Breaking News: તિહાડ જેલમાંથી બહાર આવ્યા દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ, સુપ્રીમ કોર્ટે આપ્યા આ તારીખ સુધીના જામીન જામીન

લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે પોતાના જામીનની રાહ જોઈ રહેલા કેજરીવાલ માટે અક્ષય તૃતિયાનો દિવસ સારા સમાચાર લઈને આવ્યો છે, સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર આજે આદેશ સંભળાવતા તેમના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.

Breaking News: તિહાડ જેલમાંથી બહાર આવ્યા દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ, સુપ્રીમ કોર્ટે આપ્યા આ તારીખ સુધીના જામીન જામીન
Follow Us:
| Updated on: May 10, 2024 | 7:49 PM

ચૂંટણીના ઘમાસાણ વચ્ચે પોતાના જામીનની રાહ જોઈ રહેલા દિલ્હી CM કેજરીવાલ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આજે કેજરીવાલના વચગાળાના જામીન પર પોતાનો આદેશ આપ્યો છે અને તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે અરવિંદ કેજરીવાલ જામીન મળ્યા છે. તે જ સમયે, EDએ ન માત્ર વચગાળાના જામીનનો વિરોધ કર્યો ન હતો, પરંતુ પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી હતી અને કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને ઘેરવાની સંપૂર્ણ યોજના તૈયાર કરી હતી. ઇડી કેજરીવાલને લિકર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાવી રહી હતી.

કે કવિતાને હાઈકોર્ટ તરફથી ઝટકો, જામીન આપવાનો કોર્ટનો ઈનકાર

દિલ્હી લિકર કૌભાંડ મામલે આજે વધુ એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી છે.  કે કવિતાના જામીન કેસમાં હાઈકોર્ટે EDને નોટિસ પાઠવીને બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે. દિલ્હીની વિવાદાસ્પદ આબકારી નીતિ અને તેનાથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કે. કવિતાની જામીન અરજી નીચલી વિશેષ અદાલતે ફગાવી દીધી છે. કવિતાએ હાઈકોર્ટમાં નીચલી અદાલતને આદેશને પડકાર્યો હતો અને જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ EDની દલીલોને સ્વીકારીને કવિતાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હવે કવિતા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

બંને દીકરીઓ અને પત્ની સુનિતા કેજરીવાલને લેવા માટે પહોંચ્યા

સુપ્રીમ કોર્ટ તરફથી કેજરીવાલને વચગાળાના જામીન મળતા જ તેમને લેવા માટે પંજાબના સીએમ ભગવંત માન, કેજરીવાલના પત્ની સુનિતા અને તેમની બંને દીકરીઓ તિહાડ જેલ પહોંચ્યા હતા. તેઓ કેજરીવાલને લઈને સીધા ઘરે જવા નીકળી ગયા હતા.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

તમારી વચ્ચે આવીને સારુ લાગ્યુ: તિહાડ જેલમાંથી બહાર આવી બોલ્યા કેજરીવાલ

કેજરીવાલ તેમની ગાડીનું સનરૂફ ખોલી બહાર આવ્યા અને કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યુ “તમારી વચ્ચે આવીને મને સારુ લાગી રહ્યુ છે. મે કહ્યુ હતુ કે હું જલ્દી આવીશ, આવી ગયોને, આપ સહુનો આભાર વ્યક્ત કરવા માગુ છુ અને સુપ્રીમ કોર્ટના ન્યાયધિશોનો પણ આભાર વ્યક્ત કરુ છુ. ”

જેલમાંથી બહાર આવતા જ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમનો આગળનો પ્લાન જણાવ્યો હતો. તેમણે કહ્યુ કે કાલે 11 વાગ્યે કનોટ પ્લેસ પર હનુમાન મંદિરના દર્શન કરશે અને 1 વાગ્યે પાર્ટી ઓફિસે પ્રેસ કોન્ફરન્સ કરશે.

ગૃહમંત્રી અમિત શાહે આપી આ પ્રતિક્રિયા

કેજરીવાલના જામીન પર ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ પર પ્રતિક્રિયા આપી છે કે આ વચગાળાનો આદેશ છે. તેમણે આત્મસમર્પણ કરવુ પડશે. તે ગમે ત્યાં પ્રચાર કરી શકે છે.

આ પણ વાંચો:   ભગવાન પરશુરામ આજે પણ તેમના આ શિષ્યની જોઈ રહ્યા છે રાહ- જાણો કોણ છે એ શિષ્ય

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">