મતદાન કર્યા બાદ આંગળી પર કેમ શાહી લગાવવામાં આવે છે, આ શાહી કેમ જલ્દી દુર થતી નથી

મતદાન સમયે મતદારની આંગળી પર શાહી લગાવવામાં આવે છે. આ શાહી એવી હોય છે કે, જે સરળતાથી આંગળી પરથી જતી નથી. તેમજ આ શાહીનો ક્યારથી ઉપયોગ કરવામાં આવ્યો તે વિશે જાણીએ.

મતદાન કર્યા બાદ આંગળી પર કેમ શાહી લગાવવામાં આવે છે, આ શાહી કેમ જલ્દી દુર થતી નથી
Follow Us:
Nirupa Duva
| Edited By: | Updated on: May 07, 2024 | 8:22 AM

ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવતી શાહીની ફોર્મુલા ખુબ જ ગુપ્ત રાખવામાં આવે છે. ન તો નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા કે ન તો મૈસુપ પેન્ટ વાર્નિશ લિમિટેડે આ શાહીની ફોર્મુલાને જાહેર કર્યું છે. તો આજે જાણીએ કે, આ શાહી ક્યાં બને છે. ચૂંટણીમાં જે શાહી મૈસૂર પેન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ નામની કંપની બનાવે છે. જે કર્ણાટક રાજ્યમાં સ્થિત છે. કંપનીની સ્થાપના 1937માં તે સમયે મૈસૂરના મહારાજા નલવાડી કૃષણરાજા વડયારે કરી હતી. દેશમાં ચૂંટણીની શાહી બનાવવાનું લાઈસન્સ માત્ર આ કંપનીની પાસે છે. તેની મુખ્ય ઓળખ ચૂંટણીની શાહી બનાવવાની છે.

પહેલી વખત વર્ષ 1962ના રોજ ચૂંટણીમાં આ શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ભારતીય ચૂંટણીઓમાં વાદળી શાહીનો સમાવેશ કરવાનો શ્રેય દેશના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેનને જાય છે. આમ તો આ કંપની તરફથી અનેક શાહી બનાવે છે પરંતુ આની ઓળખ ચૂંટણીની શાહી બનાવવા માટે જ થાય છે.

ચૂંટણી ઇન્ક શા માટે બનાવવામાં આવી હતી?

આ શાહીની ખાસ વાત એ છે કે, તે સરળતાથી દુર થતી નથી. પાણીથી ધોયા બાદ પણ કેટલાક દિવસો બાદ આ શાહી ધીમે ધીમે આંગળી માંથી દુર થાય છે. આને બનાવવાા પાછળનો હેતુ નકલી મતદાનને રોકવાનો હતો. આ શાહી પાણીના સંપર્કમાં આવતા જ કાળી થઈ જાય છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ચૂંટણીમાં આ શાહીને 10 મિલીલીટરની લાખો બોટલમાં ભરી મતદાન કેન્દ્ર પર મોકલવામાં આવે છે. આનો ઉપયોગ માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરના દેશોમાં થાય છે. તેમને જણાવી દઈએ આ શાહીને 25 થી વધારે દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.

માત્ર 40 સેકન્ડમાં સુકાય જાય છે શાહી

આ શાહી માત્ર 40 સેકન્ડમાં જ સુકાય જાય છે.તમને જણાવી દઈએ કે, આ શાહીમાં સિલ્વર નાઈટ્રેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ જેવું હવાના સંપર્કમાં આવે છે તે માત્ર 40 સેકન્ડમાં સુકાય જાય છે, એક વખત સ્કિન પર લાગી જાય તે અંદાજે 72 કલાક સુધી આંગળી પરથી જતી નથી.સિલ્વર નાઈટ્રેટ આપણા શરીમાં હાજર નમક સાથે મળી સિલ્વર ક્લોરાઈડ બની જાય છે. તેના પર ન તો પાણીની અસર થાય છે ન તો તે સાબુ વડે દુર થાય છે.

આ પણ વાંચો : Loksabha Election : પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પહોંચ્યા દિલ્હી, કેબિનેટની બેઠકમાં આપશે હાજરી, જુઓ Video

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">