Jammu terror attack : પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક માટે આ યોગ્ય સમય છે ? જાણો તજજ્ઞો શુ કહે છે ?
હવે જમ્મુ-કાશ્મીરમાં રસ્તાઓ પર કોઈ પથ્થરમારો નથી કરાતો કે રસ્તાઓ પર કોઈ હિંસા નથી થઈ રહી, કાશ્મીર ખીણ સહિતના પ્રદેશમાં કોઈ હડતાળ પણ નથી પડી રહી કે ડરના માર્યા શાળાઓને તાળાબંધી પણ નથી થઈ રહી... પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને આ બધું સાબિત થઈ રહ્યું છે કે કાશ્મીરમાં બધુ બદલાઈ રહ્યું છે. પરંતુ પાકિસ્તાન અને તેના સમર્થક આતંકવાદીઓ માટે કાશ્મીરમાં થયેલો આ બધો બદલાવ અપ્રિય છે.
છેલ્લા 37 દિવસમાં, 7 આતંકવાદી હુમલા થયા અને 12 જવાનો શહિદ થયા. આતંકવાદીઓ છેલ્લા કેટલાક સમયથી કાશ્મીર ખીણ પ્રદેશને બદલે જમ્મુ ક્ષેત્રને નિશાન બનાવી રહ્યા છે. 15-16 જુલાઈની રાત્રે ડોડામાં થયેલા હુમલામાં આપણે પોતાના 4 બહાદુર જવાનોને ગુમાવ્યા છે. લોકો ઈચ્છે છે કે, મોદી સરકાર હવે ફરી એકવાર પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપે.
આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું ફરી એકવાર 2016 જેવી સર્જિકલ સ્ટ્રાઈક જરૂરી છે કે પછી ભારતને આતંકવાદના માસ્ટરનો સામનો નવી રીતે કરવો પડશે? પણ આ પ્રશ્નનો જવાબ એટલો સરળ નથી, જેટલો તમે અને હું વિચારી રહ્યા છીએ. આ સવાલનો જવાબ જાણવા માટે સૌથી પહેલા તમારે સમજવું પડશે કે પાકિસ્તાન અને તેની ધરતી પર ચાલી રહેલા આતંકી કેમ્પ અને કેમ્પમાં રહેલા આતંકવાદી સંગઠનો કઈ વ્યૂહરચના હેઠળ જમ્મુને નિશાન બનાવી રહ્યા છે?
જમ્મુને જ કેમ ટાર્ગેટ કરાય છે, 3 મુદ્દામાં સમજો
1. શા માટે જમ્મુ ક્ષેત્ર આતંકવાદીઓ માટે મુખ્ય લક્ષ્ય બની ગયું છે તે સમજવા માટે, પીર પંજાલનું ભૌગોલિક સ્થાન જાણવું મહત્વપૂર્ણ છે. પીર પંજાલનો વિસ્તાર અફઘાનિસ્તાનના પહાડો જેટલો જટિલ છે. છેલ્લા બે વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં તમામ મોટા આતંકવાદી હુમલા પીર પંજાલના દુર્ગમ વિસ્તારોમાં થયા છે.
છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુમાં આતંકવાદી હુમલાઓ પીર-પંજાલ પહાડીઓમાં સ્થિત રાજૌરી-પૂંચ-રિયાસી પટ્ટામાં થયા છે, આ પટ્ટો જમ્મુને કાશ્મીરથી અલગ કરે છે. મતલબ કે જો આ વિસ્તારમાં હુમલો થાય તો સુરક્ષાદળના વધારાના દળોની અવરજવરમાં મુશ્કેલી પડશે. આ સિવાય પીર પંજાલ ખીણમાં આવતા રાજૌરી અને પુંછ જિલ્લાઓ POKની સાથે LOCના 225 કિમી વિસ્તારને સ્પર્શે છે. એટલે કે જો આતંકવાદીઓને સમયસર યોગ્ય જવાબ ન મળે તો તેઓ સરળતાથી પાછા પાકિસ્તાન ભાગી જવામાં સફળ થાય છે.
2. એલઓસીને અડીને આવેલા રાજૌરી અને પૂંચના વિસ્તારોમાંથી આતંકીઓ ઘૂસણખોરી કરે છે. આ પછી, તેઓ એક પર્વતથી બીજા પર્વત પર ફરતા રહે છે. આ સમય દરમિયાન, અહીંના ગાઢ જંગલો આતંકવાદીઓ માટે આશ્રયનું કામ કરે છે. જેના કારણે સુરક્ષા દળો માટે તેમની હિલચાલ પર નજર રાખવી પડકારરૂપ બની જાય છે. આ વિસ્તારમાં આવેલા પર્વતોમાં ઘણી કુદરતી ગુફાઓ છે, જ્યાં આતંકવાદીઓ સરળતાથી છુપાઈને કેમ્પ કરે છે, જે તેમને સુરક્ષા દળોના રડાર અને ડ્રોનની સ્કેનિંગથી બચવામાં મદદ કરે છે.
