India Attack on pakistan : લોઇટરિંગ મ્યુનિશન થકી પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર ભારતની એર સ્ટ્રાઇક, આટલો સચોટ પ્રહાર કેવી રીતે શક્ય બન્યો ? જાણો
Loitering munition: ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન-કબજાવાળા કાશ્મીરમાં નવ આતંકી ઠેકાણાઓ પર સચોટ પ્રહાર કરીને 70થી વધુ આતંકવાદીઓને ઠાર મર્યા. આ હુમલામાં લોઇટરિંગ મ્યુનિશન જેવા અદ્યતન હથિયારોનો ઉપયોગ કરીને લશ્કર અને જૈશના મુખ્ય લોન્ચ પેડ્સને નિશાન બનાવવામાં આવ્યા.

what is Loitering munition
મધરાત્રીના સમયે, જ્યારે પાકિસ્તાન ઊંઘમાં હતું, તે સમયે ભારતીય સશસ્ત્ર દળોએ પહલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ‘ઓપરેશન સિંદૂર’ નામની સચોટ કાર્યવાહી હાથ ધરી. આ મિશન દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન-કબજાવાળા કાશ્મીર (PoK)માં આવેલી આતંકી ઠેકાણાઓ પર પ્રચંડ પ્રહાર કરવામાં આવ્યો, જેના કારણે લશ્કર-એ-તોઈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું.
પહેલગામ હુમલો અને ભારતનો પ્રતિકાર
22 એપ્રિલે, પહલગામ ખાતેના આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. ભારતીય સેનાએ ઝડપી પ્રતિક્રિયા આપવા વચન આપ્યું હતું, અને 6 મેની રાતે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. રાત્રે 1:44 વાગ્યે, ભારતીય સેનાએ જાહેર કર્યું કે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરવામાં આવ્યું છે.
આ ઓપરેશન દરમિયાન, કુલ નવ મહત્વના આતંકી ઠેકાણા નાશ પામ્યા, જેમાં સામેલ છે:
- લશ્કર-એ-તોઈબાના ત્રણ લોન્ચ પેડ
- જૈશ-એ-મોહમ્મદના ચાર મજબૂત ઠેકાણા
- અન્ય બે વ્યૂહાત્મક તબક્કાઓ
આ પ્રહારના પરિણામે 70થી વધુ આતંકવાદીઓ મારાયા હોવાના અહેવાલ છે.
લોઇટરિંગ મ્યુનિશન: આટલો સચોટ પ્રહાર કેવી રીતે શક્ય બન્યો?
આ ઓપરેશન દરમિયાન ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાએ લોઇટરિંગ મ્યુનિશન નામની અદ્યતન હથિયાર પ્રણાલીઓનો ઉપયોગ કર્યો હતો.
લોઇટરિંગ મ્યુનિશન એ એક ખાસ પ્રકારનું હથિયાર છે, જે લક્ષ્ય વિસ્તારમાં મંડરાવે છે, લક્ષ્ય શોધી અને પછી હુમલો કરે છે. આ મિશન માટે ભારતના સંકેતો ભારતની જ ભૂમિ પરથી મળ્યા હતા, અને આ હુમલા સંપૂર્ણપણે ભારતીય વિસ્તારમાં રહીને કરાયા હતા. આ પ્રણાલીને કારણે પાકિસ્તાન અને PoKમાં આવેલા 09 આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં સફળતા મળી હતી.