડા ચાર કલાક સુધી ચાલી હતી. આ બેઠક દરમિયાન કાયદા અને બંધારણના જાણકાર પણ હાજર રહ્યા હતા. ખાસ વાત એ છે કે અમિત શાહને મળવા પહેલા દેવેન્દ્ર ફડણવીસ પહોંચી ગયા હતા. થોડા સમય બાદ સીએમ શિંદે બેઠકમાં સામેલ થયા. બેઠક પૂરી થયા બાદ શિંદે અને ફડણવીસ અલગ-અલગ ગેટમાંથી બહાર આવ્યા.
સીએમ એકનાથ શિંદેના દિલ્હી પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમણે આજે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના કાર્યક્રમોની શરૂઆત કરી હતી. સીએમ શિંદે સાંજે 4:30 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદીને મળવાના છે. પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા બાદ સીએમ શિંદે આજે સાંજે ખાનગી વિમાનમાં પૂણે જવા રવાના થશે.