3. સૌથી મોટી વાત એ છે કે જંગલ ગાઢ છે તેથી વિઝિબિલિટી પણ ઘણી ઓછી છે. જંગલમાં ખાણી-પીણીની મૂળભૂત જરૂરિયાતો સરળતાથી પૂરી થાય છે, જેના કારણે આતંકવાદીઓ માટે લાંબા સમય સુધી છુપાયેલા રહેવાનું સરળ બને છે. આવી સ્થિતિમાં, આતંકવાદીઓ પર્વતના શિખરો પર અને ખડકોની પાછળ જંગલોમાં છુપાયેલા હોય છે અને ત્યાંથી સરળતાથી ગોળીબાર કરવામાં સક્ષમ હોય છે. જ્યારે સેના તેની પકડ મજબૂત કરે છે, ત્યારે મોટાભાગની જગ્યાઓ પર કાંટાળા તારની વાડ ના હોવાને કારણે આતંકવાદીઓ સરળતાથી જંગલમાંથી પાછા પીઓકે જતા રહે છે.
‘શું સર્જિકલ સ્ટ્રાઈક માટે આ યોગ્ય સમય છે?’
પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ અને કોઈ પણ ભારતીય આ વાતને નકારી શકે નહીં. પરંતુ તે પ્રતિભાવ કેવો હોવો જોઈએ અને તેમાં કેટલો સમય લાગી શકે છે? શું પાકિસ્તાનને કહેવાનો સમય આવી ગયો છે કે આવા હુમલાઓ માટે તેમને છોડવામાં નહીં આવે? 2016ની સર્જિકલ સ્ટ્રાઈકના આયોજકોમાંના એક લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆએ આ તમામ પ્રશ્નો પર પોતાના મંતવ્યો શેર કર્યા.
લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆનું કહેવું છે કે એક મહિનાથી વધુ સમયથી આતંકવાદીઓનું નિશાન જમ્મુ ક્ષેત્ર તરફ વળ્યું છે. જ્યાં અત્યાર સુધી શાંતિ હતી ત્યાં આજે આતંક ફેલાવવાની સ્પષ્ટ યોજના છે. અને આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે ઘાટીમાં આતંકીઓ નબળા પડી ગયા છે. તેમને ત્યાં હવે કોઈ સાથ મળી રહ્યો નથી.
હવે જમ્મુ-કાશ્મીરમાં રસ્તાઓ પર કોઈ પથ્થરમારો કરાતો નથી, રસ્તાઓ પર કોઈ હિંસા નથી થઈ રહી, કોઈ હડતાલ પણ નથી પડતી. ગભરાટ અને ડરના કારણે શાળાઓને તાળાબંધી નથી થઈ રહી… દેશભરમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં કાશ્મીર ખીણ પ્રદેશમાં આવી રહ્યા છે. અને આ બધું ખૂબ જ બદલાઈ રહ્યું છે. પાકિસ્તાન અને તેના સમર્થક આતંકવાદીઓ માટે આ બદલાતુ કાશ્મીર મુશ્કેલ છે.
આ દરમિયાન કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના પડધા પણ સંભળાઈ રહ્યા છે. હવે આગામી કેટલાક મહિનામાં ચૂંટણી યોજાવાની છે, આવી સ્થિતિમાં આતંકવાદીઓ લોકોના મનમાં ડર પેદા કરવા માંગે છે અને તેથી જ તેઓ પીર પંજાલની દક્ષિણ તરફ જઈ રહ્યા છે. આ આતંકવાદી હુમલાઓ માટે પાકિસ્તાન પર બીજી સ્ટ્રાઈક કરવાની જરૂર છે કે કેમ તે પ્રશ્નના જવાબમાં લેફ્ટનન્ટ જનરલ દુઆ કહે છે કે ભારત સરકારને નક્કર અને હિંમતવાન જવાબની જરૂર છે. આ સમયે આતંકવાદી જૂથોમાં અશાંતિ પેદા કરવાની જરૂર છે.
લેફ્ટનન્ટ જનરલ દુઆ કહે છે કે, અત્યાર સુધી આપણે ‘હિટ એન્ડ સ્કૂટ’ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી રહ્યા છીએ, તેથી આપણે સોફ્ટ ટાર્ગેટીંગ દ્વારા ચોક્કસ સમુદાયને નિશાન બનાવી રહ્યા છીએ. તાજેતરના રિયાસી હુમલામાં યાત્રાળુઓને નિશાન બનાવવામાં આવ્યા છે, તેથી આપણે તેમના કમ્ફર્ટ ઝોનમાં ખલેલ પહોંચાડવાની જરૂર છે. વર્ષ 2003માં ભારત સરકારે પીર પંજાલના દક્ષિણ વિસ્તારમાં ‘ઓપરેશન સર્પવિનાશ’ શરૂ કર્યું હતું. આ ઓપરેશનથી સેનાને આ વિસ્તારમાં આતંકીઓના નેટવર્કને ખતમ કરવામાં સફળતા મળી હતી. તેમણે કહ્યું કે ચોક્કસ સરકાર, સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને રણનીતિકારો આ હુમલાઓ અંગે કેટલાક કડક નિર્ણયો પર વિચાર કરશે.