Delhi Liquor Scam: CM કેજરીવાલની CBIએ તિહાર જેલમાંથી કરી ધરપકડ, આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં જામીન પર થશે સુનાવણી

|

Jun 25, 2024 | 10:55 PM

સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે આવી આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપની કેન્દ્ર સરકાર કેજરીવાલ વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહી છે. સીબીઆઈને આવતીકાલે બુધવારે અરવિંદ કેજરીવાલને સંબંધિત ટ્રાયલ કોર્ટમાં હાજર કરવાની મંજૂરી પણ મળી ગઈ છે.

Delhi Liquor Scam: CM કેજરીવાલની CBIએ તિહાર જેલમાંથી કરી ધરપકડ, આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં જામીન પર થશે સુનાવણી
Image Credit source: Social Media

Follow us on

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મંગળવારે રાત્રે તિહાર જેલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી અને દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તેમની ધરપકડ કરી છે. સીબીઆઈને આવતીકાલે બુધવારે અરવિંદ કેજરીવાલને સંબંધિત ટ્રાયલ કોર્ટમાં હાજર કરવાની મંજૂરી પણ મળી ગઈ છે. આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

“સીબીઆઈ દ્વારા કાવતરું રચવામાં આવી રહ્યું છે”

સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે આવી આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભાજપની કેન્દ્ર સરકાર કેજરીવાલ વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહી છે. કેજરીવાલને બનાવટી કેસમાં પકડવા માટે સીબીઆઈ દ્વારા કાવતરું રચવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે CBI અધિકારીઓ સાથે મળીને એક મોટું ષડયંત્ર રચ્યું છે.

જામીન પર રોક લગાવી દીધી હતી

તે દરમિયાન, આમ આદમી પાર્ટીએ મંગળવારે કહ્યું કે તે ગૌણ અદાલત દ્વારા સીએમ કેજરીવાલને આપવામાં આવેલી જામીન પર હાઈકોર્ટ દ્વારા લાદવામાં આવેલા વચગાળાના સ્ટે સાથે સંમત નથી અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. દિલ્હી હાઈકોર્ટે અગાઉ દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ગૌણ અદાલત દ્વારા કેજરીવાલને આપવામાં આવેલા જામીન પર રોક લગાવી દીધી હતી.

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

જસ્ટિસ સુધીર કુમાર જૈનની વેકેશન બેંચે કહ્યું કે નીચલી અદાલત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રજૂ કરાયેલા તથ્યોની યોગ્ય રીતે કરવામાં નિષ્ફળ રહી અને AAP નેતાની જામીન અરજી પર વિચાર કરતી વખતે તેના વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો ન હતો. તેમણે એમ પણ કહ્યું કે નીચલી અદાલતે તપાસ એજન્સીને પોતાનો પક્ષ રજૂ કરવા માટે પૂરતી તક આપવી જોઈતી હતી.

પાર્ટીએ કહ્યું કે અમે દિલ્હી હાઈકોર્ટના આદેશ સાથે સહમત નથી

જો કે, આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા, આમ આદમી પાર્ટીએ કહ્યું કે તે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. પાર્ટીએ કહ્યું કે અમે દિલ્હી હાઈકોર્ટના આદેશ સાથે સહમત નથી. અમે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું.

ગયા અઠવાડિયે, 20 જૂને, નીચલી અદાલતે સીએમ કેજરીવાલને જામીન આપ્યા હતા અને 1 લાખના અંગત બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, ED બીજા દિવસે હાઈકોર્ટમાં ગઈ હતી અને નીચલી કોર્ટના આદેશને ‘ખોટો અને એકતરફી’ ગણાવ્યો હતો, જેના પર હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો.

આ પણ વાંચો: Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં લેવાયો નિર્ણય

Next Article