AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધીની અયોગ્યતા પર જર્મનીની આવી પ્રતિક્રિયા, કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું- અમે વિદેશીઓ સામે ઝૂકીશું નહીં

કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કોંગ્રેસના નેતાનું ટ્વીટ શેર કર્યું અને કહ્યું, ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવા માટે વિદેશી દળોને બોલાવવા બદલ રાહુલ ગાંધીનો આભાર... પરંતુ યાદ રાખો કે ભારતનો કાયદો વિદેશી તાકાત સામે ઝૂકી શકે નહીં.

રાહુલ ગાંધીની અયોગ્યતા પર જર્મનીની આવી પ્રતિક્રિયા, કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું- અમે વિદેશીઓ સામે ઝૂકીશું નહીં
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 3:18 PM
Share

Rahul Gandhi Disqualified: પહેલા અમેરિકા અને પછી જર્મનીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સંસદમાંથી ગેરલાયક ઠેરવવા પર પ્રતિક્રિયા આપી. તેના પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે તેમનો આભાર માન્યો હતો. હવે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ તેમના ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કરીને પ્રતિક્રિયા આપી છે. કાયદા મંત્રીએ કહ્યું કે, ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવા માટે વિદેશી દળોને બોલાવવા બદલ રાહુલ ગાંધીનો આભાર.

દિગ્વજિય સિંહે જર્મન વિદેશ મંત્રાલય અને રિચર્ડ વોકરનો આભાર માન્યો

રાહુલ ગાંધીના કેસ પર પ્રતિક્રિયા આપતા, જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ન્યાયિક સ્વતંત્રતા અને લોકતાંત્રિક સિદ્ધાંતોના ધોરણોને જાળવી રાખવા અપીલ કરી હતી. તેના પર દિગ્વિજય સિંહે જર્મન વિદેશ મંત્રાલય અને રિચર્ડ વોકર (પત્રકાર)નો આભાર માન્યો અને કહ્યું, ભારતની લોકશાહી સાથે કેવી રીતે ચેડા કરવામાં આવે છે તેના પર ધ્યાન આપવા બદલ તમારો આભાર.

આ પણ વાંચો : રાહુલ ગાંધીની મુસીબતમાં થશે વધારો, વધુ એક મોદીએ કહ્યું રાહુલ ગાંધી વિરૂદ્ધ UK કોર્ટમાં કરશે કેસ

પત્રકાર રિચર્ડ વોકરે જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તા કહી રહ્યા છે કે, અમે ચુકાદા અને સંસદમાંથી અયોગ્ય ઠેરવવા પર નજર રાખી રહ્યા છીએ. અપીલ નક્કી કરશે કે નિર્ણય યથાવત રહેશે કે નહીં.

ભારતીય કાયદો વિદેશી તાકાત સામે ઝૂકશે નહીં

કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કોંગ્રેસના નેતાનું ટ્વીટ શેર કર્યું અને કહ્યું, ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવા માટે વિદેશી દળોને બોલાવવા બદલ રાહુલ ગાંધીનો આભાર… પરંતુ યાદ રાખો કે ભારતનો કાયદો વિદેશી તાકાત સામે ઝૂકી શકે નહીં. કાયદા મંત્રીએ ટ્વીટમાં કહ્યું કે ભારત વિદેશી હસ્તક્ષેપ સહન કરશે નહીં કારણ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.

રાહુલ ગાંધીના કેસ પર અમેરિકાની નજર

રાહુલ ગાંધીને સંસદમાંથી અયોગ્ય ઠેરવવાના કેસ પર પ્રતિક્રિયા આપતા જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, તેઓ હજુ પણ અપીલ કરવાની સ્થિતિમાં છે. તે અપીલ બાદ જ સ્પષ્ટ થશે કે શું ગેરલાયકાતનો નિર્ણય અકબંધ રહેશે કે સસ્પેન્શન માટે કોઈ આધાર છે કે કેમ. આ પહેલા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમેરિકા રાહુલ ગાંધી કેસ પર નજર રાખી રહ્યું છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે કાયદાનું શાસન અને ન્યાયિક સ્વતંત્રતાનું સન્માન એ કોઈપણ લોકશાહીનો આધાર છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">