ગુજરાત ભાજપના પૂર્વ પ્રભારીને સિક્કિમના રાજ્યપાલ તો કે. કૈલાશનાથનને પુડુચેરીના LG બનાવાયા
ગઈકાલ શનિવારે મોડી રાત્રીએ દેશના 10 રાજ્યોના ગવર્નર અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના એડમિનિસ્ટ્રેટ બદલવામાં આવ્યા છે. જેમાં ત્રણ રાજ્યના રાજ્યપાલની અન્ય રાજ્યના ગર્વનર તરીકે બદલી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના નર્મદા નિગમના અધ્યક્ષ કે. કૈલાશનાથનની પુડુચેરીના લેફટનન્ટ ગર્વનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
શનિવારે મોડી રાત્રીએ, દેશના 10 રાજ્યોના રાજયપાલની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનમાંથી મળેલી વિગત અનુસાર, ગુજરાતના પૂર્વ સનદી અધિકારી અને નર્મદા નિગમના અધ્યક્ષ કે. કૈલાશનાથનની પુડુચેરીના લેફટનન્ટ ગર્વનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો ગુજરાત ભાજપના પૂર્વ પ્રભારી અને રાજસ્થાનના દિગ્ગજ નેતા ઓમ પ્રકાશ માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
રાજસ્થાનના પૂર્વ ગૃહપ્રધાન ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમને મણિપુરનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે.
કે. કૈલાશનાથનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક તેમના ચાર્જ સંભાળ્યાની તારીખથી લાગુ થશે. બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારીને તેમના સ્થાને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે ગુલાબચંદ કટારિયાની નિમણૂક કરવામાં આવી છે. કટારિયાને પંજાબના રાજ્યપાલની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
શનિવારે રાત્રે દેશના 10 રાજ્યો માટે રાજ્યપાલોની નિમણૂકોની જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવનમાંથી મળેલી માહિતી મુજબ મળતી માહિતી મુજબ, લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુલાબચંદ કટારિયાની જગ્યા લીધી છે. કટારિયાને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક પદેથી બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે.
કયા રાજ્યની જવાબદારી કોને મળી?
આ ઉપરાંત ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંતોષ કુમાર ગંગવાર ઝારખંડના નવા રાજ્યપાલ બનશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, વિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના રાજ્યપાલ હશે અને ઓમ પ્રકાશ માથુરને સિક્કિમના નવા રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે.
કૈલાશનાથન પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા
રામેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ અને સીએચ વિજયશંકરને મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કે. કૈલાશનાથનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક તેમના ચાર્જ સંભાળ્યાની તારીખથી લાગુ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિમણૂંકો તેમની સંબંધિત કચેરીઓનો ચાર્જ સંભાળવાની તારીખથી અમલી બનશે.