AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધીની મુસીબતમાં થશે વધારો, વધુ એક મોદીએ કહ્યું રાહુલ ગાંધી વિરૂદ્ધ UK કોર્ટમાં કરશે કેસ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો પલટવાર કરતા ભાગેડુ લલિત મોદીએ અનેક ટ્વિટ કર્યા છે. તેણે કહ્યું કે મોદીના પરિવારે દેશ માટે ઘણું કર્યું છે. કલ્પના પણ કરી શકાતી નથી.

રાહુલ ગાંધીની મુસીબતમાં થશે વધારો, વધુ એક મોદીએ કહ્યું રાહુલ ગાંધી વિરૂદ્ધ UK કોર્ટમાં કરશે કેસ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 11:12 AM
Share

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભાગેડુ લલિત મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેમને ભાગેડુ ગણાવીને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. હવે લલિત મોદીએ રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કર્યો છે. તેણે કહ્યું કે, તે રાહુલ વિરુદ્ધ બ્રિટિશ કોર્ટમાં જશે. તેને મની લોન્ડરિંગ કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તેણે પોતાના ટ્વિટમાં કહ્યું કે, તેને દોષિત ઠેરવવામાં આવ્યો નથી અને તે દેશનો સામાન્ય નાગરિક છે.

આ પણ વાચો: Rahul Gandhi : અમેરિકા બાદ હવે રાહુલ ગાંધી પર જર્મનીએ આપી પ્રતિક્રિયા, ભારત પર કહી આ મોટી વાત

‘મોદી સરનેમ’ના નિવેદન પર સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેથી તેમણે સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું. લલિત મોદીએ કોંગ્રેસના નેતાઓને ભાગેડુ ગણાવતા સવાલ ઉઠાવતા કહ્યું કે, તેઓ કેમ અને કેવી રીતે ભાગેડુ છે? તેણે રાહુલને ‘પપ્પુ’ કહ્યો અને પૂછ્યું કે આખરે તેને ક્યારે દોષિત ઠેરવવામાં આવ્યો? તેમણે કહ્યું કે, એક અને અન્ય વિપક્ષી નેતાઓને બીજું કંઈ કરવાનું નથી, કાં તો તેમની પાસે ખોટી માહિતી છે અથવા તેઓ બદલાની ભાવનાથી બોલે છે.

કોંગ્રેસના નેતાઓ પર વિદેશમાં સંપત્તિ હોવાનો આરોપ

લલિત મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તેમણે ઓછામાં ઓછું રાહુલ ગાંધી વિરુદ્ધ બ્રિટિશ કોર્ટમાં જવાનું નક્કી કર્યું છે. તેમણે રાહુલ ગાંધીને નક્કર પુરાવાઓ સાથે આવવા કહ્યું… અને હું તેમને (રાહુલ ગાંધી) પોતાને મૂર્ખ બનાવતા જોવાની રાહ જોઈ રહ્યો છું. લલિત મોદીએ પોતાના ટ્વીટમાં હેશટેગ સાથે કોંગ્રેસના નેતાઓ આરકે ધવન, સીતારામ કેસરી, મોતીલાલ વોહરા, સતીશ ચરણનું નામ લીધું અને તેમની પર વિદેશમાં સંપત્તિ હોવાનો આરોપ લગાવ્યો હતો.

એવું લાગે છે… તેઓ જ વાસ્તવિક શાસનને લાયક છે

લલિત મોદીએ કહ્યું કે, તેઓ બધા ગાંધી પરિવારના છે. નારાયણ દત્ત તિવારીને પણ ભૂલવા ન જોઈએ. તેણે પૂછ્યું, ‘તમારા બધા પાસે વિદેશી સંપત્તિ કેવી રીતે છે? કમલનાથને પૂછો… હું સાબિતી પણ મોકલી શકું છું. લલિત મોદીએ કહ્યું કે તેઓ પુરાવા માટે સરનામું અને ફોટા પણ મોકલી શકે છે, અને વધુમાં કહ્યું કે ભારતની જનતાને મૂર્ખ બનાવશો નહીં કે જે અસલી ગુનેગાર છે… ગાંધી પરિવાર માને છે કે તે જ હકદાર માલિક છે. દેશના જય હિન્દ બોલતા, ભાગેડુએ કહ્યું કે ‘જ્યારે તમે કડક કાયદો બનાવશો, હું પાછો આવીશ’.

Follow Us
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
g clip-path="url(#clip0_868_265)">